આજનો દિવસ ગુજરાતી કાવ્ય અને સંગીતજગત માટે ખરેખર મહત્વનો ગણાય. આજે કવિશ્રી ઉમાશંકર જોષી અને સંગીતકાર-કવિશ્રી અવિનાશ વ્યાસનો જન્મદિવસ. ( તા. 21 જુલાઇ, 1911 )
તમે તો ગુજરાતી કવિતાની સાથે સાથે સંગીતમાં પણ રસ ધરાવતા હોય, તો પુરુષોત્તમ ઉપાધ્યાય – ચંદુ મટ્ટાણી દ્વારા પ્રદર્શિત ‘સદા અમર અવિનાશ’ આલ્બમ ( ૪ સીડીનો સેટ ) ખરેખર વસાવવા જેવો છે… અવિનાશ વ્યાસની કલમ અને સંગીતને સલામ કરવાનું મન ન થાય તો કહેજો… !!
કહેવાય છે કે અવિનાશ વ્યાસે સમગ્ર ગુજરાતને ગાતુ અને રમતુ કર્યું. એમના કેટલાય એવા ગીતો છે કે જેના વગરના ગુજરાતી સંગીતજગતની કલ્પના મુશ્કેલ થઇ પડે. એચ.એમ.વી દ્વારા પ્રદ્શિત ‘Gujarati Classics’ series માં લતા મંગેશકર, આશા ભોંસલે, મુકેશ, ઉષા મંગેશકર અને પ્રફુલ દવે દ્વારા ગવાયેલા ૬૦ જેટલા ગીતો છે, એમાંથી અડધોઅડધ અવિનાશ વ્યાસ દ્વારા સંગીતબધ્ધ છે. હમણા કોઇક પુસ્તકમાં વાંચ્યુ કે અવિનાશ વ્યાસે ફક્ત ‘રાખના રમકડા’ ગીતની રચના જ કરી હોત, તો પણ એમનું નામ અમર થઇ ગયું હોત…
ચલો, તમારો વધુ સમય નથી લેવો… સાંભળો અવિનાશ વ્યાસની કલમે લખાયેલું અને ખૂબ જ સરસ રીતે સ્વરબધ્ધ થયેલું આ ગીત… અને એમા પુરુષોત્તમ ઉપાધ્યાયનો સ્વર ફળે એટલે પૂછવું જ શું ? જરા સ્પિકરનો અવાજ વધારીને સાંભળજો… મારા જેવા અમુકને તો વગર નવરાત્રીએ હાથમાં ખંજવાળ આવશે… ( દાંડિયા પકડવા માટે હોં..! )
જ્યારે ગુજરાતી સંગીત સાથેનો મારો નાતો ભજનો, ગરબા અને મનહર ઉધાસની ગઝલો પૂરતો જ સીમીત હતો, ત્યારે અમદાવાદના ક્રોસવર્ડમાં મને હસ્તાક્ષર સિરીઝની કેસેટ જોવા મળી, અને એના પર લખેલા શબ્દો :
– વાંચીને મેં એ કેસેટ લઇ લીધી. અને ત્યારથી જ તુષાર શુક્લ મારા ઘણા જ પ્રિય કવિ. એમનું હસ્તાક્ષર આબ્લમ જો ના સાંભળ્યું હોય, તો ખરેખર તમે ઘણું ગુમાવી રહ્યા છો. ધવલભાઇ કહે ને, એમના ગીતો સાંભળી લો તો આખો દિવસ મઘમઘ થઇ જવાની ગેરંટી, એમા જરાય અતિશયોક્તિ નથી.
અને એક મિત્રને ઓળખું છું, જેણે એમણે સંચાલન કર્યું હોય એવા કોઇ દૂરદર્શનના પ્રોગ્રામનું રેકોર્ડિંગ કર્યું છે, અને વારે વારે એ પ્રોગ્રામ જુએ છે, ફક્ત તુષાર શુક્લનું સંચાલન માણવા માટે.