આવતી કાલે જન્માષ્ટમી છે, એ ખુશીમાં થોડા કૃષ્ણગીતોની વણઝાર… કૃષ્ણલીલાના કાવ્યો કે રાધા-કૃષ્ણના કાવ્યો એ કવિઓનો પ્રિય વિષય છે.. ટહુકો પર અત્યાર સુધીમાં આમ તો ૬૫ જેટલા કૃષ્ણગીતો મુક્યા છે… અને બીજા પણ ઘણા ગીતો આપને ભવિષ્યમાં ચોક્કસ સંભળાવીશ જ… આજે તો એમની બસ એક ઝલક માત્ર…!! કાનુડાના સ્વાગતની તૈયારીઓ કરતા કરતા આ થોડા ગીતો સાંભળવાની મઝા આવશે ને?
પ્રજ્ઞા વશીના આલ્બમ ‘સાતત્ય’ ના વિમોચન વખતે આપણે પાર્થિવ ગોહિલ – દ્રવિતા ચોક્સીના સ્વરમાં ‘સજના..‘ ગીત સાંભળ્યું હતું, યાદ છે? એ જ આલ્બમનું બીજું એક મજાનું ગીત આજે સાંભળીએ.
પણ એ પહેલા, આ ગીતના રેકોર્ડિંગ વખતના મેહુલભાઇના સ્ટુડિયોમાં એક ડોકિયું કરી લઇએ..!! મોટાભાગના ગીતોનું આપણને ફક્ત ‘final version’ સાંભળવા મળે..! તો આજે final version ની સાથે સાથે થોડું ‘raw material’ પણ ગમશે ને?
આ ગીતની શરૂઆતમાં મેહુલે જે આલાપ મુક્યો છે, અને પાર્થિવના અવાજમાં જ્યારે એ આપણા સુધી પહોંચે, તો શાસ્ત્રીયમાં કશી ગતાગમ ન પડે એવા લોકો ય ડોલી ઉઠે..! વારંવાર આપણને ય ‘સા ની ગ મ પ સ’… કરવાનું મન થઇ જાય. 🙂
સ્વર – પાર્થિવ ગોહિલ
સંગીત – મેહુલ સુરતી
.
પ્રેમને વિસ્તારવાનું સ્હેજ પણ સહેલું નથી,
નફરતોને નાથવાનું સ્હેજ પણ સહેલું નથી.
દુશ્મનોની ભીડમાં એક દોસ્તને જોયા પછી,
દોસ્તી નિભાવવાનું સ્હેજ પણ સહેલું નથી.
ભીતરે ડૂમો છુપાવી ક્યાં સુધી હસવું ભલા !
રોતી આંખે બોલવાનું સ્હેજ પણ સહેલું નથી.
ક્યાં છે અઘરું ન્યાય કરવું આંખે પાટા બાંધીને,
જુલ્મને સહેતા જવાનું સ્હેજ પણ સહેલું નથી.
શોભિત દેસાઇ આ ગીતની શરૂઆતમાં જ કહે છે એમ – ખોટું લગાડવાનો પણ એક અલગ જ મહિમા, એક અલગ જ મઝા છે. ખરેખર તો કોઇને ખોટું લાગશે એ ખબર હોવા છતાં ‘એમાં હું શું કરું’ કરીને ખસી જવાની મઝા એટલા માટે છે કે કોઇને ખોટું લાગે તો જ તો એમને મનાવવાનો લ્હાવો મળે ને? અને ખોટું લગાડનાર પણ કોઇ મનાવશેની આશા સાથે જ રીસાતા હોય છે. ખબર જ હોય કે કોઇ નથી મનાવવાનું, તો કોઇ ખોટું લગાડે ખરું?
લયસ્તરો પર ઘણા વખત પહેલા વાંચલું ત્યારથી ઘણું જ ગમી ગયેલું ગીત.. અને હમણા થોડા વખત પહેલા એ સંગીત સાથે જડી ગયું..
અને આ સ્વરાંકન અને ધ્વનિત જોષીનો સ્વર એટલો ગમી ગયો કે સવારથી (એટલે કે છેલ્લા ૩ કલાકથી) આ ને આ જ ગીત સાંભળી રહી છું. તમને ગમે કે ન ગમે તો એમાં હું શું કરું? મને ગમ્યુ એ વહેંચવાની ટેવ… 🙂
તને ખોટું જો લાગે તો હું શું કરું?
મને આછકલું અડવાની ટેવ.
હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
તને ભીનું ન લાગે તો હું શું કરું?
મને કોરુંકટ રડવાની ટેવ.
રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
મને ઊછળતા દરિયાની ટેવ.
હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
તારે કહેવી હો હા ને તોય તું શું કરે
તને ના રે ના કરવાની ટેવ.
જન્માષ્ટમી નજીક છે, તો થોડા કાનુડાના ગીતો સાંભળીએ ને? અહીં ચેતનભાઇના સ્વર સાથે જે ગીત છે, એના પરથી શબ્દો લખ્યા છે, જે સ્વર્ગારોહણ પર દક્ષેશભાઇએ મુકેલા શબ્દો કરતા થોડા અલગ છે. (છેલ્લી બે કડી જે ચેતનભાઇએ ગાઇ નથી, એ સ્વર્ગારોહણ પરથી લીધી છે.)
આજ ગીત એકદમ અલગ જ સ્વરાંકન સાથે મેં આશિત દેસાઇના કંઠે પણ સાંભળ્યું છે. મારા ખ્યાલ પ્રમાણે એ રાસબિહારી દેસાઇના સ્વરાંકન માં છે. એ સાંભળવાની પણ એક અલગ જ મઝા છે… થોડા જ દિવસમાં એ ગીત પણ સંભળાવીશ.
આજે સાંભળીએ આ મઝાનું કાનુડા-ગીત ચેતન ગઢવીના સ્વરમાં.
અમદાવાદ થિયેટર ગ્રુપના કલાકારોએ ઝવેરચંદ મેઘાણીના ગીતોનો કાર્યક્રમ કર્યો હતો, એમાંથી આ ગીતનું રેકોર્ડિંગ લેવામાં આવ્યું છે. ખૂબ જ ઓછું સંગીત ખરેખર સ્વર-શબ્દોને ઉજાગર કરવાનું કામ કરે છે. જેનો પિયુજી પરદેશ ગયા છે, એ સ્ત્રી બાળકને તો સુવડાવતી વખતે પવન સાથે કેવી કેવી વાતો કરીને એને ધીરેથી વહેવાનું કહે છે, એવા શબ્દો એક વિજોગણની મનોવ્યથા ખૂબ જ સુંદર રીતે રજુ કરે છે.. ભલે એક સ્ત્રી-ભાવનાનું ગીત છે, પણ રાજૂભાઇ અને સાથી કલાકારોએ અહીં જે રીતે રજુ કર્યું છે, એમણે શબ્દોને અને એના ભાવને સચોટ રીતે ભાવકો સમક્ષ રજુ કરીને કોઇ સ્ત્રી સ્વરની ખોટ નથી સાલવા દીધી.
આ ગીત કોઇએ સંગીતબધ્ધ કર્યું છે ખરું? વાંચતા વાંચતા જ જાણે ગવાઇ જાય એવું મધુરુ ગીત. અને એમાં પણ જ્યારે સાંવરિયા કૃષ્ણ હોય, તો શબ્દોમાંથી આપોઆપ જ ભારોભાર વ્હાલ નીતરે જ ને?
થોડા વખત પહેલા પ્રવિણ બક્ષીની એક રચના, ‘હાં રે અભિસારે નીસરી હું અનંતના…’ સાંભળી હતી, યાદ છે? એમની જ એક બીજી રચના, એજ ગાયકો અને સંગીતકાર ના સ્વરાંકન સાથે સાંભળીએ.. ફરી ફરીને સાંભળવાનું, એમની સાથે ગાવાનું મન થઇ જાય એવી મઝાની રચના..
શ્યામલ મુન્શીને આપણે એક ઉત્તમ સંગીતકાર – ગાયક તરીકે કદાચ વધારે ઓળખીએ છીએ. પણ આ ગીત વાંચીને ખ્યાલ આવશે કે શ્યામલભાઇ એટલા જ મઝાના કવિ પણ છે. અને હા, તમે જો શ્યામલભાઇને એકાદ-વાર પણ મળ્યા હોવ, તો શ્યામલભાઇ આટલી ખડખડાટ હસાવતી કવિતા લખે એ વાતની જરા પણ નવાઇ ના લાગે.. (શ્યામલભાઇ અને રઇશભાઇની હઝલોનું એક આલ્બમ આવવાનું છે, જેની હું ખૂબ આતુરતાથી રાહ જોઇ રહી છું..)
‘ળ ને બદલે ર’ બોલતા ભાઇનું આ ગીત ખરેખર કારજીપૂર્વક સાંભરવું પડે એમ છે.. નહીં તો ગોટારા થવાના પૂલેપૂલા chance છે.. ( મારો ભત્રીજો ઘણીવાર ‘ર ને બદલે લ’ બોલે છે..!! 🙂 )
અને હા, શ્યામલભાઇના અવાજમાં આ ગીતનું રેકોર્ડિંગ ઘણા વખતથી શોધું છું. તમે મદદ કરશો?
* * * * * * *
હું છું મૂરજીભાઈ કારભાઈ ગોરવારા
કારજીપૂર્વક સાંભરજો નહીં તો થશે ગોટારા
વાદરવારી કારી રાતે પુષ્કર થતી વીજરી
વ્યાકુર હતો હું મરવા ત્યાં તો તમે જ ગયા મરી
તમે તો જાણે ખર ખર ખર વહેતી શીતર જરધારા
કારજીપૂર્વક સાંભરજો નહીં તો…….
કારઝાર ઉનારે સરગે છે જ્વારા ઘરમાં
અકરાઈને ઘરવારી બોલે પાણી નથી નરમાં !
રોક્કર ને કકરાટ કરે છે બધાં બારક બીચારાં,
કારજી પૂર્વક સાંભરજો નહી તો…
મેરામાં થી એક કબૂતર લીધું છે મેં કાંસાનું
ઢોર બહુ સુંદર છે પાછું ચરકે છે મજાનું
શાંતિના એ દૂત છે, ધોરા, ભોરા ને રૂપારા
કારજીપૂર્વક સાંભરજો નહીંતો…
મૂર પછી ડાર પછી કુંપર ને કૂમરી કરી
ફૂલ ફૂટે એમામ્થી પીરા ભૂરા ને વાદરી
એને બનાવી મારા, આપી તમને બનાવી મારા
કારજીપૂર્વક સાંભરજો નહીંતો…
(૨૦૦૬ અને ૨૦૦૭ – એ બે વર્ષ તો એ જ ગીત સંભળાવ્યું હતું ને.!) બાળપણની કેટકેટલી મધુરી યાદો સાથે લઇ આવે આ ગીત.. ! ચલો એ ગીત તમે ઉપર ક્લિક કરીને સાંભળી લેજો..! સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
અને આજે સાંભળો આ લોકગીત..
ગાયકો;અરવિદ બારોટ અને મિના પટેલ ….સગીત ;પકજ ભટ્ટ .
જેસલ – તોરલનું નામ ના સાંભળ્યું હોય એવો ગુજરાતી મળે ખરો?
અને ગુજરાતના જાણીતા લોકગીતોની યાદ બનાવીયે તો એમાં આ ગીત પણ ચોક્કસ આવે જ. સાંભળો આ ગીત ચેતન ગઢવી અને સોનલ શાહના સ્વરમાં. નીચે લખેલા શબ્દો ગોપાલકાકાના બ્લોગ પરથી મળ્યા, જે અહીં ગવાયેલા શબ્દો કરતાં થોડા અલગ છે.