ગુજરાતી લોક સંગીત અને ગુજરાતી સાહિત્યના કવિઓ અને કલાકારોએ માત્ર લોકોને મનોરંજન આપવા માટે કામ નથી કર્યુ, પરંતુ કાયમ સમાજને પોતાના સર્જનથી એક સંદેશ આપ્યો છે. ચારણી સાહિત્યના ઉપાસક અને લોક સાહિત્યના એક ખૂબ જ વિદ્વાન કવિ એટલે કવિશ્રી તખદાન ‘અલગારી’. લોકોના હૃદયને સ્પર્શે એવી અનેક રચનાઓ આપી અને ઘણી રચનાઓ ખૂબ જ લોકપ્રિય બની જેમાની એક રચના એટલે કે, “મોજમા રે’વુ”. જાણેકે જીવન જીવવાનો સરળ ભાષામાં એક મંત્ર આપી દિધો હોય એવું ગીત. આ રચના છેલ્લા અનેક દાયકાઓથી ડાયરાના મંચ ઉપર ગવાય છે અને પરમ પુજ્ય મોરારી બાપુ પણ આ રચનાને ઘણી વખત વ્યાસપીઠ ઉપરથી પોતાની કથામા ગાય છે.
પણ, આવી અમુલ્ય રચનાઓ જો માત્ર જુની પેઢી સુધી જ રહેશે અને નવી પઢીને આવા જીવન જીવવાના મંત્ર જેવી અને લોક સંગીતના હીરા જેવી રચનાઓ નહીં મળે તો આ નવી પઢીને અને આપણા ગુજરાતના સંગીત, સાહિત્ય અને સંસ્કૃતીને ખૂબ મોટુ નુકસાન પહોંચશે. અને એટલા જ માટે હું આદિત્ય ગઢવી આ ગીતને નવી પેઢીના મારા યુવાનો સાંભળી, સમજી અને માણી શકે એટલે એને એક નવા અંદાજમા લઇને આવ્યો છું.
માત્ર ઓડીયો જ નહીં પણ વીડીયોમાં પણ એક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે અમે લોકોએ. જીવનમાં માણસને એવી વિકટ પરસ્થિતીઓમાં ઈશ્વર મુકે છે કે જ્યારે તે પોતાના જીવનનો અંત કરવાનો વિચાર કરે છે. જીવનની કોઇ પણ પરિસ્થિતી માણસના મનમાં આ વિચાર ન લાવવી જોઇએ અને એ પરિસ્થિતીમાંથી બહાર નિકળવાની એનામાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઇએ. જેમ ખૂબ દબાણથી કોલસામાંથી હીરો બને, સોનામાંથી દાગીના બનાવવા જેમ એને ખૂબ તપાવવું પડે અને જેમ એક બીજમાંથી એક મોટું વટ્ટવૃક્ષ જન્મે છે એમ જ માણસ પણ સંઘર્ષ અને દુ:ખ સહન કરીને જ મહાન બને છે અને સાચું જીવન જીવ્યો ગણાય છે.
– આદિત્ય ગઢવી
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.
કાર્યક્રમની લિંક –
સ્વર : અમર ભટ્ટ
.
પ્રેમની પીડા તે કોને કહીએ મધુકર પ્રેમની પીડા તે કહીએ
થાતાં ન જાણી પ્રીત,જાતાં પ્રાણ જાયે
હાથનાં કર્યા તે વાગ્યાં હૈયે રે …ઓ મધુકર પ્રેમની પીડા
જેને કહીએ તે તો સર્વે કહે મૂરખ
પસ્તાવો પામીને સહી રહીએ રે …ઓ મધુકર પ્રેમની પીડા
દયા પ્રભુ આવે તો તો સદય સુખ થાય
મુને દુઃખ દીધું એ નંદજી ને છૈયે રે …ઓ મધુકર પ્રેમની પીડા
-દયારામ
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.
જોવાની, સાંભળવાની મજા આવે એવું સુંદર ગીત, એ પણ સિમ્ફનીમાં…. !
શ્યામલ મુનશી દ્વારા લખાયેલ અને રચિત “વરદાન” નું ગુજરાતી વિડિઓ ગીત.
અનુપ્રીત ખાંડેકર દ્વારા સિમ્ફની ગોઠવણ.
શ્યામલ-સૌમિલ દ્વારા કલ્પના
વોકલ સપોર્ટ: અનિકેત ખંડેકર અને અમદાવાદના વિવિધ યુવા પ્રતિભાશાળી ગાયકો.
મૌલિક શાહ અને ઇશિરા પરીખ દ્વારા કથક નૃત્ય નિર્દેશન
ચંદન ઠાકોર અને નિરાલી ઠાકોર દ્વારા ભરતનાટ્યમ નૃત્ય નિર્દેશન
તબલા વિભાગ અમદાવાદના તબલા તાલિમ સંસ્થાની મુંજલ મહેતા દ્વારા સંચાલિત.
દીક્ષિત ઘોડા દ્વારા વીડિયોગ્રાફી.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.
કાર્યક્રમની લિંક –
સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ
.
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.
ટહુકોના ચાહક પલ્લિકાબેને એક ગીત મોકલ્યું છે નાનકડી પ્રસ્તાવના સાથે:
એ અહીં મુકું છું, (રેકોર્ડિંગ એટલું સ્પષ્ટ નથી,પ્રયત્ન કર્યા છે એને સારું કરવાનો)
“આમ તો મારી બહેનો નાં સંગીત નાં સરે આ ગીત એમને નાનપણ માં શીખવાડ્યું હતું, પણ મારાં નાની ને એ એટલું ગમતું કે દર વખતે આખું કુટુંબ ભેગું થાય ત્યારે ગવડાવતાં. ધીરે ધીરે કુટુંબની બધી સ્ત્રીઓ (જેમાંની ઘણી આમે સંગીતમાં પારંગત હતી), અને પછીતો ગાવાનાં શોખીન પુરુષો પણ આ ગીત શીખી ગયા. સ્કુલમાં મમ્મીએ આ ગીત પર દીવા ડાન્સ કરાવ્યો, અને મોટા માસી કીર્તનનાં ક્લાસ ચલાવે, એટલે માસીઓ અને બહેનોએ મળીને રેકોર્ડ કર્યું. હવે નાની નથી (એમની જન્મ શતાબ્દી ઉજવીએ છીએ), પણ હજુએ ખુબ બહોળો પરિવાર જયારે ભેગો થાય છે, ત્યારે આ ગીત ચોક્કસ ગાઈએ છીએ.”
શબ્દ, સ્વરાંકન : ?
સ્વર : ચારૂલતા રેશમવાલા, બીના કાનાણી, ગીતા શ્રોફ અને અન્ય
.
આવશે આ દ્વારે એક વાર, પ્રભુજી મારા આવશે આ દ્વારે એક વાર.
મારા રણકે હૈયાનાં તાર તાર રે, પ્રભુજી મારા આવશે આ દ્વારે એક વાર.
આંગણમાં રમતી રજકણ રૂપેરી પેલી, પગલાંથી ઓપશે અપાર.
નીચાં નમી નમી ને વેલી ને ફૂલડાં ઓ, સૌરભનો દેતાં ઉપહાર.
પ્રભુજી મારા આવશે આ દ્વારે એક વાર.
શીતલ સમીર ની લહેરાતી લહેર લાવે, પ્રભુનાં લેપન ની સુવાસ રે,
ફોરતી એ ફોરમનાં ઉડતાં ફુવારા મારું ભીંજવી દે અંતર પારાવાર.
પ્રભુજી મારા આવશે આ દ્વારે એક વાર.