પરમેશ્વરે પિંડ ધડ્યા પછી, માનવ એવું નામ આપ્યું, અને સાથે સાથે, રાગ, દ્રેસ, તૃષ્ણા, ક્રોધ, મદ, મોહ, માયા, એવા તત્વો નું ભાથું પણ બંધાવીયું. હિતોપદેશ અને પંચતંત્રની વાર્તાઓમાં, એવો ફલાદેશ છે કે માણસે માણસ થવા, પશુ, પંખી અને પ્રાણીઓના દાખલા લેવા પડે છે. ખુબ ઉંડા મુળ છે માનવ ના વંશવેલા ના, પણ મુળથી સડેલા. સર્જનહારે કેવી કેવી કલ્પનાઓ કરી હશે સર્જન વેળાએ, પણ આ કાળા માથાનાં માનવી એ, પરમેશ્વરની સર્વ ધારણાઓનું ઉન્મુલન કરી નાખ્યું છે. પરસપર ની ખોટી પ્રશંસા, આધાર વગર ના આડંબર, અને કદરૂપ વૃત્તિઓનું વરવું પ્રદર્શન, એ માનવ ના જાણે કે ગુણ થઇ ગયા છે. પરંતુ એ પળ અવશ્ય આવશે, જ્યારે એણે, સર્વસત્તાધિશનું શરણું લેવુ પડશે, અને એના રટણમાં લીન થઇ જવા પડશે.
નરેશન : આપણે માનવી by મેહુલ
સ્વર : ચન્દુ મટ્ટાણી
સંગીત : આશિત દેસાઇ
ગુજરાતી આલબ્મ : ભવતારણમ “Bhav Taranam”
બુરા, જો દેખન મેં ચલીયો, હો…
બુરા, જો દેખન મેં ચલીયો, બુરા ન મિલયો કોઇ
જો તન ઢુંઢ્યો આપનો હો…
જો તન ઢુંઢ્યો આપનો, મુઝસે બુરો ન કોઇ
મનના રે મેલા હો…મનના રે મેલા
આપણે માનવી…હો..મનના રે મેલા…
મુક મીઠેરી, ભો માં તો યે
મુળ તો કડવા મેલા હો…
આપણે માનવી હો…
કઇ ધાતુ થી, ધડનારા યે
આપણા ધાટ ધડેલા હો…
ઘસી ઘસી ને…હો…માંજીએ તો યે
રોજ ના કાટ ચઢેલા…
મનના રે મેલા હો…
વણનારા એ, વણતી વેળા
તાર કેવા વણેલા હો…
ઉજળા એવા…હો…રંગ ચઢાવો
તો યે સદા ફટકેલા…
મનના રે મેલા હો…
અંધ કહે, કદરૂપ જીવ ને
વાહ સા રૂપ તમારા હો…
આપણે અરે રે…હો..હો…મુરખ કેવા
આપણા પર થયા ઘેલા…
મનના રે મેલા હો…