ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

ભજન/ધૂન/આરતી/ભક્તિપદ


ભજન/ધૂન/આરતી/ભક્તિપદ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

मोको कहाँ ढूंढे रे बन्दे - संत कबीर
एक मंत्र जपते रहो श्याम श्याम श्याम....
मधुराष्ट्कम ॥ - વલ્લભાચાર્ય
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ - નરસિંહ મહેતા
અમથા અમથા - ‘સરોદ’
અસત્યો માંહેથી - ન્હાનાલાલ કવિ
આ નભ ઝૂક્યું તે કાનજી - પ્રિયકાંત મણિયાર
આજની ઘડી રે રળિયામણી - નરસિંહ મહેતા
આજનું બોનસ.... કૃષ્ણગીતો....
આરતી - પ્રભુ શ્રી રામની, મહાકાવ્ય રામાયણની
ઊંચી મેડી તે મારા સંતની રે...
એક જ દે ચિનગારી, મહાનલ ! - હરિહર ભટ્ટ
ઓ ઇશ્વર ભજીએ તને ...
કા'નાને માખણ ભાવે રે.. કા'નાને મીસરી ભાવે...
કાનજી તારી મા કહેશે - નરસિંહ મહેતા
કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા - મીરાંબાઈ
કુમ કુમ શું આભ ખુલ્યું લાગે - વિહાર મજમુદાર
કૃષ્ણગીતો...
કે કાગળ હરિ લખે તો બને - રમેશ પારેખ
ક્યાં રે વસે તુલસી ને ક્યાં રે વસે રામ..
ગુરુજીના નામની માળા - હરિહરાનંદ
ગોવિંદો પ્રાણ અમારો - મીરાંબાઈ
ઘડપણ કેણે મોકલ્યું - નરસિંહ મહેતા
ઘરરર રે ઘમ ઘંટી, બાજરો ને બંટી
જનની જગદાધારિણી મા - વિહાર મજમુદાર
જય જય બોલો આનંદે અંબે માતની રે
જલારામ ધૂન
જળકમળ છાંડી જાને બાળા - નરસિંહ મહેતા
જાગને જાદવા... - નરસિંહ મહેતા
જીવન અંજલી થાજો – કરસનદાસ માણેક
જૂનું તો થયું રે દેવળ - મીરાંબાઈ
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને - નરસિંહ મહેતા
જેનાં મન નવ ડગે - ગંગા સતી
જૈન સ્તવન : ઓ પરમકૃપાળુ પરમેશ્વર
જૈન સ્તવનો
જ્યોત રે જગાવી અમે જલા તારા નામની
ઝેર તો પીધાં જાણી જાણી - મીરાંબાઇ
દાન દે... વરદાન દે... - જયંત પલાણ
દિલદાર છટા દૃગ અટક રહી - શ્રી કૃષ્ણાનંદ સ્વામી
ધન્ય ભાગ્ય - ‘ઉશનસ’
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની - અવિનાશ વ્યાસ
નજર કરું ત્યાં નારાયણ - પુષ્પા વ્યાસ
નવકાર મહામંત્ર
નારાયણનું નામ જ લેતાં - નરસિંહ મહેતા
નિરખને ગગનમાં... - નરસિંહ મહેતા
નૈનન મેં હો નૈનન મેં રહો - પ્રેમાનંદ સ્વામી
પગ ઘુંઘરું બાંધી મીરાં નાચી રે - મીરાંબાઇ
પ્રગટ થયા પ્રભુ... - પ્રેમાનંદ સ્વામી
પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા
પ્રભુ, દેજો - સુન્દરમ
ફૂલડાંની ફોરમને કેમ રે… ? - પ્રેમશંકર ભટ્ટ.
બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો - શ્રીમદ રાજચંદ્ર
ભગવદ્ ગીતા
મંગલ જોઈ મુખડું તારું - જીતેન્દ્ર પારેખ
મંદિર તારું વિશ્વ રૂપાળું - જયંતીલાલ આચાર્ય ‘પુંડરીક’
મન તું શંકર ભજી લે.. - નરસિંહ મહેતા
મનના મેવાડમાં એક રાણો વસે છે - સુરેશ દલાલ
મહામનુ, માંગે શું ચિનગારી
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો - અવિનાશ વ્યાસ
માત ભવાની દુર્ગે - પરેશ ભટ્ટ
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી....
મારા ઝાઝા વંદન જલારામને - મોહન પટેલ
મારા રામ, તમે સીતાજીને તોલે ન આવો - અવિનાશ વ્યાસ
મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે - કેશવ
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે - નરસિંહ મહેતા
યમુનાષ્ટક - વલ્લભાચાર્ય
રંગાઇ જાને રંગમાં…..
રઘુપતિ રાઘવ રાજારામ
રઘુવર ! તુમકો મેરી લાજ - તુલસીદાસ
રાખનાં રમકડાં - અવિનાશ વ્યાસ
રાજા તારા ડુંગરિયા પર - મીરાંબાઈ
રામ ભજન કર મન - લતા મંગેશકર
રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં - નરસિંહ મહેતા
રામદેવપીર નો હેલો..
રામમઢી રે મારી રામમઢી - ઉમાશંકર જોશી
રિધ્ધિ દે સિધ્ધિ દે...
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ - નરસિંહ મહેતા
વિરાટનો હિન્ડોળો - નાન્હાલાલ
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા... (શ્રી આદ્યશક્તિ સ્તવન)
વીજળીને ચમકારે - ગંગા સતી
વૈષ્ણવજન - નરસિંહ મહેતા
શંભુ ચરણે પડી....
શ્રી અંબાજીની આરતી... - શિવાનંદસ્વામી
શ્રી ગુરુને પાયે લાગું - વૈષ્ણવદાસ
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - તુલસીદાસ
શ્રીકૃષ્ણ: શરણં મમ: ...
શ્રીકૃષ્ણચન્દ્ર કૃપાલુ ભજમન - કવિ જયરામ
સમરો મંત્ર બડો નવકાર
સરસ્વતી પ્રાર્થના - પ્રજ્ઞા વશી
સુણી મેં ફરી, તે જ કથા - ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ'
હરિ, દિવાળી કરી ? - રવીન્દ્ર પારેખ
હરિવરને કાગળ લખીએ રે... - ભગવતીકુમાર શર્મા
હું તો કાગળિયાં લખી લખી થાકી
H अँखियाँ हरि दर्शन की प्यासी - सूरदास
H इश्वर अल्लाह तेरे जहांमें ... - जावेद अख्तर
H ओंकार स्वरुपा, सद्‍गुरु समर्था
H भगवान,मोरी नैया... पार लगा देना
H अब मोहे ऐसी आय बनी.. - શ્રી જશવિજયજી
H गुरु बिन कौन बयावे बाट - संत कबीर
H घुंघटका पट खोल - कबीर साहेब
H दमादम मस्त कलंदर........
H मन लागो यार फकिरीमें.. - संत कबीर
H शिवताण्डवस्तोत्रम्
H श्री गणेशाय धीमहि
H सब अपनी अपनी गतमें... - સુંદરમ્
H सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची
H सोउं तो सपने मिलुं, जागुं तो मन मांही - संत कबीर
H ૐ નમ: શિવાય....



નજર કરું ત્યાં નારાયણ - પુષ્પા વ્યાસ

નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ.
પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી!

હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરી.
દીવો પ્રગટયો ત્યાં તો, ટવરક-ટવરક વાતું કરી!

ઘંટી, પાણી, વાસીદું ને, ચૂલો ઘરવખરી.
જયાં જયાં કામે લાગું ત્યાં ત્યાં મંદિર ને ઝાલરી!

ભવખેતરને ખેડી રાખ્યું, કૂવો કાંઠા લગી.
મેં તો વાવી જાર, પાકયાં-મોતી ફાટું ભરી!

અણસમજીમાં જે કંઈ વાવ્યું, બાવળ કે બોરડી.
પાછું વળી જો ત્યાં તો આંબા ને મંજરી!

પોથી, પુસ્તક, શાસ્ત્ર પુરાણે, સાવ જ કાચી ઠરી.
ઢાઈ અક્ષર ધાગો કાઢું તેની તકલી ભરી!

આંગણ વાવું કદંબિયો ને, ઘટમાં યમુના ભરી.
પંડ અમારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી!
- પુષ્પા વ્યાસ

દિવ્ય ભાસ્કર - હયાતિ ના હસ્તાક્ષર માં કવિ શ્રી સુરેશ દલાલ દ્વારા આ રચના નો આસ્વાદ

********
ઈશ્વરનું સ્મરણ એટલું તીવ્ર ને એટલું આત્મીય છે કે નાના મોટા ઘરનાં કામ કરતાં કરતાં પણ મંદિરનું વાતાવરણ રચાય છે અને ઝાલર સંભળાય છે

પુષ્પા વ્યાસ નામ ભલે નવું હોય, પણ એમની કવિતા કોઈ નીવડેલા કવિની હોય એટલી બધી માતબર છે. એમના ગીતના ઉપાડ ભાવિક અને સ્વાભાવિક છે. વાંચતાની સાથે એ ઉપાડ એટલી હદે ગમી ગયા કે જો એ પંકિતઓ ટાંકવા બેસું તો કદાચ એનો પાર ન આવે. હું એમને કદીયે મળ્યો નથી, પણ આ કાવ્યસંગ્રહ વાંરયા પછી મળ્યો નથી એમ કહેવું એ પણ બરાબર નથી. એમની કવિતા દ્વારા પરોક્ષ રીતે જાણે કે એમનામાં વસેલા આંતર-કવયિત્રીને મળ્યા જેટલો જ આનંદ થાય છે.

એમની કવિતામાં કસબ છે, પણ એ જુદો તરી આવે એવો નથી. આ લક્ષણ એમની કવિતાનો ગુણ છે. કસબ જુદો તરી આવે એનો અર્થ એવો કે એ બાહ્ય છે. કવિતા સાથે જ જાણે કે કસબ વણાયેલો છે. એમના લોહીમાં લયનું નિરંતર ભ્રમણ થતું હોય એવું લાગે. મને વહેમ છે અથવા એમ કહું કે મને શ્રદ્ધા છે કે એમને કયાંક ને કયાંક કોઈ કોઈ વાર અથવા અવારનવાર આઘ્યાત્મિક સ્પર્શ થયો જ હશે. નહિતર ગીતના આવા સંધેડાઉતાર ઉપાડ મળી ન શકે. એ કોઈની પરંપરામાં પ્રવેશીને લખતાં નથી, પણ પોતાના ભાવજગતની પરંપરામાં રહીને લખે છે. એ અનુભવને અથવા અનુભવની તીવ્રતા-અનુભૂતિને પોતાના શ્વાસમાં લે છે અને પછી ઉરછ્વાસમાં કવિતારૂપે પ્રગટ કરે છે.

ભલું થજો આત્મીય મોરારિબાપુનું કે એમણે પુષ્પાબહેનને ભાવભર્યોઆગ્રહ કર્યો અને એને પરિણામે આપણને ‘નિંભાડો’ જેવો કાનમાં અને ઘ્યાનમાં વસી જાય એવો પ્રથમ કાવ્યસંગ્રહ તાજેતરમાં મળ્યો. ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્ અને જયાં જયાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપનીની અનાયાસ યાદ આવે છે. કવયિત્રીના મનમાં એક ક્ષણે આવું કશું નહીં હોય. આ ગીત એવી પ્રતીતિ આપે છે કે એમણે લખ્યું નથી પણ એમનાથી સહજપણે, અનાયાસે લખાઈ ગયું છે. હરિ તારાં નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી એ પણ પંકિત ગુંજતી ગુંજતી કાન કને આવે. પણ અહીં તો નારાયણ, હરિ અને પુરુષોત્તમ-આ ત્રણે નામ ત્રિભુવન જેવાં અને આ નામના ઘરમાં જ ઠરવાની વાત છે. કવયિત્રી આપણા એક જમાનામાં જાણીતા કવિ ત્રિભુવન વ્યાસનાં પુત્રી છે. લોહીમાં વહેતો લય હાડકાંમાં કોતરાઈ ગયેલો છે. દરિયાનાં મોજાંની જેમ અથવા સાંજની હવાની લહેરની જેમ એક પછી એક પંકિત આવે છે. ભાષા પરથી કહી શકાય કે કવયિત્રી સૌરાષ્ટ્રનાં છે, નહિતર હૈયાદૂબળી હું મોઢે મોળી એવા શબ્દપ્રયોગ કયાંથી આવે? ઈશ્વરનું સ્મરણ એટલું તીવ્ર ને એટલું આત્મીય છે કે નાના મોટા ઘરનાં કામ કરતાં કરતાં પણ મંદિરનું વાતાવરણ રચાય છે અને ઝાલર સંભળાય છે. કામ કામની રીતે થાય અને નામસ્મરણ નામની રીતે થાય. કોઈ કોઈની આડે આવતું નથી.

ભવખેતરમાં નર્યા સમર્પણથી વાવેલી જાર મોતી થઈને મબલખ લહેરાય છે. આ સમર્પણ એકનિષ્ઠ ભકિતનું પરિણામ છે. જે કંઈ વાવ્યું છે એ જ્ઞાનથી નથી વાવ્યું અથવા સમજણથી પણ નથી વાવ્યું. અણસમજમાં કોઠાસૂઝે જે આવડયું તે કર્યું. આ વાત કવિતાના ક્ષેત્રે પણ સારચી છે. કવયિત્રીએ રીતસરનો શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય અને પછી લખ્યું હોય એવું નથી. ખુદના ખડિયામાં કલમ બોળીને જે આવડે તે લખ્યું છે. અણસમજમાં કદાચ બાવળ કે બોરડી વવાઈ ગયાં હોય પણ ભકિતભાવ એવો કે જયાં જોઉ છું ત્યાં આંબા ને મંજરી જ દેખાય છે. લખતી વખતે કોઈ પોથી, પુસ્તક, શાસ્ત્ર કશું જ કામ નથી આવતું. જીવન જીવવામાં જ્ઞાન ઘણી વાર ઘમંડનું રૂપ લે છે અથવા બોજો બને છે પણ છઠ્ઠી ઈન્દ્રિય આપણને કોઈ અગિયારમી દિશા બતાવે છે. પ્રેમનો અઢી અક્ષર એ પરમેશ્વર થઈને રહી જાય છે. અહીં શ્રદ્ધાની બુલંદી છે અને આ બુલંદી કેવી કે આંગણે કદંબ, ઘટમાં યમુના અને પોતે વાંસળી. પ્રતીતિ એવી કે કૃષ્ણની ફૂંક વાગશે જ.

આ કવયિત્રીનું ‘જાપ નિરંતર’ નામનું એક બીજું ગીત જોઈએ:

ઘણા સમયથી ચપટી વરચે, પૂણી રાખી કાંતું છું.
તારની લંબાઈ પછી હું નિરાંતેથી માપું છું.
ફર ફર કરતો ફરે ફાળકો, અગણિત તારે બાંધું છું.
આવે તો હું હાર બનાવું, કેડે ખોસી રાખું છું.
ફળિયા વરચે કૂવો ગાળી, રેંટ મુકાવી રાખું છું.
ઘડા પછી તો ઘડો નીકળતો, જાપ નિરંતર રાખું છું.

એક વર્ષ પહેલા : મન મળે ત્યાં મેળો...

બે વર્ષ પહેલા : જત જણાવાનું તમને - કમલ શાહ

ચાર વર્ષ પહેલા : રૂબાઇયાત - ઉમર ખૈયામ ( અનુ : શૂન્ય પાલનપૂરી )

मोको कहाँ ढूंढे रे बन्दे - संत कबीर

આજે ગુરુપૂર્ણિમાના દિવસે કબીરજીનું મને ખૂબ જ ગમતું પદ સાંભળીયે. સ્વર અને સ્વરાંકન પણ એવા સરસ છે કે વારંવાર સાંભળવાનું મન ચોક્કસ થાય.

YouTube Preview Image

मोको कहाँ ढूंढे रे बन्दे,
मैं तो तेरे पास में
ना तीरथ में , ना मूरत में
ना एकांत निवास में

ना मन्दिर में , ना मस्जिद में
ना काबे कैलास में
मैं तो तेरे पास में
बन्दे मैं तो तेरे पास में

ना मैं जप में , ना मैं तप में
ना में बरत उपवास में
ना मैं किरिया करम में
रहता नहीं जोग सन्यास में

नहीं प्राण में नहीं पिंड में
ना ब्रह्माण्ड अकास में
ना में प्रकुति प्रवर गुफा में
नहीं स्वसन की स्वांस में

खोजी होए तुरत मिल जाऊं
इक पल की तलास में
कहत कबीर सुनो भाई साधो
में तो हूँ विस्वास में

- संत कबीर
**********

(શબ્દો માટે આભાર : This ‘n That)

એક વર્ષ પહેલા : H छाप तिलक सब छीनी रे मोसे नैना मिलायके. - अमीर खूसरो

બે વર્ષ પહેલા : મહેંફીલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે - કૈલાસ પંડિત

ત્રણ વર્ષ પહેલા : મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત - ગૌરાંગ દિવેટિયા

ચાર વર્ષ પહેલા : સાથે મૂકીને જો - જયેન્દ્ર શેખડીવાળા, આજે થોડી વાતો… મારા વિષે, મારી મેરેથોન વિષે….

રામમઢી રે મારી રામમઢી - ઉમાશંકર જોશી

આજે ૨૧ જુલાઈ એટલે ઉમાશંકર જોશીની જન્મશતાબ્દી છે. એ અવસરે એમની આ યાદગાર રચના…..

આલ્બમ : હસ્તાક્ષર
સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : રવિન્દ્ર સાઠે

This text will be replaced

રામમઢી રે મારી રામમઢી,
ગંગા ને કાંઠે રામમઢી;
રામમઢી રે મારી રામમઢી,
જમુના ને કાંઠે રામમઢી.

કોઈ સંતન આવે મંગલ ગાવે,
અલખ ધૂનરસ રંગ લગાવે;
આવે કોઈ અવધૂત ચઢી,
રામમઢી રે મારી રામમઢી….

રસભર હૈયાની ડોલે નૈયા,
પીયુ પીયુ બોલે પ્રાણ પપૈયા;
ચેતનની વરસંત ઝડી,
રામમઢી રે મારી રામમઢી….

- ઉમાશંકર જોશી

એક વર્ષ પહેલા : હું અમદાવાદનો રિક્ષાવાળો - અવિનાશ વ્યાસ

બે વર્ષ પહેલા : કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું - ઉમાશંકર જોશી

ત્રણ વર્ષ પહેલા : માઇલોના માઇલો મારી અંદર - ઉમાશંકર જોશી , હે....રંગલો - અવિનાશ વ્યાસ

ચાર વર્ષ પહેલા : થોડોએક તડકો - ઉમાશંકર જોષી, તને જાતા જોઈ - અવિનાશ વ્યાસ, ભોમિયા વિના મારે - ઉમાશંકર જોષી

માત ભવાની દુર્ગે - પરેશ ભટ્ટ

આજે જુલાઇ ૧૪, સ્વરકાર શ્રી પરેશ ભટ્ટની પુણ્યતિથિ. તો આજે એમનું આ અદભૂત સ્વરાંકન, એમના પોતાના અવાજમાં સાંભળીને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

સ્વર - સંગીત : પરેશ ભટ્ટ

This text will be replaced

એક વર્ષ પહેલા : જાણીબૂઝીને - હરીન્દ્ર દવે

બે વર્ષ પહેલા : એક પાટણ શહેરની નાર પદમણી - અવિનાશ વ્યાસ

ત્રણ વર્ષ પહેલા : શાંત મનની ખીણમાં - હેમેન શાહ

રાજા તારા ડુંગરિયા પર - મીરાંબાઈ

Last week મા બોલે છે ઝીણા ઝીણા મોર.. - કેશવ રાઠોડ post પર આવેલી પંચમભાઇની ખાસ ફરમાઇશ પર - આજે સાંભળીએ આ મધુર ગીત… પંડિત ઓમકારનાથજીના શિષ્ય શ્રી અતુલ દેસાઈના કંઠે….!

કવિ : મીરાંબાઈ
સ્વર - સંગીત : અતુલ દેસાઈ

This text will be replaced

રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણાં મોર

મોર જો બોલે, પપૈહા જો બોલે
કોયલ કરે કલશોર - બોલે….

માઝમ રાત ને બિજલડી ચમકે
છાઈ ઘટા ઘનઘોર રે - બોલે….

બાઈ મીરાં કહે, પ્રભુ ગિરધર નાગર
તું મારા ચિતડાનો ચોર - બોલે

- મીરાંબાઈ

એક વર્ષ પહેલા : માંડવાની જૂઈ - જીતુભાઇ મહેતા

બે વર્ષ પહેલા : SCHIZOPHRENIA -અશરફ ડબાવાલા

ત્રણ વર્ષ પહેલા : સાંભરણ - માધવ રામાનુજ