કુંવારાને તો પરણવાની ઇચ્છા થઇ જ જાય, પણ પરણેલાઓ ને પણ ફરીથી પરણું પરણું થાય, એવું મસ્ત મજાનું ગીત છે. અને નાનકડી ઐશ્વર્યાએ શ્રી આશિત દેસાઇના સંગીત પર આબાદ રીતે આ ગીત રજું કર્યું છે. ‘પછી તમારી ઘરવાળી હું, તમે જ મારા વરજી..!!’ આ શબ્દોમાં પણ એના અવાજમાં એક મુગ્ધા જેવી શરમ, અને સાથે સાથે પ્રેમનું સમર્પણ અને આધિપત્ય આવી જાય છે.
અને આવા સુંદરગીતો compose ત્યારે જ થાય ને, જ્યારે કવિ પોતાની કલમ ચલાવે… કવિ મુકેશ જોષીના શબ્દોને પણ એક સલામ…!!
મને તો હમણા ઇંટરનેટ પરથી ખબર પડી કે આપણી ઐશ્વર્યા – સ્ટાર ટી.વી. ના છોટે ઉસ્તાદ કાર્યક્રમમાં તમને મળી જ હશે.
આમ તો નવરાત્રીના મેદાનમાં કે નોન-સ્ટોપ ગરબામાં આ ગીત સાંભળ્યું જ હશે… ગરબા રમવાનો શોખ હોય એને ગમે ત્યારે નાચવાનું મન થઇ જાય એવું સરસ ગીત છે.. આશા છે કે નવરાત્રી વગર પણ સાંભળવું એટલું જ ગમશે.
સ્વર : શ્રુતિવૃંદ
ગીત : સંગીત : ??
.
હું તો ગઇ’તી મેળે
મન મળી ગયું એની મેળામાં
હૈયું હણાઇ ને ગયું તણાઇ
જોબન ના રેલામાં, મેળામાં… મેળામાં…
ગઇ કાલે તો આપણે દીયર-ભાભીની હોળી પણ રમી લીધી, અને આજે હોળીનો પૈસો માંગવા નીકળ્યા… જરા ઉંધુ ખાતુ થઇ ગયું આ તો, હેં ને ? !! ચલો વાંધો નહીં.. એમ પણ પૈસો માંગીયે જ છીએ ને.. ક્યાં આપવાનો છે.!! 🙂