6 ઓગસ્ટ, 2006 – તાપીમાં પૂર આવ્યું….
7 ઓગસ્ટ, 2006 – પાણીના સપાટી મહત્તમ હતી, 95% સુરત પાણીમા….
અને ત્યાર પછીની પરીસ્થિતી એવી હતી કે એનું શબ્દોમાં વર્ણન અશક્ય છે. અને પાણીની એ થપાટોથી ભાંગી પડેલા સુરતને ફરી પાછુ બેઠુ કરવા, હસતુ રમતું અને જિંદગીથી ધબકતું કરવા મુકુલભાઇ – મેહુલભાઇ એ એક ગીત બનાવેલું, એ યાદ છે ? ચાલો ફરી પાછા હસતા થઇ જઇએ… ( ટહુકો પર મુકાયેલું મેહુલભાઇનું એ પ્રથમ ગીત… ) અને આજે એક વર્ષ પછી એ કહેવાની જરૂર ખરી, કે ખરેખર આ વર્ષમાં સુરત ફરી પાછું પહેલાની જેમ જ હસતું રમતું થઇ ગયું છે…
અને સુરતીઓની એ સિધ્ધીને બિરદાવતું એક ગીત ફરી પાછું બન્યું…
The song celebrating The Spirit of Surtis….
A video used to be embedded here but the service that it was hosted on has shut down.
તા. 6 ઓગસ્ટ, 2007.
લગભગ એક વર્ષ પહેલા જ્યારે આ ગીત ટહુકો પર મુકેલું, ત્યારે એનો વિડિયો નો’તો મુક્યો. તો મને થયું કે જ્યારે વ્હાલું સુરત શહેર ખરેખર હસતું રમતું થઇ ગયું છે, અને આ ગીત બનાવીને મેહુલભાઇ, મુકુલભાઇએ જે હાકલ કરી હતી, તે સાંભળવાની સાથે સાથે જોવું પણ ગમશે.
A video used to be embedded here but the service that it was hosted on has shut down.
——————————
તા. 14 સપ્ટેમ્બર, 2006.
સૂરત શહેરને પૂરના પાણીથી થયેલ ખાનાખરાબીની ઘીમે ધીમે મરામત થઈ રહી છે. પણ ખરું નુકશાન તો માલસામાનને થયેલા નુકશાનથી ક્યાંય વધારે છે. આવી પરિસ્થિતિમાંથી જે લોકો પસાર થાય એમના દિલ અને દિમાગને જે હાની પહોંચી હોય છે એની સારવાર કરવી ખૂબ કપરું કામ છે. આવા કપરા કાળમાંથી પસાર થનાર વ્યક્તિના માનસને થતી વિપરીત અસર માટે તબીબો Post Traumatic Stress Disorder એવું નામ આપે છે. આખા શહેરના દિલ પર લાગેલ જખમની સારવાર કરવી તો પણ કઈ રીતે એ મોટો સવાલ છે.
સૂરતના મનોરોગ તજજ્ઞ અને જાણીતા કવિ મુકુલ ચોકસીએ આ દિશામાં એક નવો પ્રયોગ કર્યો છે. એમણે સૂરતના જખ્મી ખમીરને જગાડવા માટે એક ખાસ ગીત લખ્યું છે. જે સૂરતના જ સંગીતકાર મેહુલ સૂરતીએ સ્વરબદ્ધ કર્યું છે અને ગાયું છે અમન લેખડિયાએ. આ પ્રકારનો આ પહેલો જ પ્રયોગ છે. આના વિષે વધુ માહિતી ટાઈમ્સ ઓફ ઈંડિયાના આ લેખમાં છે.
ઘણીવાર વાચકમિત્રો તરફથી એટલા મીઠા પ્રતિભાવો મળે છે….થોડા દિવસો પહેલા રીષભગ્રુપના ગરબાની રેડિયો પોસ્ટ પર આવો જ કંઇ પ્રતિભાવ આવ્યો.
…૧૦૦ ટકા ડાયાબીટિસ થવાની શકયતા !!!! ટહુકો માના કેટલાય ગીતો ઘણા મીઠા છે, પણ આ તો જાણે સીધ્ધે-સીધ્ધી ચાસણી. રીષભ ગ્રુપ ગરબા ના વીશે સાંભળ્યુ હતું, પણ i cannot think why i missed listening to these garbas all this time….!
આમ તો એમના બધા જ ગીતો સાંભળવા ગમે છે, પણ નિશા ઉપાધ્યાયના સુમધુર સ્વરમાં આ ગીત તો બસ સાંભળ્યા જ કરવાની ઇચ્છા થાય… ગીતની શરૂઆત જ કેટલી સરસ… વણખુલ્યા હોઠની વાત…. એમ પણ, આપણે ક્યાં બધી વાતો કહી શકીયે છીએ..!! સાથે સાથે , વણગાયા ગીતનો ટહુકો, મુંગા પારેવાનો છાનો ફફડાટ, જેવા શબ્દો લાગણીની તીવ્રતા ખૂબ સચોટ રીતે પ્રદર્શિત કરે છે.
આજનો દિવસ ગુજરાતી કાવ્ય અને સંગીતજગત માટે ખરેખર મહત્વનો ગણાય. આજે કવિશ્રી ઉમાશંકર જોષી અને સંગીતકાર-કવિશ્રી અવિનાશ વ્યાસનો જન્મદિવસ. ( તા. 21 જુલાઇ, 1911 )
તમે તો ગુજરાતી કવિતાની સાથે સાથે સંગીતમાં પણ રસ ધરાવતા હોય, તો પુરુષોત્તમ ઉપાધ્યાય – ચંદુ મટ્ટાણી દ્વારા પ્રદર્શિત ‘સદા અમર અવિનાશ’ આલ્બમ ( ૪ સીડીનો સેટ ) ખરેખર વસાવવા જેવો છે… અવિનાશ વ્યાસની કલમ અને સંગીતને સલામ કરવાનું મન ન થાય તો કહેજો… !!
કહેવાય છે કે અવિનાશ વ્યાસે સમગ્ર ગુજરાતને ગાતુ અને રમતુ કર્યું. એમના કેટલાય એવા ગીતો છે કે જેના વગરના ગુજરાતી સંગીતજગતની કલ્પના મુશ્કેલ થઇ પડે. એચ.એમ.વી દ્વારા પ્રદ્શિત ‘Gujarati Classics’ series માં લતા મંગેશકર, આશા ભોંસલે, મુકેશ, ઉષા મંગેશકર અને પ્રફુલ દવે દ્વારા ગવાયેલા ૬૦ જેટલા ગીતો છે, એમાંથી અડધોઅડધ અવિનાશ વ્યાસ દ્વારા સંગીતબધ્ધ છે. હમણા કોઇક પુસ્તકમાં વાંચ્યુ કે અવિનાશ વ્યાસે ફક્ત ‘રાખના રમકડા’ ગીતની રચના જ કરી હોત, તો પણ એમનું નામ અમર થઇ ગયું હોત…
ચલો, તમારો વધુ સમય નથી લેવો… સાંભળો અવિનાશ વ્યાસની કલમે લખાયેલું અને ખૂબ જ સરસ રીતે સ્વરબધ્ધ થયેલું આ ગીત… અને એમા પુરુષોત્તમ ઉપાધ્યાયનો સ્વર ફળે એટલે પૂછવું જ શું ? જરા સ્પિકરનો અવાજ વધારીને સાંભળજો… મારા જેવા અમુકને તો વગર નવરાત્રીએ હાથમાં ખંજવાળ આવશે… ( દાંડિયા પકડવા માટે હોં..! )
જ્યારે ગુજરાતી સંગીત સાથેનો મારો નાતો ભજનો, ગરબા અને મનહર ઉધાસની ગઝલો પૂરતો જ સીમીત હતો, ત્યારે અમદાવાદના ક્રોસવર્ડમાં મને હસ્તાક્ષર સિરીઝની કેસેટ જોવા મળી, અને એના પર લખેલા શબ્દો :
– વાંચીને મેં એ કેસેટ લઇ લીધી. અને ત્યારથી જ તુષાર શુક્લ મારા ઘણા જ પ્રિય કવિ. એમનું હસ્તાક્ષર આબ્લમ જો ના સાંભળ્યું હોય, તો ખરેખર તમે ઘણું ગુમાવી રહ્યા છો. ધવલભાઇ કહે ને, એમના ગીતો સાંભળી લો તો આખો દિવસ મઘમઘ થઇ જવાની ગેરંટી, એમા જરાય અતિશયોક્તિ નથી.
અને એક મિત્રને ઓળખું છું, જેણે એમણે સંચાલન કર્યું હોય એવા કોઇ દૂરદર્શનના પ્રોગ્રામનું રેકોર્ડિંગ કર્યું છે, અને વારે વારે એ પ્રોગ્રામ જુએ છે, ફક્ત તુષાર શુક્લનું સંચાલન માણવા માટે.