|
|
By Jayshree, on December 13th, 2009 in આશિત દેસાઇ , ગીત , ટહુકો , રઘુનાથ બ્રહ્મભટ્ટ , હેમા દેસાઇ |
‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે…. ‘ ગીતના મૂળ રચયિતા, અને ગુજરાતી રંગભૂમિના ગીતો દ્વારા ગુજરાતી પ્રજાને પોતાના શબ્દોનું ઘેલું લગાડનાર ‘રસકવિ’ રઘુનાથ બહ્મભટ્ટનો આજે જન્મદિવસ… આપણા સર્વે તરફથી એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.
‘સાહ્યબો મારો ગુલાબનો છોડ’ આ જ પ્રથમ પંક્તિ તરીકે વાપરીને બીજા પણ કેટલાક ગીતો લખાયા છે…
સાહ્યબો… મારો ગુલાબનો છોડ… - કૈલાસ પંડિત (સંગીતબધ્ધ)
સાહ્યબો મારો ગુલાબનો છોડ - પન્ના નાયક
કવિ વિશે વધુ રસપ્રદ વાતો ભવિષ્યમાં કોઇકવાર ફરી માંડીશું. આજે એમના વિષે - અન્ય કવિઓના શબ્દોમાં….
********
એક રઘુનાથ આવ્યા ને એમણે ગાયું : ‘નાગરવેલીઓ રોપાવ તારા રાજ મહેલોમાં’ ને હજારો ગુર્જર નારીઓએ એને ઝીલી લીધું.
- મહાકવિ નાનાલાલ
********
રસકવિ રઘુનાથભાઇનો સ્નેહ મારી જેમ ઘણા માણસો પામ્યા હશે. એમની આંખમાં અમી ઊભરાતું હોય. ગુજરાતી ભાવગીતોને સમૃધ્ધ આપણી એ કલાકારે.
- ઉમાશંકર જોષી
********
કવિના શરૂઆતના ત્રણ નાટકો, ત્રણેય સફળતા પામ્યાં. આ ખ્યાતિ કોઇપણ ઊગતા લેખકને અભિમાન આપે એવી છે. સદભાગ્યે કવિને અભિમાન તો ન આવ્યું, પણ નાટકો કવિતાપ્રધાન હતાં એટલે જીવનને કવિતાપ્રધાન કરી મુક્યું.
- પ્રભુલાલ દયારામ દ્વિવેદી
********
રસકવિ રઘુનાથનું અર્પણ ગુજરાતી રંગભૂમિનું કાયમનું સંભારણું છે. કવિ ! તમે રંગભૂમિને અતોનાત પ્રેમ કર્યો છે. તમારો આ પ્રેમ અમારી પેઢીને વારસામાં મળ્યો.
- હરીન્દ્ર દવે.
********
કવિ રઘુનાથને ‘રસકવિ’નું બિરૂદ મળ્યું છે. આ નાટ્યલેખકે એકે નાટક ના લ્ખ્યું હોત અને ફક્ત ગીતો લખ્યાં હોત તો એમાંથી એવડો કાવ્યસંગ્રહ જરૂર થાત કે જેથી એ પોતાનું સ્થાન આપમેળે કોઇપણ પ્રતિષ્ઠિત કવિસંમેલનમાં પ્રાપ્ત કરી શકત.
- ચંદ્રવદન ચી. મહેતા
********
અને હા… જુલાઇ ૧૧, ૨૦૦૬ ના દિવસે ટહુકો પર ફક્ત શબ્દો સાથે મુકેલું આ ગીત… આજે આશિત-હેમા દેસાઇના યુગલસ્વરમાં ફરી એકવાર…

This text will be replaced
સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની,
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.
આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી,
કેસરને ક્યારડે કસ્તુરી આ ભળી.
રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ :
ઓઢણી ઓઢી ઉમંગની.
- રઘુનાથ બ્રહ્મભટ્ટ
( જન્મ : ડિસેમ્બર 13, 1892 ; અવસાન : જુલાઇ 11, 1983 )
એક વર્ષ પહેલા : ને મોરલો અધૂરો રહ્યો.. - અનિલ જોશી
બે વર્ષ પહેલા : એક મનગમતો તૂટ્યો સંબંધ - મુકેશ જોષી
ત્રણ વર્ષ પહેલા : એક ખોબો ઝાકળ
નરસિંહ મહેતાની આ ઘણી જ જાણીતી ભક્તિ રચના… અને એ પણ બે અલગ અલગ સ્વરમાં. જો કે આ શબ્દોની સાથે મને બીજી એક સ્વરરચના સૌથી પહેલા યાદ આવે. નાનપણથી હું આ જ ગીતને એક ગાયિકાના અવાજમાં સાંભળતી આવી છું. કદાચ આશા ભોસલે કે લતા મંગેશકરનો અવાજ હશે? જો તમારી પાસે એવું કોઇ રેકોર્ડિંગ હોય તો મને મોકલી શકશો? એમાં અહીં પ્રસ્તુત ગીતો કરતા થોડો ઝડપી ઉપાડ છે, અને નારાયણનું નામ જ લેતા, હો હો હો નારાણયનું નામ જ લેતાં….. એવી રીતે ગવાયું છે.

સ્વર : આશિત દેસાઇ
This text will be replaced
સ્વર : કરસન સગઠિયા
This text will be replaced
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજિયે રે.
કુળને તજિયે કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે;
ભગિનીસુતદારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે.
પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રીરામ રે.
ઋષિપત્ની એ શ્રીહરિ કાજે, તજિયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે.
વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજીને ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃન્દાવનમાં, મોહન સાથે માલી રે.
- નરસિંહ મહેતા
(આભાર : રીડગુજરાતી.કોમ)
એક વર્ષ પહેલા : એ ગીત મારા કહેવાય કઇ રીતે? - ધ્રુવ ભટ્ટ
બે વર્ષ પહેલા : રાતી રાતી પારેવાની આંખડી - વેણીભાઇ પુરોહિત
ત્રણ વર્ષ પહેલા : H डेडी ફિલ્મની ગઝલો
By Jayshree, on December 10th, 2009 in આશિત દેસાઇ , ગઝલ , જલન માતરી , ટહુકો , રઇશ મનીઆર |
થોડા વખત પહેલા ‘ફીલિંગ્સ દીપોત્સવી વિશેષાંક - સંગીત વિશેષ’ વિષે વાત કરી હતી એ યાદ છે? એ જ અંકમા રઇશભાઇએ કેટલીક ગુજરાતી - સંગીતબધ્ધ થયેલી અમર ગઝલો નો આસ્વાદ કરાવ્યો છે. એમાંની એક ગઝલ, સાંભળીએ આશિતભાઇના મઝાના સ્વર-સંગીત સાથે, અને સાથે માણીએ રઇશભાઇના શબ્દોમાં આ ગઝલનો રસાસ્વાદ..!!
સ્વર - સંગીત : આશિત દેસાઇ
This text will be replaced
રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો
ખુદા છે કે નહી હાક મારી તો જો
પલાઠી લગાવીને ના બેસી રહે
તુ મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો
હશે તો ઉઠી દોડવા માંડશે
તુ પ્રારબ્ધને લાત મારી તો જો
ખબર તો પડે મોતીઓ છે કે નહી
તુ સમુંદરમાં ડુબકી લગાવી તો જો
છે મીઠા કે ખારા સમજ તો પડે
જલન ઝાંઝવાઓને ચાખી તો જો
————–
આસ્વાદ : (’ફિલિંગ્સ’ માંથી સાભાર)
જનાબ જલન માતરી ગુજરાતી ભાષાના વિદ્રોહી શાયર છે. ભારતીય સંસ્કૃતિમાં ચાર્વાકની નાસ્તિકતાથી લઇ, ઉપનિષદોના `અહં બ્રહ્માસ્મિ’ સુધીનું વૈવિઘ્યપૂર્ણ તત્ત્વજ્ઞાન ઝીલાયું અને સચવાયું છે. આ ગઝલમાં પણ કવિનો મિજાજ ઇશ્ર્વરના ઐશ્ર્વર્યને અને પ્રારબ્ધવાદના દૈન્યને પડકારે છે. રહસ્યોના પડદાની પાછળ ઓઝલ રહે, એવો ઇશ્ર્વર કવિને ખપતો નથી. જ્યાં જ્યાં પડદા છે ત્યાં પડદાની પાછળ ખરેખર કોઇ છે પણ ખરું ? એવો શક પડે. આ શકનો દાયરો ધર્મપ્રબોધકોએ, મુલ્લાઓ અને પંડિતોએ ઊભો કર્યો છે. ઇશ્ર્વર અનુભવી શકાય એટલો પારદર્શક બની જાય તો મુલ્લાઓ અને પંડિતોની દુકાન કેવી રીતે ચાલે ? તેથી જ દુનિયામા: પડદાઓનો (અને પંડાઓનો) મહિમા છે. `પ્રારબ્ધને લાત મારવાની’ વાત અને `હશે તો ઊઠી દોડવા માંડશે’નો વિચાર અદ્ભુત છે.અને જીવનારાઓમાં જોમ પ્રેરે એવો છે. આટલી બિન્ધાસ્ત રીતે, આટલી બેફિકરાઇથી અને આલી ખુમારીથી પુરુષાર્થનો મહિમા કદાચ બીજી કોઇ કવિતામાં થયો નહીં હોય !
- રઇશ મનીઆર
એક વર્ષ પહેલા : એવું બને કંઇ? - કૃષ્ણ દવે
બે વર્ષ પહેલા : હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં…. - વિનોદ જોષી
ત્રણ વર્ષ પહેલા : પ્રણયનો વિવેક - શૂન્ય પાલનપુરી
By Jayshree, on October 15th, 2009 in આશિત દેસાઇ , ગઝલ , ટહુકો , રમેશ પારેખ , હેમા દેસાઇ |
થોડા વખત પહેલા ટહુકો પર મુકેલી રમેશ પારેખની આ ગઝલ, આજે આશિત-હેમા દેસાઇના યુગલ સ્વરમાં ફરીથી એકવાર… અને આશિતભાઇએ એવી સરસ રીતે સંગીતબધ્ધ કરી છે કે રમેશ પારેખના શબ્દોનો જાદુ પળવારમાં બેવડાઇ જશે.. અરે ! સાચ્ચુ કહું છુ… એકવાર નીચેના પ્લેયર પર ક્લિક તો કરો..!!

( જડભરત ?? ……… Photo : Internet)
* * * * * * *
This text will be replaced
અરે, મારા આ હાથ છે જડભરત ને ઉપર આંગળીઓ અભણ, એકબે
હું જીવતા મનુષ્યો ગણું તો આ આખ્ખા નગરમાં મળે માંડ જણ એકબે
ઉઝરડા અને લોહીલુહાણ આખ્ખાય જીવતરનાં કારણ છે શું ?
મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે : ‘સ્મરણ એકબે’
પરબ કઈ તરફ છે, પરબ કઈ તરફ છે ? તરસથી હવે લોહી ફાટી પડે
નજરમાંથી રણ સ્હેજે ખસતું નથી ને આ હાથોમાં છે ફક્ત ક્ષણ એકબે
ભટકતાં ભટકતાં, બટકતાં બટકતાં, પહોંચ્યોં હું મારા અનાગત સુધી
અપેક્ષાઓ રાખી હતી ધોધની ત્યાં મળ્યાં માંડ સુક્કા ઝરણ એકબે
‘છે અહીં લીલું જંગલ ને ઝરણાં ને પંખી ને કલરવમાં પલળી ગયેલો રમેશ :’
ભીંતે આમ પંક્તિ લખીને હજુયે હું જોઉં (છબીમાં) હરણ એકબે
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ
મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે
એક વર્ષ પહેલા : શરદપૂનમની રાતમાં, ચાંદલીયો ઉગ્યો છે.. - રિષભ Group
બે વર્ષ પહેલા : Vibrant ગુજરાત... , આભને ઝરૂખે.. - ભરત વૈદ્ય
ત્રણ વર્ષ પહેલા : કૃષ્ણ - સુદામાનો મેળાપ : પ્રેમાનંદ
By Jayshree, on September 27th, 2009 in આશિત દેસાઇ , ગરબા , ટહુકો , ભજન/ધૂન/આરતી/ભક્તિપદ |
આજે સાંભળીયે માતાજીની આ સ્તુતિ..!
સ્વર - સંગીત : આશિત દેસાઇ

This text will be replaced
રિધ્ધિ દે સિધ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે,
વંશમે વૃધ્ધિ દે મા ભવાની !
હ્રદયમેં જ્ઞાન દે, ચિત્ત મેં ધ્યાન દે,
અભય વરદાન દે શંભુરાની ;
દુઃખ કો દૂર કર, સુખ ભરપુર કર
આશા સંપૂર્ણ કર, દાસ જાણી ;
સજ્જન સે હિત દે, કુટુંબ સે પ્રીત દે,
જગતમેં જીત દે મા ભવાની !
————–
અને હા.. નવરાત્રીનો છેલ્લો દિવસ છે, ગરબા ના સંભળાવું તો તમને ખોટું લાગશે? ચલો, મારે જોખમ નથી લેવું..! આજે સાંભળો અમિતની ખાસ ફરમાઇશ પર - ફાલ્ગુની પાઠકના નોન-સ્ટોપ ગરબા..!
This text will be replaced
એક વર્ષ પહેલા : ગઝલ ગઇકાલની અને આજની - રઇશ મનીઆર
બે વર્ષ પહેલા : મકાન છે - ગૌરાંગ ઠાકર
ત્રણ વર્ષ પહેલા : સૃષ્ટિ છે એક કોયડો - રમેશ પારેખ, ગોકુળ .... ( નોન સ્ટોપ રાસ ગરબા.. )
|
ભારતીય અને પાકિસ્તાની મૂળના ગઝલકારોને આમંત્રણ...
|
આપના અભિપ્રાયો: