6 ઓગસ્ટ, 2006 – તાપીમાં પૂર આવ્યું….
7 ઓગસ્ટ, 2006 – પાણીના સપાટી મહત્તમ હતી, 95% સુરત પાણીમા….
અને ત્યાર પછીની પરીસ્થિતી એવી હતી કે એનું શબ્દોમાં વર્ણન અશક્ય છે. અને પાણીની એ થપાટોથી ભાંગી પડેલા સુરતને ફરી પાછુ બેઠુ કરવા, હસતુ રમતું અને જિંદગીથી ધબકતું કરવા મુકુલભાઇ – મેહુલભાઇ એ એક ગીત બનાવેલું, એ યાદ છે ? ચાલો ફરી પાછા હસતા થઇ જઇએ… ( ટહુકો પર મુકાયેલું મેહુલભાઇનું એ પ્રથમ ગીત… ) અને આજે એક વર્ષ પછી એ કહેવાની જરૂર ખરી, કે ખરેખર આ વર્ષમાં સુરત ફરી પાછું પહેલાની જેમ જ હસતું રમતું થઇ ગયું છે…
અને સુરતીઓની એ સિધ્ધીને બિરદાવતું એક ગીત ફરી પાછું બન્યું…
The song celebrating The Spirit of Surtis….
A video used to be embedded here but the service that it was hosted on has shut down.
તા. 6 ઓગસ્ટ, 2007.
લગભગ એક વર્ષ પહેલા જ્યારે આ ગીત ટહુકો પર મુકેલું, ત્યારે એનો વિડિયો નો’તો મુક્યો. તો મને થયું કે જ્યારે વ્હાલું સુરત શહેર ખરેખર હસતું રમતું થઇ ગયું છે, અને આ ગીત બનાવીને મેહુલભાઇ, મુકુલભાઇએ જે હાકલ કરી હતી, તે સાંભળવાની સાથે સાથે જોવું પણ ગમશે.
A video used to be embedded here but the service that it was hosted on has shut down.
——————————
તા. 14 સપ્ટેમ્બર, 2006.
સૂરત શહેરને પૂરના પાણીથી થયેલ ખાનાખરાબીની ઘીમે ધીમે મરામત થઈ રહી છે. પણ ખરું નુકશાન તો માલસામાનને થયેલા નુકશાનથી ક્યાંય વધારે છે. આવી પરિસ્થિતિમાંથી જે લોકો પસાર થાય એમના દિલ અને દિમાગને જે હાની પહોંચી હોય છે એની સારવાર કરવી ખૂબ કપરું કામ છે. આવા કપરા કાળમાંથી પસાર થનાર વ્યક્તિના માનસને થતી વિપરીત અસર માટે તબીબો Post Traumatic Stress Disorder એવું નામ આપે છે. આખા શહેરના દિલ પર લાગેલ જખમની સારવાર કરવી તો પણ કઈ રીતે એ મોટો સવાલ છે.
સૂરતના મનોરોગ તજજ્ઞ અને જાણીતા કવિ મુકુલ ચોકસીએ આ દિશામાં એક નવો પ્રયોગ કર્યો છે. એમણે સૂરતના જખ્મી ખમીરને જગાડવા માટે એક ખાસ ગીત લખ્યું છે. જે સૂરતના જ સંગીતકાર મેહુલ સૂરતીએ સ્વરબદ્ધ કર્યું છે અને ગાયું છે અમન લેખડિયાએ. આ પ્રકારનો આ પહેલો જ પ્રયોગ છે. આના વિષે વધુ માહિતી ટાઈમ્સ ઓફ ઈંડિયાના આ લેખમાં છે.
મારા જેવા અડધા અમદાવાદીને પણ જો આ ગીત આટલું ગમતું હોય, તો જેઓ પૂરા અમદાવાદી છે, એમને તો આ ગીત કેટલું વ્હાલું હશે..!!
જો કે કોઇ પણ શહેરનું એવું જ હોય છે… થોડો વખત એની સાથે જોડાયેલા રહો એટલે એ શહેર વ્હાલું જ લાગે… પછી એ સાન ફ્રાંન્સિસ્કો હોય કે સુરત…. લોસ એંજલસ હોય કે અમદાવાદ…
અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો,
જ્યાં પહેલા બોલે મિલનુ ભુંગળુ પછી પુકારે કુકડો,
ને સાઇકલ લઇને સૌ દોડતા, રળવા રોટલીનો ટુકડો,
પણ મિલમંદિરના નગદેશ્વરનો રસ્તો કયાં છે ઠુંકડો,
મિલ મજદુરની મજદુરી પર શહેર તણી આબાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
ઘણીવાર વાચકમિત્રો તરફથી એટલા મીઠા પ્રતિભાવો મળે છે….થોડા દિવસો પહેલા રીષભગ્રુપના ગરબાની રેડિયો પોસ્ટ પર આવો જ કંઇ પ્રતિભાવ આવ્યો.
…૧૦૦ ટકા ડાયાબીટિસ થવાની શકયતા !!!! ટહુકો માના કેટલાય ગીતો ઘણા મીઠા છે, પણ આ તો જાણે સીધ્ધે-સીધ્ધી ચાસણી. રીષભ ગ્રુપ ગરબા ના વીશે સાંભળ્યુ હતું, પણ i cannot think why i missed listening to these garbas all this time….!
આમ તો એમના બધા જ ગીતો સાંભળવા ગમે છે, પણ નિશા ઉપાધ્યાયના સુમધુર સ્વરમાં આ ગીત તો બસ સાંભળ્યા જ કરવાની ઇચ્છા થાય… ગીતની શરૂઆત જ કેટલી સરસ… વણખુલ્યા હોઠની વાત…. એમ પણ, આપણે ક્યાં બધી વાતો કહી શકીયે છીએ..!! સાથે સાથે , વણગાયા ગીતનો ટહુકો, મુંગા પારેવાનો છાનો ફફડાટ, જેવા શબ્દો લાગણીની તીવ્રતા ખૂબ સચોટ રીતે પ્રદર્શિત કરે છે.
વરસાદની મોસમ એ સ્નેહીજનો માટે વ્હાલ અને વ્યથાનો તીવ્ર અનુભવ કરવાનો સમય! સ્નેહીજન સાથે એકાકાર થવા અસ્તિત્વની દિવાલો જાણે તૂટવા મથતી હોય એવું લાગે. આકાશ અને ધરતીને એકાકાર કરતા વરસાદને જોઇને પ્રિયતમાને લાગે છે કે હું પણ મારા રસિયામાં ભીંજાઈને ઓગળી જાઉં.
મીરાંની સમક્ષ અગર કૃષ્ણ ઉપસ્થિત થય તો મીરાં એમનું પૂજન કેવી રીતના કરે? મીરાં ઉષઃકાળનું કંકુ અને સન્ધ્યાનું કેસર લે, બ્રહ્માંડની થાળીમાં સૂર્યના દીવાને પ્રગટાવી આરતી કરે, પહેલા વરસાદની માટીની સોડમની અગરબત્તી કરે, મેઘનાદનો ઘંટનાદ કરે અને આકાશી વીજળીની લાઈટોની સીરીઝ મૂકે, સાગરનું મંદમંદ સંગીત લહેરાવે અને પંચમહાભૂતોનો પ્રસાદ કરી મીરાં કૃષ્ણમાં સમર્પિત થાય- આવું એક કલ્પનાચિત્ર નજર સમક્ષ ખડું થાય છે. આપણે મીરાં નથી, અને કૃષ્ણને હજુ પામ્યા નથી…પણ આજે તો આ વરસાદ છે અને મારો સાંવરિયો છે! તો હૈયાના દરબારમાં જેનો રાજ્યાભિષેક થયો છે એવા મારા સજના માટે આજે હું શું કરું? વ્હાલમના ગીત માટે તો સૃષ્ટિમાંથી શ્રેષ્ઠ જ લાવવું પડે, અને એટલે જ એ ઘેલી કોયલના સૂરને અને મોરના ટહુકાથી પોતાનો સૂર સજાવે છે, મેઘધનુષના મેઘનાદનું ઝાંઝર પહેરે છે, જીવને જંતર બનાવી ગૂંજી ઊઠે છે, અને ત્યાં સુધી કે આ પ્રીતનો પાવો છોડી ખુદ રસિયાને જ પી જઈને તનમન પ્યાસ બુઝાવે છે!