ગાંધી યુગ પછીની કવિ પેઢીને નેતૃત્વ પૂરું પાડનારા સર્વોત્તમ કવિ રાજેન્દ્ર શાહે શનિવાર (જાન્યુઆરી ૨, ૨૦૧૦) ની રાતના સ્વસ્થતા સાથે ‘ખોળિયું બદલવાનો ઉત્સવ છે માટે શોક ન કરતા’ કહેતાં ચિરવિદાય લીધી.
લયસ્તરો પર થોડા દિવસ પહેલા જ પ્રસ્તુત એમનું ગીત ‘નિરુદ્દેશે’ સાથે ધવલભાઇએ કરેલી વાત અહીં સીધી જ ટાંકુ છું:
(Photo: Gujarati Sahitya Parishad)
રાજેન્દ્ર કેશવલાલ શાહ (જન્મ: 28-01-1913, કપડવણજ ) માત્ર સાડાસત્તર વર્ષની ઉંમરે અસહકારની લડત બદલ જેલભેગા થયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામના ગીતોના કારણે જ કવિતા ભણી આકર્ષાયા. અનુગાંધીયુગના પ્રભાવશાળી કવિ. એમની કવિતાઓમાં અધ્યાત્મ, પ્રકૃતિ અને રમ્ય કલ્પનોની તાજગીનો હૃદયંગમ નવોન્મેષ થતો પ્રતીત થાય છે. એમના કાવ્યો લયની લીલાથી, નવીન કથનરીતિથી અને જીવનમર્મના નિરૂપણથી ધ્યાનાકર્ષક બન્યાં છે. ‘રામવૃંદાવની’ તખલ્લુસથી ગઝલો પણ લખી. ( કાવ્યસંગ્રહ: ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘ઉદ્ ગીતિ’, ‘શ્રુતિ’, ‘મધ્યમા’, ‘શાંત કોલાહલ’, ‘ચિત્રણા’ ‘વિષાદને સાદ’, ‘પત્રલેખા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘દક્ષિણા’, ‘પ્રસંગ સપ્તક’, ‘પંચપર્વા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’.)
– ધવલ શાહ (લયસ્તરો.કોમ)
કવિ શ્રીના આત્માની શાંતિ માટે પ્રભુ પ્રાર્થના સાથે, અને એમને અંત:કરણપૂર્વક શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમના કેટલાક યાદગાર ગીતો..
લાગી રે લગન
પિયા! તોરી લાગી રે લગન
.
મને જરા ઝૂંક વાગી ગઇ
માલતીની ફૂલ કુમળી તોયે ડૂખ લાગી ગઇ
.
સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
.





