બરાબર ૪ વર્ષ પહેલા ટહુકો પર રજૂ કરેલું, અને હમણાં સુધી કેટલીય દીકરીઓને રડાવી ગયેલું આ ગીત, આજે સ્વરકાર શ્રી અમરભાઇના સ્વરમાં ફરી એકવાર.
સ્વર – સ્વરાંકન અમર ભટ્ટ
Posted: April 16, 2007
ત્રણ અલગ અલગ રાગમાં આ ગીત અહીં રજુ કરું છું, પણ મને આ ગીતનો ધીમો રાગ વધુ ગમે છે. ધીમો રાગ કદાચ આ ગીતમાં રહેલી એક પરણેલી સ્ત્રીની લાગણીઓ વધુ સારી રીતે ઉજાગર કરી શકે છે, એવું મને લાગે છે.
લઈને હિલ્લોળા નીર જમુના નાં સરખાવે, એની નીલાશ સંગે વાન
વૃંદાવન કુંજે કોઈ ગમતીલા તરુવર ની ડાળી માં ઉગ્યું એક ગાન
સુતી યશોદા ની વેદના ને વીંધી એના ઊંઘરેટા નેણ માં સમાયું
કૌતુક થી રાતે સુતો સુરજ જગાડ્યો, એના કિરણો નું ટોળું આવ્યું આંગણ
નંદજી ને ઘેર આખું આભ ઉતર્યું ને, ડોક ઉંચી કરી જુએ ગોધણ
રાધાએ મખમલિયા પીંછા ને ચૂમ્યું ત્યાં તો, વાંસળીમાં સગપણ છલકાયુ
થોડીવાર પહેલા જ એક મિત્રએ આ ગીત મોકલ્યું. અને સાથે શબ્દોની pdf. ટાઇપ કરતા પહેલા google કર્યું, તો શબ્દો પણ અક્ષરનાદ પરથી મળી ગયા. ગીતનું શીર્ષક વાંચતા જ થયું કે કશે તો આ શબ્દો સાંભળ્યા છે, પણ ગીત નથી સાંભળ્યું, અને તરત જ આ ગીત યાદ આવી ગયું – જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.... એ ગીતની શરૂઆતમાં – પ્રસ્તાવનામાં કવિ શ્રી સુરેન ઠક્કર ‘મેહુલ’ એ આ લોકગીતની છેલ્લી કડીનો ઉલ્લેખ કર્યો છે. તો સાંભળો આ લોકગીત – આશા ભોંસલેના સ્વરમાં… (ગવાયેલા શબ્દો થોડા અલગ છે, પણ લખેલા શબ્દો શ્રી ઝવેરચંદ મેઘાણી દ્રારા સંપાદીત પુસ્તકમાંથી લેવાયેલા હોવાથી બદલ્યા નથી. )
આ ગીતના શબ્દો, અને સાથેની નોંધ (‘રઢિયાળી રાતના રાસ’માંથી) માટે ગોપાલકાકાનો આભાર. અને સાથે આભાર એ મિત્રોનો જેમણે આ ગીતની મોકલ્યું ટહુકો પર વહેંચવા માટે. આ ગીતના બે અલગ અલગ version અહીં મૂક્યા છે, પણ બંને ગીતમાં બધી કડીઓ નથી. બીજા કોઇ ગીતમાં કદાચ વધુ ગવાયેલી કડીઓ મળી રહે.
જળદેવતાને
”રઢિયાળી રાતના રાસ/સં:ઝવેરચંદ મેઘાણી/પાનું:35-36
(જુદાં જુદાં અનેક ગામોનાં જળાશયો વિષે આ કથા છે. નવાણમાં પાણી નથી આવતું; જળદેવતા ભોગ માગે છે :ગામનો ઠાકોર પોતાનાં દીકરા-વહુનું બલિદાન ચડાવે છે. વાત્સલ્યની વેદના, દાંપત્યની વહાલપ અને સમાજ—સુખ કાજે સ્વાર્પણ: એ ત્રણે ભાવથી વિભૂષિત બનીને જળસમાધિ લેનારાં આ વરવધૂએ લોક-જીવનમાં અમર એક અશ્રુગંગા વહાવી દીધી છે. ઘણી પંક્તિઓ પાછળથી ઉમેરાઇ લાગે છે.)
સ્વર – હેમુ ગઢવી
સ્વર – પ્રાણલાલ વ્યાસ
સંગીત – મહેશ-નરેશ
ગુજરાતી ફિલ્મ – વનજારી વાવ (૧૯૭૭)
અને હા – કવિ શ્રી સુન્દરમ્ ની જન્મતિથિ પણ ૨૨મી માર્ચે જ ગઇ..! તો એમને પણ યાદ કરી લઇએ..! મને સાચ્ચે અમદાવાદીઓની ઇર્ષ્યા થાય ઘણી વાર. જુઓ ને, ૨ દિવસ પછી ૪થી એપ્રિલે – કવિ શ્રી સુન્દરમ્ ના ગીતો સ્વરકાર અમરભાઇ પ્રસ્તુત કરશે (ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ – લલિતકલાકેન્દ્ર, અમદાવાદ). ચલો, મારા બદલે તમે જ જઇ આવજો 🙂
તો સાંભળો – કવિ શ્રી સુન્દરમ્ ના શબ્દો, રવિન નાયકનું એવું જ મઝાનું સ્વરાંકન – અને બાળમિત્રોની એટલી જ addictive પ્રસ્તુતિ.
સંગીત: રવિન નાયક
સ્વર: બાળવૃંદ
અમે ગ્યાં’તાં હો રંગના ઓવારે... Lower Yosemite Falls, CA - April 2009
હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.
આજે કવિ શ્રી ડો. દિનેશ શાહના જન્મદિવસે – એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ મઝાનું ગીત..! મને તો ગીતની શરૂઆતનું સંગીત જ ખૂબ ગમી ગયું. કોયલની વાત સાથે સ્વરકારે ટહુકો પણ કેવો મઝાનો પૂર્યો છે આ ગીતમાં..! અને ગીતના શબ્દો પણ એટલા જ મઝાના છે.
ચલો, આજે એક pop quiz – 🙂 તમારામાંથી બળદગાડામાં કોણ બેઠું છે? હું ઘણી જ નાની હોઇશ ત્યારે કદાચ મમ્મી સાથે બેઠી હોઇશ. પણ મને તો કંઈ યાદ નથી. તમારી પાસે કોઇ સંભારણા છે વહેંચવા માટે?