અમરભાઈ પાસે કવિ શ્રી મકરંદ દવેના આ અને બીજા સ્વરાંકનો સાંભળવાની અમૂલ્ય તક અમદાવાદીઓને -આવતી ૧૮મી ડિસેમ્બરે મળશે – એની માહિતી માટે અહીંયા ક્લિક કરો:
કાવ્યસંગીતશ્રેણી : કવિ શ્રી મકરન્દ દવેના કાવ્યોની અમર ભટ્ટ દ્વારા પ્રસ્તુતિ : 18 December – Ahmedabad
એક ગઝલ ગાન સ્વરૂપે –
‘અનાદિ મથામણ છે મારી ગઝલમાં
નશીલું નિવારણ છે મારી ગઝલમાં
ઓછા ગવાતા રાગ સાલગ વરાલી તોડી પર આધારિત આ ગઝલમાં શ્રી પ્રદીપ બારોટની સરોદની સંગત પણ માણો.
સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક
.
અનાદિ મથામણ છે મારી ગઝલમાં,
નશીલું નિવારણ છે મારી ગઝલમાં.
અનામીની થાપણ છે મારી ગઝલમાં,
અભાગીનું ખાંપણ છે મારી ગઝલમાં.
ઉઘાડા ગગનનો શિરે આશરો છે,
ને ધરતીનું ધાવણ છે મારી ગઝલમાં.
નથી જેની માસૂમ નજર નંદવાણી,
કુંવારું એ કામણ છે મારી ગઝલમાં.
તમારી જ ભીતર બિરાજે છે તેની,
ભવોની ભલામણ છે મારી ગઝલમાં.
ફરી દિલની પાંખો ફડફડશે સુણીને,
કંઈ એવું કારણ છે મારી ગઝલમાં.
– મકરંદ દવે



