Category Archives: અજિત મર્ચન્ટ

ઘનશ્યામ નયનમાં – વેણીભાઈ પુરોહિત

આ ગીત મોકલનાર ભાવેશભાઈ પટ્ટનીના શબ્દોમાં આ ગીત વિષે માહિતી…

ઘનશ્યામ ગગનમા ટમટમ તારા ટમકે – મુંબઈમાં ‘આ માસના ગીતો’ કાર્યક્રમમાં ગવાયેલું. સંગીતકાર અજીત મર્ચંટ. પછીથી 1976ની ફિલ્મ ‘ધરતીના છોરુ’ માટે એ ગીત ‘સ્થાયી’ના શબ્દોમાં આ ફેરફાર સાથે લેવાયેલું ‘ઘનશ્યામ નયનમાં, ગુપચુપ ભટકી ભટકી, રે આ વાત અચાનક મલકી, મનની વાત અચાનક મલકી’. બંને અંતરાના શબ્દોમાં કોઈ ફેરફાર ન્હોતો કરવામાં આવ્યો. ફિલ્મ માટે જગજીત સિંઘ અને સુમન કલ્યાણપૂરે ગાયેલું. કોઈને જોઈતું હોય તો મને ઈ મેઈલ કરજો. આ ગીત લા-જવાબ છે, શબ્દો અને સ્વર-રચના બંનેની દ્રષ્ટિએ. સ્થાયીના ફિલ્મના વર્ઝન ઉપરાંત પણ બે વર્ઝન્સ છે. ‘ઘનશ્યામ ગગનમાં ટમ ટમ તારા ટમકે, રે આ રાત અચાનક મલકે, મનની વાત અચાનક મલકે’ અને બીજું ‘ઘનશ્યામ ગગનમાં ટમટમ તારા ટપકી, રે આ રાત અચાનક મલકી, મનની વાત અચાનક મલકી. અમે આજે પણ આ ગીત પ્રાઈવેટ બેઠકો અને જાહેર કાર્યક્રમોમાં રજુ કરીએ છીએ, તે પણ મૂળ શબ્દો વાળા સ્થાયી સાથે, ફિલ્મમાં વપરાયેલા સ્થાયીના શબ્દો સાથે નહીં.

Devendrabhai Pattani – Ushaben Pattani (age above 80) and Late Sanatbhai Pattani kept this song alive through the years. Janmejaybhai Vaidya also sings this song.

સ્વર – જગજીત સીંગ, સુમન કલ્યાણપુર
સંગીત – અજિત મર્ચન્ટ
ગુજરાતી ફિલ્મ – ધરતીના છોરુ (૧૯૭૬)

ઘનશ્યામ નયનમાં ગુપચુપ ભટકી ભટકી
રે આ વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ નયન

મનનું મારૂં માનસરોવર
આવ આવ ઓ હંસી
ઘટગુંબજમાં બજે સુમંજુલ
સુખ વ્યાકુલ સ્વરબંસી
સુમરન જાગત ઝબકી ઝબકી
રે આ વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ નયન

પવન લહર આ પ્રીત બાવરી
નાચત હલકી હલકી
નિશિગંધાની સોડ તજીને
મઘમઘ સોડમ છલકી
ભરભર મિલન ગીતની મટકી
રે આ વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ નયન

– વેણીભાઈ પુરોહિત

મને માર્યા નેણાંના બાણ રે – ગિજુભાઈ વ્યાસ ‘ચૈતન્ય’

સ્વર : ગીતા દત્ત
સંગીત : અજિત મર્ચન્ટ
ગુજરાતી ફીલમ : કરિયાવર (૧૯૪૮)

મને માર્યા નેણાંના બાણ રે
કે મને માર્યા નેણાંના બાણ રે
વાલમજી વાતુંમાં

મને નેહભરે નેણલે નચાવી
વાલમજી વાતુંમાં

મને માર્યા નેણાંના….

પાપણ પલકારતી હા કામણ અદીઠડાં
પ્રીત કેરા કોડ રાજ ઝાઝેરા જાગિયા
મહેરામણ હૈયાના હેલે ચડ્યાં છે આજ
હવે આવ્યા છે અવસર સોહામણાં સોહામણાં
વાલમજી વાતુંમાં

મને માર્યા નેણાંના….

મારા મનને ચંદરવે આજ ચમક્યો ચાંદલિયો
એક અણજાણી વાટમાં દીઠો પાતળિયો
ને મને ઘેલી કીધી ને લજામણી વાતુંમાં
વાલમજી વાતુંમાં

મને માર્યા નેણાંના….

મારા સરવરની પાળ ક્યાંથી આવ્યો વીંઝલણો
મારા આંબાની ડાળ ક્યાંથી આવ્યો આ મોરલો
સોળ કોડે મને ઝૂલે ઝૂલાવી રે
વાલમજી વાતુંમાં

મને માર્યા નેણાંના….

– ગિજુભાઈ વ્યાસ ‘ચૈતન્ય’

(શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ)

શ્રી જગજીતસિંગ ને શ્રધ્ધાંજલી : લાગી રામ ભજનની લગની – વેણીભાઇ પુરોહિત

ગઝલસમ્રાટ શ્રી જગજીત સિંગ હવે આપણી વચ્ચે નથી રહ્યા..! એમને શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ આ ભજન. ફિલ્મ પાર્શ્વગાયન શ્રેતે એમને મળેલો એ પ્રથમ બ્રેક.. સંગીતકાર શ્રી અજિત મર્ચન્ટ – કવિ શ્રી વેણીભાઇ પુરોહિત.

http://www.youtube.com/watch?v=p6UIoF4rtTA

લાગી રામ ભજનની લગની,
કે રમણા થઇ ગઇ છે રગરગની,
લાગી રામ ભજનની લગની

રામનામથી પાવન બનતી
માટી પણ મારગની
રામ મિલનને કાજ રે મનવા
________ (?)

લાગી રામ ભજનની લગની,
કે રમણા થઇ ગઇ છે રગરગની,
લાગી રામ ભજનની લગની

– વેણીભાઇ પુરોહિત

સ્વરકાર શ્રી અજિત મર્ચન્ટનું અવસાન…

હજુ થોડીવાર પહેલા જ જાણવા મળ્યું કે સ્વરકાર શ્રી અજિત મર્ચન્ટ હવે આપણી વચ્ચે નથી રહ્યા..! એમના આત્માની ચિર શાંતિ માટે પ્રભુને હ્રદયપૂર્વક પ્રાથના..!

૩૦ ડિસેમ્બર, ૨૦૧૦ ના દિવસે એમને અને શ્રી દિલિપ ધોળકિઆને – તારી આંખનો અફીણી – ના ગાયક અને સ્વરકાર – ને મુન્શી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. એ વખતે દિવ્ય ભાસ્કરમાં ખાસ એ ગીત અને એના સ્વરકાર-ગાયક વિષેનો આ લેખ રજૂ થયો હતો.

એમની સાથેના એક વાર્તાલાપ વિષેની પોસ્ટમાં ઉર્વીશ કોઠારીએ નીચેનો વિડિયો સાથે લખ્યું હતું..! ‘તારી આંખનો અફીણી’ (ફિલ્મઃ દીવાદાંડી) એ મહાજાણીતા, મહાલોકપ્રિય ગીતના ઓછા જાણીતા સંગીતકાર અજિત મર્ચંટ. અને એ પોસ્ટ સાથે ઉર્વીશભાઇએ મુકેલો વિડિયોની ક્લિપ પણ અહીં રજૂ કરું છું.

એમના સ્વરાંકનો થકી શ્રી અજિત મર્ચન્ટ હંમેશા ગુજરાતીઓના હ્રદયમાં રહેશે. એમના વિષે થોડી વધુ માહિતી અહીંથી મેળવી શકશો.

સુખના સુખડ જલે રે – વેણીભાઇ પુરોહિત

આજે સાંભળીએ વેણીભાઇ પુરોહિતનું આ મઝાનું ગીત, અજિત-નિરૂપમા શેઠના યુગલ સ્વરમાં. વર્ષો જુનું live recording છે, એટલે audio file માં થોડું disturbance આવે છે – ચલાવી લેશો ને? 🙂

સ્વર : અજિત – નિરૂપમા શેઠ
સંગીત : અજિત મર્ચન્ટ

( સુખડ જલે ને થાય….    Photo: Internet)

.

સુખના સુખડ જલે રે મારા મનવા!
દુઃખના બાવળ બળે,
સુખડ જલે ને થાય ભસમની ઢગલી
ને બાવળના કોયલા પડે.
મારા મનવા! તરસ્યા ટોળે વળે.

કોઈનું સુખ ખટરસનું ભોજન,
કોઈ મગન ઉપવાસે;
કોઈનું સુખ આ દુનિયાદારી,
કોઈ મગન સંન્યાસે.
રે મનવા ! કોઇ મગન સંન્યાસે.

સુખના સાધન ને આરાધન
લખ ચકરાવે ચડે રે મારા મનવા!
તરસ્યા ટોળે વળે.

કોઈ પરમારથમાં સુખ શોધે,
કોઈ પરદુઃખે સુખિયા, રે મનવા!
ભગત કરે ભગતીનો ઓછવ,
કોઈ મંદિરના રે મુખિયા.
રે મનવા ! કોઈ મંદિરના મુખિયા.

સમદુખિયાનો શંભુમેળો
ભવમાં ભેળો મળે, મળે રે મારા મનવા!
તરસ્યા ટોળે વળે.

સુખનાં સુખડ જલે રે
મારા મનવા !
દુઃખના બાવળ બળે.

લઈ લે પાયલ પાછું – વેણીભાઈ પુરોહિત

સ્વર : નિરૂપમા શેઠ
સંગીત : અજિત મર્ચન્ટ

.

છુમક છુમક નહીં નાચું
રે ઘાયલ!
લઈ લે પાયલ પાછું.

કાંસાના પોટલિયા
વરચે કંકર પટકે કાયા,
સાગરનાં મોજાંને કયાં છે
એ ધમધમની માયા?

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

બિના છમાછમ ઝરણાં નાચે,
નાચત નભના તારા,
પાયલ કયાં પહેરે છે
કોઈની નાડીના ધબકારા?

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

વનનો મોર અને ઘન-બીજલ
નાચત બિન ઝાંઝરવાં,
ઝાંઝર બિના આ દિલ નાચે
ને બિનઝાંઝર નૈનનવાં:

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

તન નાચે પણ મન ના નાચે,
પગ નાચે પણ પ્રાણ ન નાચે,
ભીતરના ઝંકાર વિનાના
મઝુમમાં નહીં રાચું રે ઘાયલ!
લઈ લે પાયલ પાછું.

– વેણીભાઈ પુરોહિત

સુરેશ દલાલના શબ્દોમાં આ કવિતાનો આસ્વાદ:
યાદ છે ત્યાં સુધી વેણીભાઈ પુરોહિતે આ ગીત ‘વાસવદત્તા’ નામની નૃત્યનાટિકામાં લખ્યું હતું. વેણીભાઈના મોટા ભાગનાં ગીતોને સંગીત અજિત મર્ચન્ટ આપતા. વાસવદત્તાની ભૂમિકા કેળવણીકાર આચાર્ય રમણલાલ વકીલની પુત્રી મીના ભજવતી. વેણીભાઈના શબ્દોમાં શબ્દસંગીત અને ભાવસંગીતની અનાયાસે જુગલબંધી જામતી. સંગીત શબ્દોમાંથી આપમેળે ઝરતું. બાહ્ય સંગીત એ ગીતનો ઠઠારો ન બનતું. વેણીભાઈની કવિતામાં શબ્દો અને સંગીતનો સંબંધ હાથ અને હસ્તારેખા જેવો રહ્યો, જળ અને માછલી જેવો નહીં. એમાં પણ સહેજ જુદાપણું લાગે. આમાં તો જાણે કે શબ્દો અને સંગીતનું દ્વૈત નહીં પણ અદ્વૈત રચાતું.

અહીં કાવ્યનાયિકા ઝાંઝર પાછું આપી દેવાની વાત કરે છે. પાયલ અને ઘાયલ પ્રાસ પણ ગમી જાય એવા છે. પ્રારંભના છુમક છુમક શબ્દો પણ સ્વયમ્ નૃત્યશીલ છે. નહીં નાચવાનું જે કારણ છે તે પણ શુષ્ક તર્કબદ્ધ નથી અને એ તો આ કાવ્યની મજા છે. સ્થૂળ નર્તન અભિપ્રેત નથી. એવી રીતે નાચવું એના કરતાં ન નાચવું સારું. મીરાંએ આ વાતને જુદી રીતે કહી: ‘પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે.’ જયારે ઘૂંઘરું કંકર જેમ કાયા પટકતું હોય અને આપમેળે જૉ અંદરથી માયા છલકતી ન હોય તો એ નાચવાનો અર્થ શું? ખ્યાલ છે ત્યાં સુધી અલિઝાબેથ જેનિંગ્સે કહ્યું છે કે યુ કેન નોટ સેપરેટ ધ ડાન્સર ફ્રોમ ધ ડાન્સ.

પ્રકòતિ કેટલી બધી નર્તનમય છે. ઝરણાં છમાછમ વિના પણ નાચતાં જ હોય છે. પૃથ્વી પર આવું છે તો આકાશમાં તારાઓનું પણ નર્તન દેખાય છે, સંભળાય છે. જીવનમાત્રની નાડીના ધબકારા પાયલ પહેર્યા વિના પણ નાચી શકે છે. પાયલ એ બહારની વસ્તુ છે. લોહીમાં લય હોય તો પછી નર્તન સ્વાભાવિક છે.

વનનો મોર પણ કળા કરીને નાચતો હોય છે એ ઝાંઝર પહેર્યા વિના વાદળ અને વીજળીનું નર્તન પણ જાણવા-માણવા જેવું છે. કારણ વિના ગાલિબની કવિતા વિષેની વિભાવના યાદ આવે છે કે એક કવિતા લખવી એ વીજળીના પગે મહેંદી મૂકવા જેવી વાત છે. પ્રેમીઓની આંખ જયારે શબ્દો વિના રણકતી હોય છે ત્યારે એના અણસારોએ કયાં કોઈ ઝાંઝર પહેર્યા હોય છે? માત્ર શરીર નાચતું હોય અને મનમાં થનગનાટ ન હોય; શરીર નાચે પણ પ્રાણ નાચવાની ના પાડે તો આવા જુઠ્ઠાં નર્તનનો અર્થ જ નથી. ભીતરના ઝંકાર વિનાના રુમઝુમમાં નાચવાનું કે રાચવાનું નાયિકાને મંજૂર નથી.

આ સાથે પ્રહ્લાદ પારેખનું એક ગીત મૂકું છું. જયાં વાત જુદી રીતે કહેવાઈ છે કે જો હૃદયમાં જ અભિમાન હોય તો શિર નમાવવાનો અર્થ શું? આ ગીત પણ સામે મૂકીને વાંચવા જેવું છે. ભાવદૃષ્ટિને અને ભાવસૃષ્ટિને એકમેકની અડખેપડખે મૂકવા જેવી છે.

શું રે કરું હું શીશ નમાવી?
ગર્વથી ઉંચું ઉર રે:

શું કરું સાગર લાવી,
દ્રવે જો નૈન નહીં નિષ્ઠુર રે?

શું રે કરું બીન બજાવી?
અંતરતાર બસૂર રે;

અંગમરોડ હું કેમ કરું,
જો નાચી ઉઠે નવ ઉર રે?

વૈભવ આપી શું રે કરું હું,
હૈયું જો હોયે રંક રે?

રૂપ ફૂલોનાં કેમ સમર્પું?-
અંતરે મલિન રંગ રે.

શું રે કરું હું દીપ પ્રજાળી,
હૈયે નહીં જો નૂર રે?

વાણીપ્રવાહ હું કેમ વહાવું,
જો નહીં પ્રેમનાં પૂર રે?

– પ્રહ્લાદ પારેખ

વનચંપો – બાલમુકુંદ દવે

વગડા વચ્ચે.. આટલા શબ્દો સાંભળીને તમને કયું ગીત યાદ આવે? મને સૌથી પહેલા તો ‘વગડાની વચ્ચે તળાવ.. મનનો માનેલો મારો રસિયો, ગાગરડી મારી ફોળે છે..’ એ યાદ આવે..!! પણ જેમણે અવિનાશ વ્યાસનું આલ્બમ ‘અમર સદા અવિનાશ’ સાંભળ્યું હશે – એને તો ‘વગડાની વચ્ચે વાવડી ને વાવડ્ીની વચ્ચે દાડમળી’ – એ મસ્તીભર્યું ગીત યાદ ન આવે તો જ નવાઇ..!!

પરંતું આપણા ‘Senior Citizen’ મિત્રોને તો સૌથી પહેલા આ ગીત આવે એની guarantee..!

સ્વર : “રોહીણી રોય” (રંજન જોષી), દિલિપ ધોળકિયા
સંગીત : અજિત મર્ચંટ

.

વગડા વચ્ચે તલાવડી રે, તલાવડીની સોડ
ઊગ્યો વનચંપાનો છોડ

વસન્ત આવ્યો વરણાગી રે, ઝૂલે કેસરિયા ઝૂલ
બેઠા વનચંપાને ફૂલ

જલપાનેતર લહેરિયા રે, કમલિની મલકાય
ભમરો ભૂલીભૂલી ભરમાય

વનચંપાની પાંદડી રે, ખીલે ને કરમાય
ભમરો આવે ઊડી જાય

રાતે ખીલે પોયણી રે, પોયણી પૂછે વાત
ચંપા, જીવને શા ઉચાટ

મત પૂછ તું પોયણી રે, સૂની ઉરની વાટ
મનના મન જાણે ઉચાટ

ત્રણે ગુણની તરવેણી રે, રૂપ રંગ ને વાસ
તો યે ભ્રમર ન આવે પાસ

નભથી ચૂએ ચાંદની રે, પોયણી ઢાળે નીર
રોતાં તલાવડીનાં તીર

વગડા વચ્ચે તલાવડી રે, તલાવડીની સોડ
એવો વનચંપાનો છોડ

-બાલમુકુંદ દવે

તારી આંખનો અફીણી – વેણીભાઇ પુરોહિત

લગભગ 13-14 વર્ષની હતી, ત્યારથી અમુક ગુજરાતી ગીતો સાંભળ્યા છે… છેલાજી રે, પંખીડાને આ પીંજરું, એક રજકણ સૂરજ થવાને શમણે, હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું, આજ મારી નણદીએ મેણું માર્યું.. ઘણા ગીતો નો તો ભાવ પણ નો’તો સમજાતો, તો યે મનભરીને મજા લીઘી છે એ ગીતોની. આજે જો એ બધા ગીતો સાંભળવા મળે તો કદાચ બાળપણ પાછું મળ્યું હોય એવી ખુશી થાય.

મારા ગુજરાતી સંગીત પ્રત્યેના લગાવની શરૂઆત ત્યાંથી થયેલી… પરંતુ આજે પણ જો કોઇ મને ગુજરાતીમાં કંઇ ગાવા કહે ( નસીબ સાંભળનારના, બીજુ શું? ) , કે કોઇ પ્રોગ્રામમાં મારે ફરમાઇશ કરવાની હોય, તો મને સૌથી પહેલા યાદ આવતું ગીત એટલે વેણીભાઇ પુરોહિતની કલમે લખાયેલું આ અમર ગીત. “તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી”.

આ ગીતના વખાણ કરવા, કે એના વિષે કંઇક પણ કહેવું એ કદાચ મારા ક્ષમતાની બહાર છે. પણ હા, મને એક વાત કહેવાની ઇચ્છા જરૂર થાય છે. ગુજરાતી પ્રણય ગીતોના કોઇ કાઉન્ટ ડાઉન કાર્યક્રમનું સંચાલન મને આપવામાં આવે, તો મારે એ જ વિચારવું પડે કે 2 થી 10 નંબરમાં કયા કયા ગીતો મુકવા? પ્રથમ સ્થાન તો આ જ ગીત ને મળે.

અને આજે આવું ખાસ ગીત મુક્યં હોય, તો એને જરા વધુ ખાસ બનાવીએ, તો કેવું ?

indian_beauty_PH66_l

સૌથી પહેલા તો સાંભળો દિવાદાંડી ફિલ્મમાં શ્રી દિલિપભાઇ ધોળકિયાના કંઠે ગવાયેલું અને અજિત મર્ચન્ટનું સ્વરાંકિત થયેલું આ ગીત.

.

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

( આ ગીતની બાકીની 4 કળીઓ અહીં મોરપિચ્છ પર વાંચો )

( કવિ પરિચય )