Category Archives: Sanskrit (संस्कृतम्)

ગ્લૉબલ કવિતા : ૧૦૦ : અમરુશતક

आलोलामलकावलीं विलुलितां बिभ्रच्चलत्कुण्डलं
किञ्चिन्मृष्टविशेषकं तनुतरैः स्वेदाम्भसः शीकरैः ।
तन्व्या यत्सुरतान्तदीप्तनयनं वक्त्रं रतिव्यत्यये
तत्त्वां पातु चिराय किं हरिहरस्कन्दादिभिर्देवतैः ॥३॥

વીંખાયેલ લટો, હલે સહજ જે કાને ધર્યાં કુંડળો,
ભૂંસાયો મુખલેપ ભાલ પરની પ્રસ્વેદ બુંદો થકી
આંખો વિહ્વળ મૈથુનાંત થઈ છે એ તન્વીનું મોઢું જ
દેશે રક્ષણ દીર્ઘકાળ, શું હરિ, મા’દેવ, સ્કંદાદિથી?

तद्वक्राभिमुखं मुखं विनमितं दृष्टिः कृता पादयो-
तस्यालापकुतूहलाकुलतरे श्रोत्रे निरुद्धे मया
पाणिभ्यां च तिरस्कृत सपुलकः स्वेदोद्गमो गण्डयोः
सख्यः किं करवाणि यान्ति शतथा यत्कंचुके संधयः ॥११॥

સન્મુખે મુખ જોઈ મેં મુખ નમાવ્યું, દૃષ્ટિ કીધી પગે,
તેના સાદપિપાસુ કાન ફટ ઢાંક્યા મેં અને હાથથી
સંતાડ્યો પસીનો કપોલ પરનો રોમાંચથી જે થયો,
સૈ! સો બાજુથી કંચુકીની કસ તૂટે; શું કરું, તું કહે.

दंपत्योर्निशि जल्पतोर्गृहशुकेनाकर्णितं यद्वच-
स्तत्प्रातर्गुरुसंनिधौ निगदत: श्रुत्वैव तारं वधूः ।
कर्णालम्बितपद्मरागशकलं विन्यस्य चञ्चवा: पुटे
व्रीडार्ता प्रकरोति दाडिमफलव्याजेन वाग्बन्धनम् ॥१६॥

પ્રેમાલાપ થયો હતો યુગલનો રાતે, શુકે એ સુણી
પ્રાતઃ સૌની સમક્ષ તારસ્વરથી એ બોલવા માંડતા,
કાઢીને મણિ કાનથી તરત એની ચાંચમાં મૂકી દૈ
લાજેલી વહુએ અનારભ્રમથી રોકી દીધી બોલતી.

दृष्ट्वैकासनसंस्थिते प्रियतमे पश्चादुपेत्यादरा
देकस्या नयने निमील्य विहितक्रीडानुबन्धच्छलः
ईषद्वक्रितकंधरः सपुलकः प्रेमोल्लसन्मानसा
मन्तर्हासलसत्कपोलफलकां धूर्तोऽपरां चुम्बति ॥१९॥

જોઈ એક જ આસને પ્રિયતમા બેને, પૂરા માનથી
આંખો પાછળથી જઈ રમતના બા’ને બીડી એકની
ઢાળી ડોક જરા અને પ્રણયના ઉલ્લાસ-રોમાંચ ને
હાસ્યે ફુલ્લ કપોલવાળી અપરાને ધૂર્તે ચૂમી લીધી.

एकस्मिञ्शयने पराङ्मुखतया वीतोत्तरं ताम्यतो-
रन्योन्यं हृदयस्थितेऽप्यनुनये संरक्षतोगौरवम् ।
दंपत्योः शनकैरपाङ्गवलनान्मिश्रीभवंच्चक्षुषो
र्भग्नो मानकलिः सहासरभसं व्यावृत्तकण्ठग्रहः ॥२३॥

બંને એક જ સેજ પે અવળું મોં રાખી, જવાબો વિના
મૂંઝાતા, હૃદયે મનામણું છતાંયે ગર્વ રક્ષી સૂતાં.
થોડી આંખ ફરી, મળી નજર ને ટંટો હતો બેઉમાં
એ આલિંગન સાથ તુર્ત જ તૂટ્યો આવેગથી હાસ્યના.

तस्याः सान्द्रविलेपनस्तनयुगप्रश्लेषमुद्राङ्कितं
किं वक्षश्चरणानतिव्यतिकरव्याजेन गोपाप्यते ।
इत्युक्ते क्व तदित्युदीर्य सहसा तत्संप्रमार्ष्टुं मया
साश्लिष्टा रभसेन तत्सुखवशात्तस्याश्च तद्विस्मृतम् ॥२६॥

જે વિલેપન તેણીના સ્તનપુટે આલિંગતાં લાગ્યું છે
છાતીએ, ચરણે પડી શીદ છુપાવે એ બહાનાં તળે?
કે’તાં આવું, હું તુર્ત ‘ક્યાં છે’ વદતો એ લેપને ભૂંસવા
આલિંગ્યો સહસા, સુખે મગન થૈ તે વાત એ ભૂલી ગૈ.

प्रस्थानं वलयैः कृतं प्रियसखैरस्त्ररैजस्रं गतं
धृत्या न क्षणमासितं व्यवसितं चित्तेन गन्तुं पुरः ।
यातुं निश्चितचेतसि प्रियतमे सर्वे समं प्रस्थिता
गन्तव्ये सति जीवित ! प्रियसुहृत्सार्थः किमु त्यज्यते ॥३५॥

ચાલ્યાં કંગન, આંસુ દોસ્ત સમ પૂંઠે એકધારાં વહે,
ને ધૈર્યે ન ક્ષણાર્ધ ટક્યું, મન તો પે’લાં જ માંડ્યું જવા,
કીધો નિશ્ચય જ્યાં જવા પ્રિયતમે, ચાલ્યાં બધાં સાથમાં,
છે નક્કી જવું સૌનું તો, હૃદય! શા માટે ત્યજે સંઘ તું?

तयाभूदस्माकं प्रथममविभक्ता तनुरियं
ततो न त्वं प्रेयानहमपि हताशा प्रियतमा ।
इदानीं नाथस्त्वं वयमपि कलत्रं किमपरं
मयाप्तं प्राणानां कुलिशकठिनानां फलमिदम् ॥६९॥

હતી પ્રીતિ એવી, તન ઉભયના એક જ હતા
તમે પ્રેમી થૈ ગ્યા, હું થઈ ગઈ આશાહીન પ્રિયા,
તમે બન્યા સ્વામી, હુંય ફકત પત્ની થઈ રહી.
અરે! નક્કી આ વજ્ર સમ મુજ પ્રાણોનું ફળ છે.

અમરુશતક – સ્ત્રી-પુરુષના સંબંધોના અમર શૃંગારકાવ્યો…

પંગોટથી નીકળીને અમે કોર્બેટ જવા નીકળ્યાને રસ્તામાં નૈનિતાલ આવતા અરવિંદ આશ્રમમાં ૨૭ વર્ષ જૂની યાદો તાજી કરવા ગાડી થોભાવડાવી. એવામાં એક ફોન આવ્યો. આ ‘એક વેશ્યાની ગઝલ’ તમે લખી છે? મેં હા કહી અને સામેથી સવાલોની અગનવર્ષા શરૂ થઈ. આ કવિતા કેમ લખી છે, કોના માટે લખી છે, એનો મતલબ શો થાય છે વગેરે વગેરે સવાલોનો જવાબ અચંભિત થઈને હું આપતો ગયો. એ ફોન મૂક્યો ત્યાં બીજો. ફરી એજ સવાલો. ફરી એ જ જવાબો. ત્રીજો ફોન. ચોથો ફોન. સામેથી સૂર બદલાવા માંડ્યો. સવાલો ગાળમાં અને ગાળ ધમકીઓમાં ફેરવાઈ ગઈ. વેશ્યાના જનનાંગ માટે સૂર્યનું પ્રતીક મૂકવા સામે એમને વાંધો પડ્યો હતો. ફોન ઉપાડવાનું બંધ કરી દેવું પડ્યું. છેવટે ફોન સ્વીચ ઑફ કરવાની ફરજ પડી. મારા અને મારા પરિવારને જાનહાનિની ધમકીઓ… ઘર-હૉસ્પિટલને નુકશાન પહોંચાડવાની ધમકીઓ… કવિતા કોઈ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે લખાઈ નહોતી. કવિતા આ પ્રસંગ બન્યો એના બાર વર્ષ પહેલાં લખાઈ ચૂકી હતી, સંગ્રહમાં છપાઈ ચૂકી હતી અને સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી શ્રેષ્ઠ સર્જનાત્મક પુસ્તકના પ્રથમ પારિતોષિક વડે સન્માનવામાં પણ આવી ચૂક્યો હતો. પણ વૉટ્સએપ અને ફેસબુક પર કોઈએ તિખારો મૂક્યો અને આગ કવિના અને કવિપરિવારના જાનમાલને દઝાડવા સુધી આવી પહોંચી. આ આજના ભારતની સહનશીલતા, સંસ્કાર અને સંસ્કૃતિની ભવ્યતાનો તરોતાજા દાખલો છે. આજથી ૧૨૦૦-૧૩૦૦ વર્ષ પહેલાં અમરુ નામનો એક કવિ સંભોગશૃંગારના સોએક શ્લોક લખી ગયો હતો એ શ્લોક આ સંદર્ભ નજર સામે રાખીને જોવા જેવા છે.

આપણી પાસે ભર્તૃહરિના ત્રણ શતક –શૃંગારશતક, નીતિશતક, વૈરાગ્યશતક- ઉપલબ્ધ છે. કવિ મયૂરનું મયૂરશતક એમ અમરુ કે અમરુકનું અમરુશતક. કેટલીક ટીકાઓમાં અમરુશતકના સ્થાને શૃંગારશતક કે શૃંગારદીપિકા નામ પણ જોવા મળે છે પણ ‘અમરુશતકમ્’ નામ જનમાનસમાં એ હદે રુઢ થઈ ચૂક્યું છે કે એ જ યથોચિત લાગે. આશ્ચર્ય થાય પણ એ હકીકત છે કે વિશ્વના શ્રેષ્ઠ સાહિત્યમાંના એક અને વિશ્વની મોટાભાગની ભાષાઓના પાયામાં મહત્ત્વનો ભાગ ભજવનાર પ્રાચીનતમ સંસ્કૃત સાહિત્યની સૌથી નબળી કડી ઇતિહાસ છે. ભાગ્યે જ કોઈ સંસ્કૃત સાહિત્યકારના જીવન વિશે આધારભૂત માહિતી જડી આવે છે. રાજા અમરુ કે અમરુક વિશે પણ માત્ર કિંવદંતીઓ જ હાથ લાગે છે. એવી કથા છે કે આદિ શંકરાચાર્ય દિગ્વિજય માટે કાશ્મીર ગયા ત્યારે લોકોએ એમની પાસે શૃંગારરસવર્ણનની ઇચ્છા વ્યક્ત કરી. શંકરાચાર્ય પરવપુઃપ્રવેશવિદ્યા વડે અમરુ રાજાના મૃતદેહમાં પ્રવેશી રાજાની સો રાણીઓ સાથે કામકેલિ કરીને કામશાસ્ત્રનો પ્રત્યક્ષ અનુભવ મેળવે છે. બીજી એક કથા એવી છે કે મંડનમિશ્રને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા બાદ એમના પત્ની શારદાદેવી શંકરાચાર્યને પડકાર ફેંકે છે અને કામવિષયક પ્રશ્નો પૂછે છે, જેનો જવાબ આપવા માટે એક મહિનાનો સમય માંગી આજીવન બ્રહ્મચારી શંકરાચાર્ય મૃગયા માટે નીકળેલા પણ સિંહનો શિકાર થઈ ગયેલા અમરુરાજાના શરીરમાં યોગવિદ્યાબળે પ્રવેશી કામશાસ્ત્રમાં પ્રવીણ થયા અને ‘અમરુશતક’ રચ્યું. શારદાદેવીએ હાર માનવી પડી. પણ આ વાત આજના સમયમાં પચાવવી અઘરી છે. એવું મનાય છે કે શંકરાચાર્યે નહીં, અમરુ કવિએ જાતે જ આ શતક લખ્યું હશે. અન્ય સંસ્કૃત સાહિત્યકારોના સમયકાળ, રચનારીતિ તથા અમરુના ઉલ્લેખોની હાજરી-ગેરહાજરી પરથી એમ ધારી શકાય કે આ રચનાનો સમયગાળો ઈ.સ. ૭૫૦ની આસપાસનો હશે. પ્રસિદ્ધ વિદ્વાન કે. હ. ધ્રુવ લખે છે: ‘ચાર જ પદમાં રસ જમાવનાર અમરુ કવિનો વૃત્તાંત પણ ચાર જ વાક્યમાં સમાય છે, જે ઈસવીસનના સાતમા સૈકાના છેવટમાં થયો હતો. એ દક્ષિણનો વતની હતો. એ જાતે સુવર્ણકાર હતો. એણે એકલું અમરુશતક રચ્યું છે.’

અમરુ રાજા હતા કે ફક્ત કવિ, ક્યારે થઈ ગયા અને એમણે બીજી કોઈ રચનાઓ કરી છે કે નહીં, એ બધા પ્રશ્નો રેતી પરથી સમયની આટલી લાંબી નદી ફરી વળ્યા બાદ હવે કંઈક અંશે અપ્રસ્તુત પણ છે. અમરુશતકની પણ એકાધિક પ્રત મળે છે, જેમાં શ્લોકોની સંખ્યા, ક્રમ અને ભાષામાં પણ તફાવત જોવા મળે છે. પણ આ તમામ વિપરિતતાને બાદ કર્યા બાદ આપણા હાથમાં જે સોએક શ્લોક હાથમાં રહે છે એ તમામ સો ટચનું સોનું છે અને એ જ આપણી સંસ્કૃતિની સાચી ઉપલબ્ધિ છે. જે લોકો આપણી સંસ્કૃતિના મૂળ સુધી ઊતર્યા જ નથી એ લોકો આજે જ્યારે ભારતદેશની સભ્યતા-સંસ્કૃતિ-સંસ્કારના નામે હુડદમ મચાવીને દેશ આખાને મૂઠ્ઠીમાં દબોચી બેઠા છે, ત્યારે લોકો, લોકશાહી, કાયદો અને સરકારની સહિયારી નિષ્ફળતા અને નિષ્ક્રિયતા આપણી ‘સાચી’ સભ્યતાના ઘોર પતન માટે જવાબદાર બને છે. જે લોકોને દેશનો ઇતિહાસ જ ખબર નથી, એ લોકો વર્તમાનને બાનમાં લઈ બેઠાં છે અને ભવિષ્યને દૂધ પીતું કરી રહ્યાં છે. અને છતી આંખે ભીષ્મ પિતામહની નપુંસકતાથી આપણે સૌ સંસ્કૃતિના નામે થતું આ સરાજાહેર વસ્ત્રાહરણ જોતાં બસ, બેસી જ રહીએ છીએ.. આપણી સંસ્કૃતિ મૂળભૂતપણે ખુલ્લી અને નિખાલસ, નિર્ભીક અને સાચી સંસ્કૃતિ છે. આજે ભારતીય સંસ્કૃતિના નામે આપણે આ જે રોદણા રડીએ છીએ એ હકીકતમાં આપણી સંસ્કૃતિ જ નથી. સંસ્કૃતિના નામે આપણે આજે જે ‘ઇનટોલરન્સ’ (અસહિષ્ણુતા) ફેલાવી છે એના જ દુષ્પરિણામે શેરી-શેરીમાં માસૂમ બાળાઓ વાસનાભૂખ્યા શિકારીઓના હાથે પીંખાઈ રહી છે..

સેક્સનું નામ પડતાં જ આપણા નાકના ટેરવાં ચઢી જાય છે. સેક્સ અનિષ્ટ છે, તો સર્જનહારે એનું સર્જન જ કેમ કર્યું? એકકોષી જીવોને પ્રજનન માટે સંભોગ કરવાની જરૂર પડતી નથી. કુદરતે એવી વ્યવસ્થા આપણા માટે શા માટે ન વિક્સાવી? આદિકવિ વાલ્મિકીરચિત ભારતવર્ષના સૌપ્રથમ મહાકાવ્ય રામાયણમાં જે સમાજનું આલેખન છે એ ચોખલિયો, હીજડો, ગભરાયેલો, હીન સમાજ નથી. બેફામ ભોગવિલાસ ભોગવવામાં અને પોતાની ઈચ્છાઓ અને વાસનાની ચોખ્ખીચટ રજૂઆતમાં આ સમાજને કશો શરમસંકોચ અથવા કોઈ જાતનો દંભ નથી. અહલ્યાને ઇન્દ્ર સ્પષ્ટ કહે છે કે હું તારો સમાગમ ઈચ્છું છું. અહલ્યા પણ ઇન્દ્ર જોડેના અનુભવથી પોતાને બહુ મજા પડી એવું ઉઘાડેછોગે કહે છે. વાલીને હણવા આવેલો દુંદુભિ એને કહે છે, “તું રાત્રે સ્ત્રીઓને ભોગવીને સવારે લડવા આવીશ તો પણ મને વાંધો નથી”. રામાયણને પડતું મૂકો… આપણી કઈ દંતકથા એવી નથી જેમાં કુમારિકાઓ સગર્ભા નથી થઈ કે દેવો અને ઋષિઓ ક્ષણાર્ધમાં કામાંધ નથી થયા યા વીર્ય અને ગર્ભની મનગઢંતરીતે આપ-લે શક્ય થઈ ન હોય?! સેક્સને દૂષણ કહેતી વખતે આપણે ભૂલી કેમ જઈએ છીએ કે કામ અને રતિ તો આપણા આરાધ્યદેવ છે?! આપણી સંસ્કૃતિ વીર્યવાન સંસ્કૃતિ છે. આખી દુનિયામાં કદાચ આપણી પ્રજા જ એકમાત્ર એવી પ્રજા હશે જે ઉત્થાન પામેલા શિશ્ન અને યોનિની પૂજા કરે છે… ખજૂરાહોને લો… શું છે ત્યાં? મંદિરની દીવાલો પર કામક્રીડાનું જે તાદ્દશ ચિત્રણ ખુલ્લા આકાશ નીચે ત્યાં બારસો વર્ષ પહેલાં કરવામાં આવ્યું છે એનાથી વધારે આસનો દુનિયાની કોઈ બ્લ્યુ ફિલ્મમાં પણ જોવા મળવા શક્ય નથી. અજંટા, ઈલોરા, એલિફન્ટા, દેલવાડા કે આપણા કોઈપણ ધર્મના કોઈપણ પુરાણા મંદિરોની દિવાલ પર નિર્વસ્ત્ર અપ્સરાઓ જોવા ન મળે તો કહેજો. જૈન, બુદ્ધ, શૈવાલિક યા કોઈ પણ ધર્મના મંદિરોમાં જઈને આપણે જે કળાને વખાણીએ છીએ એ કળા કપડાની નહીં, નગ્નતાની જ કળા છે. આપણો દેશ આબાલવૃદ્ધ સહુને કામકળા શીખવનાર મહર્ષિ વાત્સ્યાયનના ‘કામસૂત્ર’નો દેશ છે. ભર્તૃહરિના શૃંગારશતક અને અમરુના અમરુશતકનો આ દેશ છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના આ ઉદાત્ત ઉદાહરણો આજે પણ વિશ્વ આખાને દીવાદાંડીની જેમ પ્રકાશ પૂરો પાડે છે….

સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો અમરુશતક એટલે મુક્તક-સંગ્રહ. વિશ્વનાથે તો वाक्यं रसात्मकं काव्यम् કહી જેમાં રસ જન્મે એ તમામ વાક્યોને કાવ્યકરાર આપી દીધો પણ મુક્તક એ સંસ્કૃત કવિતાનો વિશિષ્ટ પ્રકાર છે. મુક્તક એટલે મોતી. ચાર પંક્તિની ગાગરમાં આખો સાગર સમાવે એ મુક્તક. કવિ અમરુ મુક્તક વિશેની આચાર્ય વિશ્વનાથની વ્યાખ્યા छन्दोबद्धपदं तेन मुक्तेन मुक्तम् (છંદોબદ્ધ હોય પણ અન્ય કશીય આકાંક્ષાથી મુક્ત હોય એ મુક્તક)નું યથાર્થ પાલન કરતાં જણાય છે. અહીં છંદ છે પણ પ્રાસ ભાગ્યે જ જોવા મળે છે. છંદવૈવિધ્ય તો છે પણ બહુધા શાર્દૂલવિક્રીડિત છંદ જ પ્રયોજાયો છે. ભાષાની દૃષ્ટિએ અમરુ કદાચ કાલિદાસની હરોળમાં બેસે છે એમ કહીએ તો અનુચિત નથી. બહુ ઓછા સંસ્કૃત કવિઓ પાસે અમરુની સમકક્ષ બેસી શકે એવું ભાષાપ્રભુત્વ છે. અમરુશતકમાં પ્રમુખતઃ વિપ્રલંભશૃંગાર અને સંભોગશૃંગાર જોવા મળે છે. સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધના લગભગ તમામ આયામોને અમરુ બખૂબી સ્પર્શે છે. વિરહ, મિલન, પ્રતીક્ષા, બેવફાઈ, બહુસ્ત્રીત્વ, કલહ, ઈર્ષ્યા, રીસામણાં-મનામણાં અને સ્ત્રીપુરુષ વચ્ચેના સંવેદનોમાં જે કશાની કલ્પના કરી શકાય એ તમામ લાગણીઓ અને પ્રસંગો અહીં જોવા મળી શકે છે. કામ અને કામકેલિ આ સમસ્ત કાવ્યજગતનું કેન્દ્રબિંદુ છે. બધા જ મુક્તકો એની આસપાસ ફરતાં અનુભવાય છે પણ સુચારુતાનો ક્યાંય ભંગ થતો જણાતો નથી. આ મુક્તકો માણીએ તો સમજાય કે હકીકતમાં આર્યાવર્ત ભારત દેશ હકીકતમાં શું હતો અને આજે ક્યાં પહોંચી ગયો છે…

કેટલાક મુક્તક આસ્વાદીએ…

(૧)
આપણા પ્રાચીન કાવ્યોમાં કાવ્યારંભે દેવી-દેવતાઓનો મહિમા કરવાની પરંપરા રહી છે. અમરુશતક તો શૃંગારશતક છે. સંભોગશૃંગારનું કલૌચિત ગાન છે. એટલે અહીં કયા દેવ-દેવીનો મહિમા હોવો જોઈએ એમ જરા વિચારતાં જ ‘વિષય’ ખુલીને સામે આવે છે. અહીં વિષયને subject matter તરીકે પણ લઈ શકાય અને કામભોગના સાધન તરીકે પણ ગણી શકાય. પ્રથમ મુક્તકમાં અંબા અને બીજા મુક્તકમાં કામને બાળનાર શંકરના અગ્નિને સ્મરીને આ ત્રીજા મુક્તકમાં કવિ સહજ હેતુ પર આવે છે. તાજી જ સંભોગથી પરવારી હોય એવી કૃશાંગી કન્યાના રૂપનું વર્ણન અહીં છે. કામકેલિના ઉન્માદના પરિણામે વાળની લટો વીંખાયેલી છે, કાનમાં પહેરેલાં કુંડળો હજીય ધીમું ધીમું હલી રહ્યાં છે, મુખ ઉપર જે ચંદનનો લેપ ક્રીડા પહેલાં હાજર હતો એ ક્રીડાંતે કપાળ પર ઉદ્ભવેલા પસીનાની ઝીણી ચળકતી બુંદોના કારણે ભૂંસાઈ ગયો છે, આંખો હજીય સ્થિર થઈ શકી નથી. કવિ કહે છે કે આવી આ તન્વીનું મુખ જ લાંબા સમય સુધી તમારું રક્ષણ કરશે. વિષ્ણુ, શંકર, કાર્તિકેય કે અન્ય પ્રમુખ દેવતાઓની આરાધના કરવાથી કશું વળવાનું નથી.

(૨)
સંસ્કૃત મુક્તકોની એક વિશેષતા એ છે કે એ ભાવકના પક્ષે પૂરતી સજ્જતા માંગે છે. ઘણી વસ્તુઓ અધ્યાહાર રહેલી હોય છે, એટલે વાચકે બોલનાર કોણ છે, કોને કહે છે અને/અથવા વાતની પશ્ચાદ્ભૂ શું છે એ કવિતાના આધારે સમજવું ફરજિયાત બની રહે છે. અચાનક પ્રિયતમ નજીક આવી ચડ્યો છે. એનું મોઢું પોતાના મોઢાની નજીક આવી ગયેલું જોતાં નાયિકા પોતાનું મોઢું નમાવી દે છે અને દૃષ્ટિ પગ પર ખોડી દે છે. જે કાન પ્રિયતમનો અવાજ સાંભળવા જાણે જનમ-જનમથી તરસ્યા હતા એ કાનને બંધ કરી દે છે. પ્રાણપ્યારાને નિકટવર્તી નિહાળી અચાનક થયેલા રોમાંચના કારણે ગાલ પર જે પસીનો થયો છે એને હાથ વડે ઢાંકી દે છે… ટૂંકમાં પોતે પ્રેમમાં છે પણ પ્રેમ પ્રદર્શિત કરવા મંગતી નથી, રાહ જોઈને જ બેઠી છે પણ પ્રતીક્ષા જાહેર કરવી નથી, સહરાની પ્યાસ લઈને ઝૂરે છે પણ પ્રિયતમને એનો અહેસાસ થવા દેવો નથી. શું કારણ હોઈ શકે? વ્રીડા હોય કે વૃથાભિમાન, રીસ હોય કે અદા – પણ છૂપાવીને છતુ કરવું એ સ્ત્રીની ખાસ લાક્ષણિકતાઓમાંની એક છે. બધી રીતે પોતાની પ્રતીક્ષા, પોતાનો પ્રેમ, પોતાનો ઉલ્લાસ સંતાડવામાં સફળ સ્ત્રી હરખ ન માવાથી ફાટ-ફાટ થતી છાતીના કારણે એની કંચુકીની કસો સો તરફથી તૂટું-તૂટું થાય છે એ સંતાડી શકતી નથી… એટલે સખી આગળ મીઠો છણકો કરતાં પોતાનો બચાવ કરે છે કે મેં મૂઈએ તો ફૂલપ્રુફ તૈયારી કરી હતી પણ વાંક તો આ કાંચળીનો છે, જેણે મારી ચુગલી કરી… કેવો મીઠો બચાવ!

(૩)
ઘરમાં પઢાવેલો પોપટ હોય એની તો વાત જ ન્યારી. આપણે જે કંઈ બોલીએ એના ચાળા જ્યારે એ એના મધમીઠા અવાજમાં પાડે ત્યારે કેવી મજા પડે છે! પણ માની લો કે આ પોપટ તમારા શયનકક્ષમાં છે… હવે? રાત્રે કામકેલિમાં જોતરાતા દંપતિ વચ્ચે જે પ્રેમાલાપ થાય એ કેટલો અંગત હોય! જે ભાષા જાહેરમાં વાપરતાં સંકોચ થાય એ સંકોચના આવરણ શયનકક્ષના મીઠા એકાંતમાં વસ્ત્રોની સાથોસાથ જ ઊતરી જતાં હોય છે. પણ પોપટ આ વાત સાંભળી જાય અને બીજા દિવસે સવારે સાસુ-સસરા કે અન્ય વડીલો દીવાનખંડમાં બેઠા હોય એમની ઉપસ્થિતિમાં મોટા અવાજે બોલવા માંડે ત્યારે કેવી ક્ષોભજનક પરિસ્થિતિ સર્જાય! પણ વહુ હોંશિયાર છે. પોપટ પોતાની રતિક્રીડાના વટાણાં વેરી રહ્યો છે એ જોઈને શરમની મારી પણ અત્યંત ચપળ વહુ સમયસૂચકતા વાપરીને કાનમાં પહેરેલી બુટ્ટીમાંના માણેકનો નંગ કાઢીને તુર્ત જ એની ચાંચમાં મૂકી દે છે અને દાડમનો દાણો ચાંચમાં મૂકી રહી હોવાનો ભ્રમ ઊભો કરી પોપટને છેતરીને એની બોલતી બંધ કરી દે છે. ચાર પંક્તિના શ્લોકમાં સાવ સરળ લાગતી ક્રિયા રજૂ કરીને કવિ અમરુ એક ઉત્તમ ચિત્રકારની પેઠે અદભુત અને સર્વાંગસંપૂર્ણ શબ્દચિત્ર ખડું કરે છે.

(૪)
પોલિગામી-બહુસ્ત્રીત્વ શબ્દ તો હવે ચલણમાં આવ્યો પણ ભારતીય સંસ્કૃતિમાં તો બહુપત્નીત્વની રસમ શરૂથી જ છે. દ્રૌપદીના કેસમાં બહુપતિત્વ પણ જોવા મળે છે. ચાલ ગમે તે હોય પણ એકાધિક પ્રિય પાત્રને અન્યોન્યની હાજરીમાં એકસાથે ખુશ કરવાની કળા તો કદાચ સાક્ષાત્ કૃષ્ણનેય હાંસિલ નહોતી. સત્યભામા અને રુક્મણીની વચ્ચેનો ખટરાગ એ કદી દૂર કરી શક્યા નહોતા. એમણે પારિજાતનું ઝાડ પણ એકના આંગણામાં વાવવું પડ્યું હતું અને ફૂલ બીજીના આંગણામાં પડે એવી વ્યવસ્થા કરવી પડી હતી. અમરુનો નાયક કૃષ્ણથીય અદકું ચાતુર્ય દાખવે છે. બે પ્રિયતમાઓને એક જ આસન પર બેઠેલી એ પાછળથી જોઈ જાય છે. નાયક પ્રેમનો માર્યો છે એટલે નજીક ગયા વિના રહી શકાય એમ નથી ને નજીક જાય તો બંનેને એકીસાથે ખુશ કરી શકાય એ શક્ય નથી. એટલે ચાલાકીથી પાછળથી નજીક જઈને પૂરા આદરભાવ સાથે એ એક પ્રેયસીની બંને આંખો રમત કરી રહ્યો હોવાના ઓઠાં હેઠળ બે હાથ વડે ઢાંકી દે છે અને ડોકી વાંકી વાળીને બાજુમાં જ બેઠેલી બીજી પ્રેયસીને ચૂમી લે છે. ચુંબન મેળવનાર પ્રેયસી એમ સમજે છે કે આ તો ખાલી મને જ પ્રેમ કરે છે ને એટલે પ્રેમોલ્લાસ અને રોમાંચથી છલકાવાના કારણે એના ચહેરા પર હાસ્ય ફરી વળે છે જેના કારણે એના ગાલ ફૂલી જાય છે, અર્થાત્ એના ચહેરા પર એક નવી જ રંગત આવી જાય છે. પહેલી એમ સમજે છે કે આ મને જ ચાહે છે કેમકે બે જણ સાથે હતાં તોય એણે મારી જ આંખ મસ્તીથી દબાવી, ને બીજી એમ સમજે છે કે મને ચૂમવા આણે પેલીને મૂર્ખ બનાવી. હકીકતમાં નાયકથી વધીને કોઈ ધૂતારો નથી જે એક કાંકરે બે પક્ષી મારવામાં સફળ થાય છે.

(૫)
હૈયે પ્યાર પણ હોઠે ઇન્કારનું મધૂરું ચિત્ર. પતિ-પત્ની બંને વચ્ચે કોઈક ઝઘડો થયો છે. પરસ્પરની માનહાનિ થઈ છે. પરિણામે બંને જણ સૂતાં તો છે એક જ પથારીમાં પણ મોઢું એકબીજાથી ઊલટી દિશામાં કરીને. જે તકલીફ ઊભી થઈ છે એ માટેના કોઈ જવાબ પાસે ન હોવાથી બંને મૂંઝાઈ રહ્યાં છે. દિલમાં તો એકબીજાને મનાવી લેવાની ને માની જવાની અસીમ ઉત્કંઠા છે પણ પહેલ કરીને નીચું કોણ નમે વિચારી બંને પોતપોતાના કહેવાતા ગૌરવની ખોખલી રક્ષા કરી રહ્યાં છે. પણ જીવ તો બેચેન છે. પોતે શું નથી કરતું એ કરતાં સામું પાત્ર શું કરે છે એ જાણવા-જોવાની ઉત્કંઠા બંને છેડે સમાન છે. પોતે તો મોઢું ફેરવી લીધું છે પણ સામું પાત્ર પલટીને પોતાના તરફ જુએ છે કે નહીં એ જાણવાનો લોભ બેમાંથી એકે ખાળી શકતાં નથી. પરિણામે બંને જણ આંખના ખૂણા પલટાવે છે અને અનાયાસ બંનેની નજર એકમેક સાથે ટકરાય છે. ઝઘડો તો થયો જ છે, નારાજગી પણ છે જ પણ પ્રેમની લાગણી આ તમામની ઉપર સર્વોપરિ સિદ્ધ થાય છે. બંને વચ્ચે તારામૈત્રક રચાતાં જ ન જડતાં જવાબોની કે મનામણાંની કશી જરૂર જ ન રહી. વૃથા અભિમાનનો આડંબર તત્ક્ષણ નાશ પામે છે અને બંને જણ પોતાની મૂર્ખતા પર આવેગપૂર્ણ હસીને એકમેકને ગળે લાગે છે. શબ્દોની સરહદ વટી જાય છે ત્યાંથી પ્રેમનો પ્રદેશ શરૂ થાય છે…

(૬)
અહીં પણ પૉલિગામીનો જ કિસ્સો છે. બે પત્નીઓ છે, કે બે પ્રેયસી કે એક પત્ની અને એક પ્રેયસી એ હકીકત છતી થતી નથી ને એની જરૂર પણ નથી, પણ એટલું જરૂર સમજાય છે કે જે સ્ત્રી પાસે પુરુષ આવ્યો છે એ સ્ત્રી પુરુષના અપરા સાથેના સંબંધથી અનભિજ્ઞ નથી. પુરુષ એક સ્ત્રી સાથે સંભોગ કરીને પરત આવ્યો છે. પેલીના સ્તનમંડળ પર ચંદનનો ગાઢો લેપ હશે તે ક્રીડા દરમિયાન પુરુષની છાતી પર લાગી ગયો છે. કામના નશામાં ચકચૂર પુરુષના મનોમસ્તિષ્ક પર આ વાત આવી નથી અને અનંગવેગ હજી ટાઢો પડ્યો નથી એટલે એ જ હાલતમાં એ બીજી સ્ત્રી પાસે આવી ચડે છે અને એની રૂબરૂ થતાં જ એને સહસા પેલો ચંદનલેપ યાદ આવે છે એટલે પગે પડવાને બહાને એ છાતી અને આબરૂ –બંને છૂપાવવા મથે છે. પણ સ્ત્રીની આંખોમાં કુદરતે રડારયંત્ર મૂક્યું છે એની એને જાણ નથી. પેલી તરત જ ઉધડો લેતાં પૂછે છે કે પેલીને આલિંગતાં એના સ્તનપુટ પર જે લેપ હતો એ તારી છાતી પર લાગ્યો છે એ શા માટે મારા ચરણે પડવાના ઓથા હેઠળ છૂપાવે છે? પણ જો સ્ત્રીની આંખોમાં રડાર છે તો બેવફા પુરુષને કુદરત પડતો ચતુર પણ બનાવે છે. જેવો આવો પ્રશ્ન સામે થી આવ્યો કે તરત જ ક્યાં છે, ક્યાં છે કરતોક પુરુષ સ્ત્રીને એ લેપ ભૂંસી નાંખવા જોરથી સાહસ કરીને આલિંગે છે. અને જુઓ પ્રેમની રીત! હજી ક્ષણભર માટે પુરુષમાં બેવફાઈના પ્રમાણ શોધી ટોણો મારતી સ્ત્રી આલિંગનના સુખમાં એવી ખોવાઈ જાય છે કે એ પેલી લેપવાળી આખી વાત જ ભૂલી જાય છે… ખેર, પરસ્પરના સુખમાં મગન થઈ જઈને અરસપરસનાને ભૂલી જવું એ જ તો છે જિંદગી.

(૭)
પ્રિયતમે જવાનું નક્કી કરી લીધું છે. પણ અહીં વિરહ છે, વિસંવાદ નથી, જુદાઈ છે, પ્રેમવિચ્છેદ નથી એ મુક્તકમાંથી પસાર થતાં સમજાઈ જાય છે. પ્રિયતમના જવાની તૈયારીઓ ઘણા દિવસોથી ચાલતી હોવી જોઈએ કેમકે છૂટા પડવાનો દિવસ જેમ જેમ નજીક આવતો જાય છે, સ્ત્રી દૂબળી પડતી જાય છે. અંતે જ્યારે છૂટા થવાનો સમય આવી ચડે છે ત્યારે શરીર સૂકાઈને કાંટો થઈ ગયું હોવાથી પહેલાં જે કંગન હાથમાં રોફભેર ખણકતાં હતાં એ હાથ પાતળો થઈ ગયો હોવાથી હાથથી નીકળીને પડી જાય છે. હેમચંદ્રાચાર્યનો દૂહો યાદ આવે:

વાયસુ ઉડ્ડાવંતિઅએ પિયુ દિઠ્ઠઉ સહસત્તિ,
અદ્ધા વલયા મહિહિ ગય અદ્ધા ફુટ્ટ તડત્તિ !
(વાયસ ઉડાવનારીએ પિયુ દીઠો સહસા જ,
અડધા કંકણ ભૂમિમાં, અડધા તૂટ્યાં ત્યાં જ !)

સ્ત્રીના દરેક સંકટ સમયના સાથી ગણાતા પ્રિય સખા જેવા આંસુઓ પણ પ્રિયતમની પાછળ એકધારાં વહી રહ્યાં છે. ધીરજ તો ક્ષણભર પણ ટકતી નથી. મન તો આ બધાથી પહેલાં જ સાથ છોડી પ્રિયતમ સાથે ચાલ્યું ગયું હતું. આમ, પ્રિયતમે જવાનું નક્કી કર્યું ત્યારે એક પછી એક બધાએ એની સાથે જવા માંડ્યું. સ્ત્રી પોતાના હૃદયને પ્રશ્ન કરે છે: જો બધાનું જવાનું નક્કી જ છે તો તું શા માટે આ કાફલાનો સાથ છોડે છે? તું પણ કેમ સાથે ચાલ્યું નથી જતું? પ્રિયના વિરહમાં પોતે મરી કેમ નથી જતી એ વિડંબના નાયિકાને અકળાવે છે. પ્રિય પાત્ર વિનાની જિંદગી એ જિંદગી કે સાક્ષાત્ મોત જ? પ્રોષિતભર્તૃકા માટે પિયુવિરહમાં જીવવું અશક્ય થઈ પડનાર છે એ વાત સમજાતાં જ અમરુના કવિત્વની શ્રેષ્ઠતા માટે માન થઈ આવે છે.

(૮)
પ્રેમ ગમે એટલો પ્રબળ કેમ ન હોય, સમયના હાથે ટોચાઈ-ટોચાઈને એ હતો-ન હતો જરૂર થઈ જાય છે. સમયના છીણી-હથોડા સમય જતાં પ્રેમના શિલ્પને કોરી-કોરીને નવો જ આકાર આપી દે છે એ વાત અમરુ બહુ અદભૂત રીતે સમજાવે છે. નાયિકા કહે છે કે પહેલાં આપણાં બેઉ વચ્ચેનો પ્રેમ એટલો બધો ગાઢ હતો કે આપણે બે અવિભક્ત હતાં, અદ્વૈતાવસ્થાએ હતાં. પણ પછી સમય વીતતાં તમે પ્રેમી બની ગયા અને હું હતાશ પ્રિય બનીને રહી ગઈ. અદ્વૈતમાંથી આ દ્વૈતગતિ નાયિકાને કષ્ટ આપે છે. પણ આ કષ્ટ પણ કંઈક અંશે સહ્ય હતું. સમસ્યા તો ત્યારે સર્જાઈ જ્યારે પુરુષ પ્રેમીમાંથી કાળક્રમે નાથ-સ્વામી-ધણી બની ગયો અને સ્ત્રીના ભાગ્યે આશાહીન પ્રિયામાંથી પત્ની-ક્લત્ર બનવાનું આવ્યું. સ્ત્રીને તકલીફ એ છે કે આવો સમય, આવું પરિવર્તન આવ્યાં છતાં એ હજી જીવી રહી છે, એનું હૃદય બંધ નથી પડી ગયું. નક્કી એનું પ્યારું હૃદય વજ્ર સમાન કઠિન હોવું જોઈએ અને આવા કઠોર હૃદયનું જ આ ફળ છે કે જીવનમાં આવો અસહ્ય બદલાવ-અલગાવ આવી ગયો હોવા છતાં એના પ્રાણ છૂટતાં નથી…

श्री महालक्ष्मी अष्टकम् स्तोत्रम्

દિપોત્સવી પર્વ દિવાળીના આગમનને ભવ્યાતિભવ્ય આવકાર આપવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. પુષ્ય નક્ષત્રની સાથે દિવાળીના વિવિધ શુભ મૂહુર્તો, દિવસોનો આરંભ થઇ ગયો છે. દિવાળીના જ એક મહત્ત્વના મૂહુર્ત તરીકે ગણવામાં આવતી ધનતેરસની આજે રવિવારે ભવ્ય ઉજવણી કરતા સૌ મિત્રોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ !….ધનતેરસ નિમિત્તે મહાલક્ષ્મીજીની કૃપા તથા આર્થિ‌ક સમૃદ્ધિ મેળવવા श्री महालक्ष्मी अष्टकम् स्तोत्रम् સાંભળીએ….

સ્વર – સાધના સરગમ

સ્વર – ?

नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते।
शङ्ख चक्र गदाहस्ते महालक्ष्मि नमोऽस्तुते ते॥१॥
Oh, Mahamaya (primordial cause of this illusionary world), who bestows all luxuries, who is worshipped by demi-gods, who holds conch-shell, discus (chakra) and mace, Oh mother Mahaalakshmi, my salutations to you.

नमस्ते गरुड़ारूढ़े कोलासुर भयङ्करि।
सर्वपाप हरे देवि महालक्ष्मि नमोऽस्तुते॥२॥
Oh Goddess, Mahaalakshmi, who rides on garuda and is a terror to the demon Kola, who remves all sins, my salutations to you.

सर्वज्ञे सर्व वरदे सर्व दुष्ट भयञ्करि।
सर्व दुःख हरे देवि महालक्ष्मि नमोऽस्तुते॥३॥
Oh Goddess Mahaalakshmi, who knows all, who fulfills all desires, who causes fear among the evil and who removes all sorrows, my salutations to you.

सिद्धि बुद्धि प्रदे देवि भुक्ति मुक्ति प्रदायिनि।
मन्त्रमूर्ते सदा देवि महालक्ष्मि नमोऽस्तुते॥४॥
Oh goddess of Wealth, who bestows complete attainment (siddhi) and wisdom for the liberation of moksha (salvation), who has the mystic symbol of Mantra, my salutations to you.

आद्यन्तरहिते देवि आद्यशक्ति महेश्वरि।
योगजे योगसम्भूते महालक्ष्मि नमोऽस्तुते॥५॥
Oh Devi, Maheshwari, who is without a beginning or an end, who is born out of yoga and is brought together the means of yoga, O Primeval Energy, Oh Mahaalakshmi, my salutations to you.

स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे।
महापाप हरे देवि महालक्ष्मि नमोऽस्तुते॥६॥
O Mahaalakshmi, who is both gross and subtle, most terrible, great power, great prosperity and great remover of all sins, my salutations to you.

पद्मासन स्थिते देवि परब्रह्म स्वरूपिणि।
परमेशि जगन्मातर्महालक्ष्मि नमोऽस्तुते॥७॥
O Devi, who is seated on lotus, whose true form is that of the Supreme Brahman; Who is the supreme goddess and a Mother of the Universe, O Mahaalakshmi, my salutations to you.

श्वेताम्बरधरे देवि नानालङ्कार भूषिते।
जगत्स्थिते जगन्मातर्महालक्ष्मि नमोऽस्तुते॥८॥
O Devi, robed in white garments and decked with various kinds of ornaments; you are the Mother of the Universe and its support, O Mahaalakshmi, my salutations to you.

महालक्ष्म्यष्टकस्तोत्रं यः पठेद् भक्तिमान्नरः।
सर्व सिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा॥९॥
Whoever with devotion recites these hymns composed in eight slokaas (Stanzas) of Mahaalakshmi with devotion, will obtain all success and the spiritual kingdom of liberation (moksha), through the grace of Mahaalakshmi Devi.

एककाले पठेन्नित्यं महापापविनाशनम्।
द्विकालं यः पठेन्नित्यं धनधान्य समन्वितः॥१०॥
Whoever reads these hymns once a day, all his pitfalls are removed,
if he reads twice a day, all physical prosperity is achieved.

त्रिकालं यः पठेन्नित्यं महाशत्रुविनाशनम्।
महालक्ष्मी भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा॥११॥
If one reads them three times a day, he/she will become devoid of enmity and hatred,
Let Mahaalakshmi manifest in us with all her pleasantness and fulfilling qualities.

देव्यष्टकम् (Devi Ashtakam)

સૌ મિત્રોને અમારા તરફથી દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ !….

સ્વર – ઉમા મોહન

महादेवीं महाशक्तिं भवानीं भववल्लभाम्।
भवार्तिभञ्जनकरीं वन्दे त्वां लोकमातरम् ॥१॥

I adore You, Who is the great Goddess (Mahādevī), Who is Mahāśakti (the greatest power), Who is Bhavānī, Who is the dear one of Śiva (Bhava), Who destroys the grief of metempsychosis, and Who is the Mother of the world.

भक्तिप्रियां भक्तिगम्यां भक्तानां कीर्तिवधिकाम् ।
भवप्रियां सतीं देवीं वन्दे त्वां भक्तवत्सलाम् ॥२॥

I adore You, Who is dear to devotees, Who is reachable by devotion, Who increases the fame (glory) of devotees, Who is dear to Śiva, Who is Satī (eternal truth), Who is noble Goddess, and Who endears devotees.

अन्नपूर्णा सदापूर्णा पार्वतीं पर्वपूजिताम् ।
महेश्वरीं वृषारुढां वन्दे त्वां परमेश्वरीम् ॥३॥

I adore You, Who is Annapūrṇā (Who gives grains), Who is always complete (in every way), Who is Pārvatī (daughter of Parvata Himālaya), Who is prayed on parva (Parva consists of the full moon day, the change of moon, and the eighth day and the fourteenth day of half month.), Who is the greatĪśvarī, Who is seated on a bull, and Who is the supreme Goddess.

कालरात्रिं महारात्रिं मोहरात्रिं जनेश्वरीम् ।
शिवकान्तां शम्भुशक्तिं वन्दे त्वां जननीमुमाम् ॥४॥

I adore You, Who is Kālarātriḥ, Who is the great Goddess Rātriḥ,Who is the night of deluge (prayalakāla rātriḥ), Who is the Goddess of everyone, Who is the beloved of Śiva, Who is the power of Śambhu, Who is the Mother, and Who is known as Umā.

जगत्कत्रीं जगद्धात्रीं जगत्संहारकारिणीम् ।
मुनिभि: संस्तुतां भद्रां वन्दे त्वां मोक्षदायिनीम् ॥५॥

I adore You, Who creates the universe, Who nourishes (protects) the universe like a Mother, Who causes the destruction of universe (at deluge), Who is eulogized by sages (muni), Who is auspicious, and Who bestows mokṣa (liberation).

देवदु:खहरामम्बां सदा देवसहायकाम् ।
मुनिदेवै: सदा सेव्यां वन्दे त्वां देवपूजिताम् ॥६॥

I adore You, Who absolves the grief of demi-gods (or noble ones), Who is the Divine Mother, Who always helps the demi-gods (or noble ones), Who is always worthy to be honored by sages and demi-gods, and Who is worshipped by demi-gods (or noble ones).

त्रिनेत्रां शंकरीं गौरीं भगमोक्षप्रदां शिवाम् ।
महामायां जगद्वजां वन्दे त्वां जगदीश्वरीम् ॥७॥

I adore You, Who has three eyes, Who is the consort of Śiva, Who is Gaurī (or of fair-complexion), Who bestows luxuries and liberation, Who is eternally blissful, Who is the great illusory power (Māyā), Who is the seed (cause) of this universe, and Who is the Goddess of the universe.

शरणागतजीवानां सर्वदु:खविनाशिनीम् ।
सुखसम्पत्करीं नित्यां वन्दे त्वां प्रकृतिं पराम् ॥८॥

I adore You, Who destroys all the griefs of living-beings seeking shelter (in Her), Who causes happiness and prosperity, Who is eternal, Who is Prakṛti (primordial One), and Who is Parā.

देव्यष्टकमिदं पुण्यं योगानन्देन निर्मितम् ।
य: पठेद्भक्तिभावेन लभते स परं सुखम् ॥९॥

With devotion, he who reads these eight verses on Goddess —which is virtuous, and which is written by Yogānanda, he attains the final happiness and bliss.

(આભાર – shivu360.blogspot.com)

ॐ गं गणपतये नमो नमः ધૂન

આજે ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૨, એટલે શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તેવા અષ્ટવિનાયકનો દિવસ એટલે ગણેશ ચતુર્થી એટલે કે દસ દિવસ સુધી ગણેશોત્સવ મનાવ્યે…..જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ…..

સ્વર – અનુરાધા પૌડવાલ

…..

સ્વર – હેમંત ચૌહાણ
સંગીત – રાજેશ ગુપ્તા

…..

वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ
निर्विघ्नं कुरुमे देव सर्व कार्येषु सर्वदा

|| ॐ गं गणपतये नमो नमः ||

|| श्री सिद्धिविनायक नमो नमः ||

|| अष्टविनायक नमो नमः ||

|| गणपति बाप्पा मोरया ||

श्री गणेशाय धीमहि – શંકર મહાદેવનના સ્વરમાં

सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची

H शिवताण्डवस्तोत्रम्

આજે ફરી વાર शिवताण्डवस्तोत्रम् બીજા બે જુદા સ્વરોમાં….

સ્વર – પંડિત જસરાજ

સ્વર – ?

આજની બીજી ઓડિઓ ફાઇલ માટે આભાર રાજેશ જાની

* * * * * * * * * * * * * * * * * *

Feb 23, 2009

ટહુકો પર પહેલા મુકેલું મારું પ્રિય ભજન – શંભુ ચરણે પડી…. માં શિવતાંડવ સ્ત્રોત્રની પહેલી બે કડી છે. એ સાંભળી ત્યારથી મને હતુ કે ક્યારેક આખી સ્તુતિ મુકીશ ટહુકો પર. આજે મહાશિવરાત્રી છે, તો આજથી વધારે સારો દિવસ ક્યાંથી મળે આ સ્તુતિ સાંભળવાનો અને સંભળાવવાનો, બરાબર ને?

સ્વર – ?

અને હા.. આ શિવતાંડવસ્ત્રોત્ર વિશે ‘વિકિ’ પાનું પણ છે – તમને ઇચ્છા હોય તો વાંચી શકો – સુધારી શકો..

આ સંસ્ક્રુત શબ્દોનો અર્થ વાંચવો હોય તો અહીં ક્લિક કરી શકો છો. અને ત્યાંથી જ મને આ વિડિયો પણ મળ્યો – શબ્દો વાંચીને તમને પણ સાથે ગાવાની ઇચ્છા હોય તો એ તક આ વિડિયો આપશે. 🙂

जटाटवीगलज्जलप्रवाहपावितस्थले, गलेऽवलम्ब्यलम्बितां भुजङ्गतुङ्गमालिकाम्‌।
डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं, चकारचण्डताण्डवं तनोतु नः शिवो शिवम्‌ ॥१॥

जटाकटाहसंभ्रमभ्रमन्निलिंपनिर्झरी, विलोलवीचिवल्लरी विराजमानमूर्धनि।
धगद्धगद्धगज्ज्वलल्ललाटपट्टपावके, किशोरचंद्रशेखरे रतिः प्रतिक्षणं ममं ॥२॥

धराधरेंद्रनंदिनी विलासबन्धुबन्धुरस्फुरद्दिगंतसंतति प्रमोद मानमानसे।
कृपाकटाक्षधोरणीनिरुद्धदुर्धरापदि क्वचिद्विगम्बरे मनोविनोदमेतु वस्तुनि ॥३॥

जटाभुजंगपिंगलस्फुरत्फणामणिप्रभा-कदंबकुंकुमद्रवप्रलिप्तदिग्वधूमुखे।
मदांधसिंधुरस्फुरत्वगुत्तरीयमेदुरे मनोविनोदद्भुतं बिंभर्तुभूतभर्तरि ॥४॥

सहस्रलोचनप्रभृत्यशेषलेखशेखर-प्रसूनधूलिधोरणी विधूसरांघ्रिपीठभूः।
भुजंगराजमालयानिबद्धजाटजूटकः श्रियैचिरायजायतां चकोरबंधुशेखरः ॥५॥

ललाटचत्वरज्वलद्धनंजयस्फुलिङ्गभा-निपीतपंचसायकंनमन्निलिंपनायकम्‌।
सुधामयूखलेखया विराजमानशेखरं महाकपालिसंपदे शिरोजटालमस्तुनः ॥६॥

करालभालपट्टिकाधगद्धगद्धगज्ज्वलद्धनंजया धरीकृतप्रचंडपंचसायके।
धराधरेंद्रनंदिनीकुचाग्रचित्रपत्रकप्रकल्पनैकशिल्पिनी त्रिलोचनेरतिर्मम ॥७॥

नवीनमेघमंडलीनिरुद्धदुर्धरस्फुरत्कुहुनिशीथनीतमः प्रबद्धबद्धकन्धरः।
निलिम्पनिर्झरीधरस्तनोतु कृत्तिसिंधुरः कलानिधानबंधुरः श्रियं जगंद्धुरंधरः ॥८॥

प्रफुल्लनीलपंकजप्रपंचकालिमप्रभा-विडंबि कंठकंध रारुचि प्रबंधकंधरम्‌।
स्मरच्छिदं पुरच्छिंद भवच्छिदं मखच्छिदं गजच्छिदांधकच्छिदं तमंतकच्छिदं भजे ॥९॥

अखर्वसर्वमंगला कलाकदम्बमंजरी-रसप्रवाह माधुरी विजृंभणा मधुव्रतम्‌।
स्मरांतकं पुरातकं भावंतकं मखांतकं गजांतकांधकांतकं तमंतकांतकं भजे ॥१०॥

जयत्वदभ्रविभ्रमभ्रमद्भुजंगमस्फुरद्धगद्धगद्विनिर्गमत्कराल भाल हव्यवाट्।
धिमिद्धिमिद्धिमिध्वनन्मृदंगतुंगमंगलध्वनिक्रमप्रवर्तित: प्रचण्ड ताण्डवः शिवः ॥११॥

दृषद्विचित्रतल्पयोर्भुजंगमौक्तिकमस्रजोर्गरिष्ठरत्नलोष्ठयोः सुहृद्विपक्षपक्षयोः।
तृणारविंदचक्षुषोः प्रजामहीमहेन्द्रयोः समं प्रवर्तयन्मनः कदा सदाशिवं भजे ॥१२॥

कदा निलिंपनिर्झरी निकुञ्जकोटरे वसन्‌ विमुक्तदुर्मतिः सदा शिरःस्थमंजलिं वहन्‌।
विमुक्तलोललोचनो ललामभाललग्नकः शिवेति मंत्रमुच्चरन्‌ कदा सुखी भवाम्यहम्‌ ॥१३॥

निलिम्प नाथनागरी कदम्ब मौलमल्लिका-निगुम्फनिर्भक्षरन्म धूष्णिकामनोहरः।
तनोतु नो मनोमुदं विनोदिनींमहनिशं परिश्रय परं पदं तदंगजत्विषां चयः ॥१४॥

प्रचण्ड वाडवानल प्रभाशुभप्रचारणी महाष्टसिद्धिकामिनी जनावहूत जल्पना।
विमुक्त वाम लोचनो विवाहकालिकध्वनिः शिवेति मन्त्रभूषगो जगज्जयाय जायताम्‌ ॥१५॥

इमं हि नित्यमेव मुक्तमुक्तमोत्तम स्तवं पठन्स्मरन्‌ ब्रुवन्नरो विशुद्धमेति संततम्‌।
हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथागतिं विमोहनं हि देहनां सुशंकरस्य चिंतनम् ॥१६॥

फलश्रुतिः

पूजाऽवसानसमये दशवक्रत्रगीतं यः शम्भूपूजनपरम् पठति प्रदोषे ।
तस्य स्थिरां रथगजेंद्रतुरंगयुक्तां लक्ष्मी सदैव सुमुखीं प्रददाति शम्भुः ॥१७॥

॥ इति शिव ताण्डव स्तोत्रं संपूर्णम्‌ ॥

 

श्री नन्दकुमाराष्टकं – શ્રી વલ્લભાચાર્ય

સ્વર – રવિન્દ્ર સાઠે, વાંસળી – પંડિત હરિપ્રસાદ ચૌરસિયા
આલબ્મ – Prarthana – Shri Krishna Vol. 1

સ્વર – શ્યામલ મુન્શી
સંગીત – શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી
પ્રસ્તાવના – તુષાર શુક્લ

સ્વર – દેવકી પંડિત (Raag Hansdhwani)
સંગીત – આશિત દેસાઇ, ચન્દુ મટ્ટાણી
આલબ્મ – Divine Chants Of Krishna

સ્વર – દીક્ષિત શરદ, ચિત્રા શરદ
સંગીત – દિપેશ દેસાઇ

सुन्दर गोपालं उरवनमालं नयन विशालं दुःख हरं,
वृन्दावन चन्द्रं आनंदकंदं परमानन्दं धरणिधरं ।
वल्लभ घनश्यामं पूरण कामं अत्यभिरामं प्रीतिकरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥१॥

सुन्दरवारिज वदनं निर्जितमदनं आनन्दसदनं मुकुटधरं,
गुंजाकृतिहारं विपिनविहारं परमोदारं चीरहरम ।
वल्लभ पटपीतं कृतउपवीतं करनवनीतं विबुधवरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥२॥

शोभित मुख धूलं यमुना कूलं निपट अतूलं सुखदतरं,
मुख मण्डित रेणुं चारित धेनुं बाजित वेणुं मधुर सुरम ।
वल्लभ अति विमलं शुभपदकमलं नखरुचि अमलं तिमिरहरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥३॥

शिर मुकुट सुदेशं कुंचित केशं नटवरवेशं कामवरं,
मायाकृतमनुजं हलधर अनुजं प्रतिहदनुजं भारहरम ।
वल्लभ व्रजपालं सुभग सुचालं हित अनुकालं भाववरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥४॥

इन्दीवरभासं प्रकट्सुरासं कुसुमविकासं वंशीधरं,
हृतमन्मथमानं रूपनिधानं कृतकलिगानं चित्तहरं ।
वल्लभ मृदुहासं कुंजनिवासं विविधविलासं केलिकरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥५॥

अति परं प्रवीणं पालितदीनं भक्ताधीनं कर्मकरं,
मोहन मतिधीरं फणिबलवीरं हतपरवीरं तरलतरं ।
वल्लभ व्रजरमणं वारिजवदनं जलधरशमनं शैलधरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥६॥

जलधरद्युतिअंगं ललितत्रिभंगं बहुकृतिरंगं रसिकवरं,
गोकुलपरिवारं मदनाकारं कुंजविहारं गूढनरम ।
वल्लभ व्रजचन्दं सुभग सुचन्दं कृताअनन्दं भ्रांतिहरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥७॥

वंदित युग चरणं पावन करणं जगत उद्धरणं विमलधरं,
कालिय शिर गमनं कृत फणिनमनं घातित यमनं मृदुलतरं ।
वल्लभ दुःखहरणं निरमलचरणं अशरण शरणं मुक्तिकरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥८॥

– શ્રી વલ્લભાચાર્ય

(શબ્દો માટે આભાર – pushtimarg.wordpress.com)

श्री हाटकेश्वराष्टकम स्तोत्र

આજે મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ……

સ્વર – નિનાદ મહેતા

સ્વર – કુમાર મજમુદાર

 આભાર – Shree Hatkeshver Mahadev Shansthan – Vadnagar

આ સાથે સાંભળો – આ પહેલા ટહુકો પર મુકેલા શિવભક્તિ ગીતો..!

યમુનાષ્ટક – વલ્લભાચાર્ય

આજે વલ્લભાચાર્ય જયંતિ નિમિત્તે સાંભળીએ એમના દ્રારા રચિત યમુનાષ્ટક… લતા મંગેશકર અને માયાદિપકના સ્વરમાં રાગ કલ્યાણમાં… અને સાથે ભૈરવી રાગમાં માયાબેનના સ્વરમાં… (શબ્દો માટે આભાર – Wikisource.org)

સ્વર – લતા મંગેશકર
રાગ – કલ્યાણ
આલ્બમ – ??

.

– – – – – – – – – – – – – – – – – – – – – –

નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા
મુરારિ પદ પંકજ સ્ફ઼્ઉરદમન્દ રેણુત્કટામ |
તટસ્થ નવ કાનન પ્રકટમોદ પુષ્પામ્બુના
સુરાસુરસુપૂજિત સ્મરપિતુઃ શ્રિયં બિભ્રતીમ ||૧||

કલિન્દ ગિરિ મસ્તકે પતદમન્દપૂરોજ્જ્વલા
વિલાસગમનોલ્લસત્પ્રકટગણ્ડ્શૈલોન્ન્તા |
સઘોષગતિ દન્તુરા સમધિરૂઢદોલોત્તમા
મુકુન્દરતિવર્દ્ધિની જયતિ પદ્મબન્ધોઃ સુતા ||૨||

ભુવં ભુવનપાવનીમધિગતામનેકસ્વનૈઃ
પ્રિયાભિરિવ સેવિતાં શુકમયૂરહંસાદિભિઃ |
તરંગભુજકંકણ પ્રકટમુક્તિકાવાકુકા-
નિતન્બતટસુન્દરીં નમત કૃષ્ણ્તુર્યપ્રિયામ ||૩||

અનન્તગુણ ભૂષિતે શિવવિરંચિદેવસ્તુતે
ઘનાઘનનિભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે |
વિશુદ્ધ મથુરાતટે સકલગોપગોપીવૃતે
કૃપાજલધિસંશ્રિતે મમ મનઃ સુખં ભાવય ||૪||

યયા ચરણપદ્મજા મુરરિપોઃ પ્રિયં ભાવુકા
સમાગમનતો ભવત્સકલસિદ્ધિદા સેવતામ |
તયા સહ્શતામિયાત્કમલજા સપત્નીવય-
હરિપ્રિયકલિન્દયા મનસિ મે સદા સ્થીયતામ ||૫||

નમોસ્તુ યમુને સદા તવ ચરિત્ર મત્યદ્ભુતં
ન જાતુ યમયાતના ભવતિ તે પયઃ પાનતઃ |
યમોપિ ભગિનીસુતાન કથમુહન્તિ દુષ્ટાનપિ
પ્રિયો ભવતિ સેવનાત્તવ હરેર્યથા ગોપિકાઃ ||૬||

મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતા
ન દુર્લભતમારતિર્મુરરિપૌ મુકુન્દપ્રિયે |
અતોસ્તુ તવ લાલના સુરધુની પરં સુંગમા-
ત્તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિસ્થિતૈઃ ||૭||

સ્તુતિ તવ કરોતિ કઃ કમલજાસપત્નિ પ્રિયે
હરેર્યદનુસેવયા ભવતિ સૌખ્યમામોક્ષતઃ |
ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ-
સ્મરશ્રમજલાણુભિઃ સકલ ગાત્રજૈઃ સંગમઃ ||૮||

તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા
સમસ્તદુરિતક્ષયો ભવતિ વૈ મુકુન્દે રતિઃ |
તયા સકલસિદ્ધયો મુરરિપુશ્ચ સન્તુષ્યતિ
સ્વભાવવિજયો ભવેત વદતિ વલ્લભઃ શ્રી હરેઃ ||૯||

|| ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતં યમુનાષ્ટકં સમ્પૂર્ણમ ||
– – – – – – – – – – – – – – – – – – – – – –

(શ્રીવલ્લભઅનુગ્રહ.કોમ પરથી યમુનાષ્ટકનો ગુજરાતી ભાવાનુવાદ)

(હરી ગીત છંદ)

શ્રી કૃષ્ણના ચરણાવીંદની રજ થકી શોભી રહ્યા
સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને
સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી ઉઠ્યું
ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું
પૂજે સુરા સુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૧)

મા ! સુર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યાં
ત્યાં કલિન્દના શિખ ઉપર શોભા અતિ સુંદર દીસે
એ વેગમાં પત્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા
ને આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછળતાં શોભી રહ્યા
હરી હેતના ઝુલા ઉપર જાણે બીરાજ્યા આપ હે
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૨)

શુક મોર સારસ હંસ યાદિ પક્ષીથી સેવાયેલાં
ગોપીજનોને સેવ્ય ભુવન સ્વજન પાવન રાખતાં
તરંગ રૂપશ્રી હસ્તમાં રેતી રૂપી મોતી તણાં
કંકણ સરસ શોભી રહ્યાં શ્રી કૃષ્ણને બહુ પ્રિય થયાં
નિતમ્બ રૂપ શ્રી તટતણું અદભૂત દર્શન થાય જો.
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૩)

અનન્ત ગુણથી શોભતાં સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે
ઘન શ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું
વિશુદ્ધ મથુરા આપના સાન્નિધ્યમાં શોભી રહ્યું
સહુ ગોપ ગોપી વૃન્દને ઇચ્છીત ફળ આપી રહ્યું
મમ કોડ સૌ પુરા કરો જ્યમ ધ્રુવ પરાસરના કર્યા
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૪)

શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાન્હવી ઉત્પન્ન થયાં
સત્સંગ પામ્યાં આપનોને સિદ્ધિ દાયક થઇ ગયા.
એવું મહાત્મય છે આપનું સરખામણી કોઇ શું કરે
સમ કક્ષમાં આવી શકે સાગર સુતા એકજ ખરે.
એવાં પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો
વંદન કરૂં યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો (૫)

અદભૂત ચરિત્ર છે આપનું વંદન કરૂં હું પ્રેમથી
યમ યાતના આવે નહિ; મા ! આપના પય પાનથી
કદી દુષ્ટ હોઇએ તોય પણ સંતાન અમે સૌ આપના
સ્પર્શે ન અમને કોઇ ભય છાયા સદા છે આપની
ગોપીજનો પ્રભુ પ્રિય બન્યાં એવી કૃપા બસ રાખજો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૬)

શ્રી કૃષ્ણને પ્રિય આપ છો મમ દેહ સુંદર રાખજો
ભગવદ્ લીલામાં થાય પ્રિતી સ્નેહ એવો આપજો
જ્યમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યાં
મમ, દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવાં રાખજો
વિરહાર્તિમાં હે માત ! મારા હૃદયમાં બીરાજજો,
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૭)

હું આપની સ્તુતિ શું કરૂં માહાત્મય અપરંપાર છે
શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે.
જલના અણુની સેવા થકી અદભુત જલ ક્રિડાતણાં
એ સ્નેહનું સુખ દિવ્ય છે મન મારૂં એમાં સ્થાપજો,
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. (૮)

કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો
નિશ્ચય પ્રભુને પ્રિય થશેને નાશ થાશે પાપનો
સિદ્ધિ સકલ મલશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતી
આનંદ સાગર ઉમટશેને સ્વભાવ પણ જાશે જીતી
જગદીશને વ્હાલા શ્રી વલ્લભી નામ સદૈવ ઉચ્ચારજો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૯)

मधुराष्ट्कम ॥ – વલ્લભાચાર્ય

એક સુંદર સ્વર માં मधुराष्ट्कम ॥ ………  ઑનલાઇન(or on youtube) ડૉ.યેશુદાસ કે એમ.એસ. ના પણ અવાજમાં પણ મળી રહેશે અને પંડિત જસરાજ ના સ્વરમાં પણ! .. પણ આ રાગ મને વધારે ગમે છે.. સ્કૂલમાં હતી ત્યારે તો આખું આવડતું હતું, અને વારે-વારે ગણગણવાની પણ એટલી જ મઝા આવતી.

વલ્લભાચાર્ય કૃત मधुराष्ट्कम એ કૃષ્ણમહિમા નું સૌંદર્યરસથી નિતરતું ઊત્કૃષ્ટ નિરુપણ છે!!

अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं ।
हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥१॥

“His lips are sweet; His face is sweet;His eyes are sweet; His smile is sweet:His Heart is sweet; His gait is sweet;Every single thing about the Lord of Mathura is completely sweet!

वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं ।
चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥२॥

“His words are sweet; His acts are sweet; His dress is sweet; His posture is sweet. His walk is sweet, and His wanderings are sweet. Every single thing about the Lord of Mathura is completely sweet!”

वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ ।
नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥३॥

“His flute is sweet; the dust of His lotus feet is sweet.His hands are sweet; His feet are sweet. His dancing is sweet;His friendship is sweet. Everything about the Supreme Lord ofsweetness is sweet.”

गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं ।
रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥४॥

“His song is sweet, His drinking is sweet; His eating is sweet, His sleeping is sweet. His beauty is sweet, His tilaka is sweet. Everything about the Lord is completely sweet.”

करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं ।
वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥५॥

“His acts are sweet, His delivering is sweet,His stealing is sweet, His enjoyment is sweet.His heartfelt outpourings are sweet, His peace is sweet. Everything about the Supreme Lord is fully sweet.”

गुंजा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा ।
सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥६॥

“His Gunja necklace is sweet, as is His garland.His Yamuna River is sweet, her waves are sweet, and her waters are sweet. The lotus flowers are also sweet.Everything is completely sweet about the Supreme Personality of Godhead, the Lord of sweetness.”

गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरं ।
दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥७॥

“His foremost devotees, the gopis, are sweet. His pastimes are sweet. Meeting with Him is sweet. Being enjoyed byHim is sweet. Being noticed (seen) by Him is sweet. His character is sweet. Simply everything about the Lord of sweetness is all-sweet.”

गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा ।
दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥८॥

“His cowherd friends are sweet; His cows are sweet.His cane is sweet; His creation is sweet, His destruction is sweet, and His fruition is sweet. Everything about the Supreme Lord is totally sweet.”

– વલ્લભાચાર્ય

———-
(આ શબ્દો અને સાથે ઓડિયો ફાઇલ મોકલનાર ખાસ મિત્ર નો ખાસ આભાર 🙂 )