આજે 26મી જાન્યુઆરી, અમર કવિશ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’નો જન્મદિવસ. વિવેકભાઇના શબ્દોમાં ‘જેની કવિતાઓ દરેક પ્રેમીના પાઠ્યપુસ્તકમાં પહેલા પાના પર જ લખાયેલી રહેશે’, એ કવિ પોતાની કવિતા વિષે કંઇક આવું કહે છે.
કવિતા ! મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની જ શક્યો નથી. મને વિચારો ગોઠવતાં આવડતું નથી. મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે. મને મારી કવિતા પણ એવી જ છે. હું જે કંઇ લખું તે મને આનંદ જ આપી શકે તેવુંયે નથી. હું શેલી કે શેક્સપિયર વાંચતો હોઉં છું ત્યારે ઘણી વખત મન થઇ જાય છે જાણે મારી કવિતાને, એ કાગળોને બાળી નાખું.
( તા. 14-1-1898નો પત્ર : ‘કલાપીના 144 પત્રો’ પુસ્તક )
અને સાથે જ વાંચો એમની જીવનઝાંખી, અને એમની બીજી રચનાઓ :
એક વેલીને..
ભોળાં પ્રેમી
ફુલ વીણ સખે!
કવિ કલાપીની પુણ્યતિથિ પર….
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં
એક ઘા
ક્લાપી – રખોપીઆને
કલાપીનાં સંસ્મરણો
કલાપીનો કેકારવ – 1
કલાપીનો કેકારવ – 2









