|
|
પપ્પાએ રેકોર્ડ કરાવેલી ગુજરાતી કેસેટમાં આ ગીત હતું, એટલે નાનપણથી આ ગીત સાંભળતી આવી છું.. ગીતના મોટાભાગના શબ્દો ત્યારે તો નો’તા સમઝાતા, અને હજુ પણ કેટલાક ગીતોનો અર્થ એટલો સ્પષ્ટ ખબર નથી, પણ ગીત છે એવું મઝાનું કે વારંવાર સાંભળવાનું મન થાય… લોકગીતની કક્ષાએ પહોંચેલું વધુ એક નરસિંહ મહેતા રચિત કૃષ્ણગીત..!
સ્વરકાર - અવિનાશ વ્યાસ / નાનજીભાઇ મિસ્ત્રી (??)
સ્વર : પ્રાણલાલ વ્યાસ

This text will be replaced
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ
આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ
આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો
આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ
આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ
આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ
જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો
આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ
આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
- નરસિંહ મહેતા
શબ્દો માટે આભાર - માવજીભાઈ.કોમ
Share on Facebook
એક વર્ષ પહેલા : વૃક્ષસંવનનાર્થીનું ગીત - રમેશ પારેખ
બે વર્ષ પહેલા : બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની માં - અવિનાશ વ્યાસ
ત્રણ વર્ષ પહેલા : એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે - મરીઝ
સ્વર - શ્રી અભરામ ભગત
સંગીતકાર - ?
This text will be replaced
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…કાનજી તારી મા….
માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે…કાનજી તારી મા….
ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે…કાનજી તારી મા….
કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે…કાનજી તારી મા….
ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે…
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…કાનજી તારી મા….
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…
- નરસિંહ મહેતા
Share on Facebook
એક વર્ષ પહેલા : એક સપનાને ફરી વાવી તમે - મિલિન્દ ગઢવી 'ગ.મિ.
બે વર્ષ પહેલા : ભાષા નથી તો શું છે? - નિર્મિશ ઠાકર
ત્રણ વર્ષ પહેલા : એક હતી સર્વકાલીન વાર્તા -જગદીશ જોષી
By Jayshree, on February 12th, 2010 in ટહુકો , નરસિંહ મહેતા , ભજન/ધૂન/આરતી/ભક્તિપદ |
આજે શિવરાત્રીના પ્રસંગે સાંભળીએ ‘રામકબીર ભક્ત સમાજ’ ને મળેલા અમૂલ્ય ભજન વારસમાંથી એક ભોળાનાથનું ભજન.. એ પણ બે અલગ અલગ રેકોર્ડિંગમાં..!! એક ઓડિયો - બીજો વિડિયો..
અમારા રામકબીર ભક્ત સમાજમાં ભજનોનું એક અનેરું મહત્વ છે, અને બધા ભજનોનો ઢાળ પણ ભક્ત સમાજમાં થોડો નોખો હોય છે.. વધુ માહિતી આ વેબસાઇટ - http://ramkabirbhajans.org/ પરથી મળી રહેશે.
સ્વર - સ્યાદલા ભજનમંડળ
This text will be replaced
(By Syadla Bhajan Mandal - Recorded in 1982 in Mumbai)
* * * * *
સ્વર : રામકબીર ભજનમંડળ, Norwalk (Los Angeles)

(Live Recording of રામકબીર ભજનમંડળ - May 17, 2008, Bhajan Sammelan at Bhakta Cultural Center, Norwalk, CA)
મન તું શંકર ભજી લે, મન તું શંકર ભજી લે
છોડ ને કપટ ભોળાનાથને ભજી લે …………………. ટેક
કોણ ચઢાવે ગંગા જમુના, કોણ ચઢાવે દૂધ;
કોણ ચઢાવે બિલ્લી પત્ર, કોણ ચઢાવે ભભૂત ……… ૧
રાજા ચઢાવે ગંગા જમુના, રૈયત ચઢાવે દૂધ;
બ્રાહ્મણ ચઢાવે બિલ્લી પત્ર, યોગી ચઢાવે ભભૂત …. ૨
કોણ માંગે અન્ન ધન, કોણ માંગે પુત્ર;
કોણ માંગે કંચન કાયા, કોણ માંગે રૂપ …………….. ૩
ગરીબ માંગે અન્ન ધન, વાંઝિયા માંગે પુત્ર;
બ્રાહ્મણ માંગે કંચન કાયા, ગુણિકા માંગે રૂપ ………. ૪
આંકડાનો ભાત બનાવ્યો, ધંતુરાની ભાજી;
પીરસે રાણી પાર્વતી ને જમે ભોળાનાથ ………….. ૫
આંકડો ધંતુરો શિવજી, ભાવના છે ભોગી;
ભણે નરસૈંયો વહાલો, જૂનાગઢનો જોગી …………. ૬
———-
ૐ નમ: શિવાય….
शिवताण्डवस्तोत्रम्
શંભુ ચરણે પડી….
Share on Facebook
એક વર્ષ પહેલા : રઘુપતિ રાઘવ રાજારામ
બે વર્ષ પહેલા : માણસ છે, બીઝનેસ કરે છે - કૃષ્ણ દવે
નરસિંહ મહેતાની આ ઘણી જ જાણીતી ભક્તિ રચના… અને એ પણ બે અલગ અલગ સ્વરમાં. જો કે આ શબ્દોની સાથે મને બીજી એક સ્વરરચના સૌથી પહેલા યાદ આવે. નાનપણથી હું આ જ ગીતને એક ગાયિકાના અવાજમાં સાંભળતી આવી છું. કદાચ આશા ભોસલે કે લતા મંગેશકરનો અવાજ હશે? જો તમારી પાસે એવું કોઇ રેકોર્ડિંગ હોય તો મને મોકલી શકશો? એમાં અહીં પ્રસ્તુત ગીતો કરતા થોડો ઝડપી ઉપાડ છે, અને નારાયણનું નામ જ લેતા, હો હો હો નારાણયનું નામ જ લેતાં….. એવી રીતે ગવાયું છે.

સ્વર : આશિત દેસાઇ
This text will be replaced
સ્વર : કરસન સગઠિયા
This text will be replaced
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજિયે રે.
કુળને તજિયે કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે;
ભગિનીસુતદારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે.
પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રીરામ રે.
ઋષિપત્ની એ શ્રીહરિ કાજે, તજિયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે.
વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજીને ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃન્દાવનમાં, મોહન સાથે માલી રે.
- નરસિંહ મહેતા
(આભાર : રીડગુજરાતી.કોમ)
Share on Facebook
એક વર્ષ પહેલા : એ ગીત મારા કહેવાય કઇ રીતે? - ધ્રુવ ભટ્ટ
બે વર્ષ પહેલા : રાતી રાતી પારેવાની આંખડી - વેણીભાઇ પુરોહિત
ત્રણ વર્ષ પહેલા : H डेडी ફિલ્મની ગઝલો
By Jayshree, on September 15th, 2009 in નરસિંહ મહેતા , ભજન/ધૂન/આરતી/ભક્તિપદ |
ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ. ઘડપણ ટેક.
ઊમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ,
ગોળી તો ગંગા થઇ રે, અંગે ઊજળા થયા છે કેશ. ઘડપણ.
નહોતું જોઇતું ને શીદ આવિયું રે, નહોતી જોઇ તારી વાટ,
ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ. ઘડપણ.
નાનપણે ભાવે લાડવા રે, ઘડપને ભાવે શેવ,
રોજ ને રોજ જોઇએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ. ઘડપણ.
પ્રાત:કાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય,
ઘરના કહે મરતો નથી રે, તને બેસી રહેતાં શું થાય ? ઘડપણ.
દીકરા તો જૂજવા થયા રે, વહુઓ દે છે ગાળ,
દીકરીઓને જમાઇ લઇ ગયા રે, હવે ઘડપણના શા રે હાલ. ઘડપણ.
નવ નાડો જૂજવી પડી ને આવી પહોંચ્યો છે કાળ,
બૈરાંછોકરાં ફટફટ કરે રે, નાનાં બાળક દે છે ગાળ. ઘડપણ.
અંતકાળે વળી આવિયા રે, દીકરા પધાર્યા દ્વાર,
પાંસળીએથી વાંસળી રે, પછી છોડીને આપી બા’ર. ઘડપણ.
એવું સાંભળી પ્રભુ ભજો રે, સાંભરજો જગનાથ,
પરઉપકાર કીધે પામશે રે, ગુણ ગાય નરસૈંયો દાસ. ઘડપણ.
-નરસિંહ મહેતા
(આભાર : ફોર એસ.વી - પ્રભાતના પુષ્પો)
Share on Facebook
એક વર્ષ પહેલા : ગઝલ - મઘુમતી મહેતા
બે વર્ષ પહેલા : તેં કહ્યું - રાજેન્દ્ર શુક્લ
ત્રણ વર્ષ પહેલા : આશા… ઉત્સાહ… ખુમારી… પુરુષાર્થ….
|
|
આપના અભિપ્રાયો: