સૌ ને રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!
આવશે, એ આવશે, એ આવશે, એ આવશે.
તુ પ્રતિક્ષામાં અગર શબરીપણું જો વાવશે.
જોગવ કંઇ પણ બને પણ માર્ગ જે છોડે નહી,
હોય પથ્થર તોય એમાં પ્રાણ એ પ્રગટાવશે.
આંખથી નીજને વહાવી બસ ચરણ ધોયા કરો,
ખુદ હલેસુ, નાવ થઇ ભવપાર એ ઉતરાવશે.
આવશે એવાં ભરોસાના હ્રદયસિંહાસને –
પાદુકામાં પ્રાણ પોતાનો મુકી પધરાવશે.
પાંખથી છેક જ કપાયા હોઇએ એવે સમય –
પાંપણેથી પ્રેમનો ઉપચાર એ વરસાવશે.
વાતમાં મધરાતમાં મ્હેક્યા કરે એક જ રટણ,
લઇ શરણમાં એક દિ એ હેતથી નવરાવશે.
ઘોર અંધારૂ તને ઘેરી વળે એવી પળે,
એ ઘટામાંથી અચાનક તેજ પણ ટપકાવશે.
રાહ જોતા જે શીખ્યા એને બીજુ શું આવડે?
સામટુ સોનુ મળે તો એ ય પણ સળગાવશે.
મીટ માંડી જે ઉભા છે એ જ લૂંટે આ મજા,
આભથી ઉતરી બધે અજવાસ એ પથરાવશે.
– કૃષ્ણ દવે
*****************
રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ પ્રસંગે આગળ મુકેલી આ રચનાઓ:
રામ ભજન કર મન – લતા મંગેશકર
નૈનન મેં હો નૈનન મેં રહો – પ્રેમાનંદ સ્વામી
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – તુલસીદાસ <
પ્રગટ થયા પ્રભુ… – પ્રેમાનંદ સ્વામી



