આ તો લાગણીનું ગામ છે ઓ શ્યામ, એમાં એક જ કેડીએ કેમ ચાલું ?
આ તો મનગમતું રાન છે ઓ શ્યામ, મને ફાવે ત્યાં કેડી કંડારું.
લોકો તો કહે છે કે એક હતી યમુના ને એક હતો યમુનાનો ઘાટ,
એવું યે કહે છે કે એક હતી રાધા ને એક હતો રાધાનો શ્યામ;
આ તો ગમતીલું ગાન છે ઓ શ્યામ, હું જ તારી રાધા તું શ્યામ…
આ તો ગમતીલું ગાન છે ઓ શ્યામ, મને ભાવે તે સૂરમાં લલકારું.
આ તો લાગણીનું ગામ છે ઓ શ્યામ, એમાં એક જ કેડીએ કેમ ચાલું ?
જગમાં તો ઠેર ઠેર મથુરા દેખાય મને, ભીતરમાં ગોકુળીયું ગામ,
એક એક ગોપી મારા અંગે રમે ને થાય રોમરોમ રણઝણીયું ધામ;
એ તો મોરનાં પીંછાનું હતું કામ, હું તો હતી સાવ નાદાન…
એ તો મોરનાં પીંછાનું હતું કામ, કહાન ! એમ કંઈ હું દલડું નહીં આપું !
આ તો લાગણીનું ગામ છે ઓ શ્યામ, એમાં એક જ કેડીએ કેમ ચાલું ?
મને વસવસો છે કે મેં પહોળી નદીને મારી
આંગળીઓમાંથી
પસાર થવા દીધી એક પણ બિંદુ પીધા વિના.
હવે હું પથ્થર થઈને ડૂબતો જાઉં છું.
મને જો કોઇ સંગાથ હોય તો તે કેવળ
નાનકડા પાઇન વૃક્ષનો.
જે કંઇ હું ચાહતો હતો
તે બધાંનો જ નાશ થયો મકાનો સહિત
જે ગઇ ગ્રીષ્મમાં નવાનકોર હતાં
તે પાનખરના પવનમાં ભાંગી પડ્યાં…
કવિ શ્રી હરીન્દ્ર દવેનો કૃષ્ણપ્રેમ આમ તો કોઈથી અજાણ્યો નથી..! એમની અનુભૂતિના કૃષ્ણ વિષે કવિ શું કહે છે – એ તો આ ગીત ‘આ એ જ હશે વૃંદાવન‘ ની પ્રસ્તાવનામાં તમને જણાવ્યું હતું. અને એ પ્રસ્તાવના જે પુસ્તકમાંથી લેવાઈ હતી – ‘મારગે મળ્યા’તા શ્યામ’ – નું શિર્ષકગીત આજે આપણે માણીએ – હિમાલી વ્યાસના મઘ ઝબોળ્યા સ્વરમાં..!
‘આંધળી માનો કાગળ’ ન રચયિતા કવિશ્રી ઈન્દુલાલ ગાંધીનો આજે જન્મદિવસ, તો એમને શ્રધ્ધાંજલી સાથે આજે ફરી એકવાર યાદ કરીએ એમના કલમથી નીકળીને અમર બનેલા આ શબ્દો… મેંહદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત…
આજે આ મઝાનું યુગલગીત તો તમારા માટે લઈ આવી – પણ થોડી તમારી મદદની જરૂર પડશે..!! ‘મેંહદી રંગ લાગ્યો’ – ફિલ્મનું પેલું ‘લાંબો ડગલો મૂછો વાંકડી’ વાળું ‘મેંદી રંગ લાગ્યો… ‘ ગીતના કવિ ઇન્દુલાલ ગાંધી છે – એ વાત લયસ્તરો પરથી જાણી..! (લયસ્તરો પર આ ગીત એના મૂળ શબ્દો સાથે ઉપલબ્ધ છે) તો આ યુગલગીતના કવિ પણ શું ઈન્દુલાલ ગાંધી છે? કે પછી ફિલ્મમાં અવિનાશ વ્યાસનું સંગીત હતું તો આ ગીતના શબ્દો પણ અવિનાશ વ્યાસના છે? તમને ખબર હોય તો જણાવશો?
અને બીજી એક વાત કહું? – પટેલ – પાટીદાર સમાજની સ્થાપના સાથે આ પણ આ ગીત જોડાયેલું છે – એ તમને ખબર છે? લો.. તમે જાતે જ આ લેખ વાંચી લો.! અરે થાંબા થાંબા… પહેલા આ ગીત સાંભળી ને જાવ.:)
અને હા – હજુ એક સવાલ – લતા મંગેશકરની સાથે યુગલસ્વરમાં મન્ના ડે જ છે ને?
સ્વર : લતા મંગેશકર, મન્ના ડે (?)
મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે,
મેંદી રંગ લાગ્યો
હો.. મેંદી મૂકી મેં તો રંગીલી ભાતની
માળવાનો મોર ને ઢેલ ગુજરાતની..
મળ્યો મને મનનો માંગ્યો, કે રંગ મને લાગ્યો,
કે રંગ મને લાગ્યો… કે મેંદી રંગ લાગ્યો..!