Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ચાર વર્ષ પહેલાના Mother’s Day પર આપને સંભળાવેલું, અને ત્યારથી ટહુકો પર ગૂંજતું આ ગીત… આજે માધ્વી મહેતાના સ્વરમાં ફરી એકવાર…! આમ તો મમ્મી કેટલી વ્હાલી છે એ કહેવા માટે Mother’s Dayની રાહ ન જોવાની હોય – તો યે.. આજે એકવાર ફરી કહી દઉં.. – I love you, Mummy 🙂
આપ સૌને Happy Mother’s Day..!
સ્વર : માધ્વી મહેતા
******
Posted on: May 12, 2007
આ દુનિયામાં જો કોઇ જબરજસ્ત transformation થતું હશે તો એ એ કે કન્યા જ્યારે મા બને છે. એનું શરીર, મન, બોલવું-ચાલવું, વ્યવહાર, જીવન આખું બદલાઈ જાય છે…ફક્ત એના દેવના દીધેલને માટે. અને આ transformation એવું કે જીવનપર્યંત એ મા જ રહે છે. ૯ મહિનાની પ્રસૂતિની વેદના, નવજાત શિશુનો ઉછેર અને એમ કરતાં કરતાં આખી દુનિયાથી અલિપ્ત થઈ જવું, આવા કેટલાય તબક્કાઓમાંથી પસાર થાય છે, ફક્ત એના બાળકના વિકાસ માટે! આવી આ મા જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી સંસ્ક્રુતિ જીવતી છે! અને એ માતાનું ભારતીય વિચારધારાએ વૈશ્વિકરણ એ રીતે કર્યું છે કે આપણે ગાય, નદી, પ્રુથ્વી, દેશ (ભારતમાતા), અરે ભગવાન સુધ્ધાંને માતા કહીએ છીએ. અહીં અમેરિકામાં આજનો દિવસ મધર્સ ડે છે, જ્યારે ત્યાં ભારતમાં હર દિવસની સવાર બાળકો માતાને માત્રુદેવો ભવ કહીને રોજેરોજ માત્રુદિન ઊજવે છે….ત્યારે એ નિમિત્તે આજે આપણે આપણી માતાને કહીએ કે “જનનીની જોડ સખી નહી મળે રે લોલ”.
પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે આ મધુરુ ગીત શરૂ થાય તે પહેલા કવિ સુરેન ઠક્કર ‘મેહુલ’ એ કરેલી વાતો, એક-બે કાલ્પનિક પ્રસંગોની રજુઆત….. ખરેખર આંખો ભીની કરી જાય છે.
.
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
જેમ મનોજ ખંડેરિયા અને રાજેન્દ્ર શુક્લની ગઝલોમાં ગીરનાર-જુનાગઢનો reference ઘણો જોવા મળે, એમ રમેશ પારેખના ગીતોમાં અમરેલી ઘણી unique રીતે જોવા મળે ખરું..! પેલું મૂછ્છ ગીત યાદ છે ને?
અને મને તો આ ગીતની શરૂઆત જ ગમી ગઇ..! ફોઇ-ભત્રીજા(કે ભત્રીજી)નો નાતો આમ તો કેવો વ્હાલડો..! અને તો યે ગીતમાં ફોઇ આવતા હોય એવું તો પહેલી જ વાર મળ્યું..! ચલો, એ જ બહાને તમારા ફોઇને.. કે તમારા ભત્રીજા-ભત્રીજીને યાદ કરીને એકાદ ફોન કરી દેજો..! 🙂
સૌ પ્રથમ તો… ગુજરાત દિનની આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..! આજે – ગુજરાત specific નો નહીં, પરંતુ જેમની મહેમાનગતિ મનભરીને માણી રહી છું – એવા Detroit ના ગુજરાતીઓ Specific વાત કરવી છે.
ગઇકાલે April 30, 2011 ના દિવસે.. અહીં સ્વર્ણિમ ગુજરાતની Detroit (Michigan)ના આંગણે અલૌકિક ઉજવણી માણી..! (આજે એનો બીજો ભાગ – કવિ શ્રી રઇશ મણીઆર અને કવિ શ્રી વિવેક ટેલરને માણીશું). ગુજરાતથી હજારો માઇલ દૂર.. ૮૫૦ ગુજરાતીઓથી ખીચોખીચ ભરેલા હોલમાં .. ૫ કલાક સુધી નોન-સ્ટોપ ચાલેલો એ પ્રોગ્રામ એક આશ્ચર્યજનક અને ઐશ્વર્યથી ભરપૂર અનુભવ રહ્યો..! Guest of Honor … ઐશ્વર્યા મજમુદાર વિષે તો કંઇક કહેવાનું બાકી રહ્યું જ નથી.. પણ એની સંગીત સાધનાને કાલે રૂબરૂમાં માણવાનો અનુભવ એ તમને જાણે એક અલગ જ દુનિયામાં લઇ જાય છે..!
આ કાર્યક્રમ વિશે વધુમાં .. ટૂંક સમયમાં ફરીથી વાત કરીશ..! ઘણું ઘણું કહેવું છે આ અનુભવ વિષે..! અને સાથે વહેંચવું છે બધા સાથે જે અમે ગઇકાલે માણ્યું..! અને સાથે લઇ આવીશ વધુ સારું રેકોર્ડિંગ..! પણ હાલ પૂરતું – મારા સેલફોનમાં રેકોર્ડ કરેલું આ તાના-રીરી ફિલ્મનું અદ્ભૂત ગીત માણીએ.
માર્ચ મહિનામાં યોજાયેલ “સબરસગુજરાતી” પદ્યસ્પર્ધામાં નિર્ણાયક, કવિ અને ગઝલકાર શ્રી વિવેક ટેલરના ગુણ પત્રકમાં ૧૬૬માંથી બીજા નંબરે સ્થાન પામેલ અને નીચે પ્રમાણેની મૂલવણી પામેલ કવિતા ”શતદલ”.
વિવેક ટેલરના શબ્દોઃ
મારી દ્રષ્ટિએ “શતદલ” નામની કવિતા બીજા ક્રમાંકને પાત્ર ઠરે છે.કવિએ અર્જુનની જેમ એક વિષયને લક્ષમાં રાખ્યો છે;અને એને યોગ્ય રીતે સંમાર્જ્યો પણ છે.ઊર્મિકાવ્યોનું આજે લુપ્ત થતું નજરે પડતું કલેવર કવિએ અપનાવ્યું છે એ કવિની ભાષાપ્રીતિ અને સમર્પિતતાનું દ્યોતક છે. શબ્દસમૂહના ધ્વન્યાત્મક આવર્તનોનો સુપેરે પ્રયોગ કરીને કવિ કવિતામાંથી સંગીત પણ સર્જે છે. ચોમાસાની ઋતુનો આખો માહોલ ઉભો કરીને એક સંપૂર્ણ શબ્દચિત્ર દોરે છે. કવિને ખુબ ખુબ અભિનંદન.
બાપુસાહેબ ગાયકવાડ બાપુમહારાજ તરીકે પણ પ્રસિદ્ધ હતા. મધ્યકાલીન કવિઓમાં આ એક પદને કારણે પણ ગાયકવાડનું નામ યાદ રહી જાય એવું છે. ઘણાં વર્ષો પહેલાં એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે તમે સજ્જન કોને કહો? પ્રશ્ન ઓચિંતો પુછાયેલો. આપમેળે જે જવાબ આપ્યો તે કયો?… જેનાં સાંનિધ્યમાં તમે રિલેકસ થઈ શકો, તમે આસાયેશ અનુભવી શકો એ માણસ સજ્જન. સંત તો સજ્જનનાયે સજ્જન.
કવિએ અહીં સંતની અત્યંત અદ્ભુત વ્યાખ્યા આપી છે અને પ્રથમ પંક્તિમાં જ એક ઘા ને બે કટકા જેવી વાત કરી છે. શાંતિ પમાડે તેને તો સંત કહીએ. જીવનમાં અશાંતિ આપનારા ઘણા છે. માણસ પોતે પણ અજંપાનો અવતાર છે. આ અશાંતિ, અજંપો, હતાશા, ગ્લાનિ-આ બધાની વચ્ચે કોઈ આપણને શાંતિના દ્વીપ ઉપર મૂકી શકે તે આપણો સંત. જેને કારણે આપણા ચૈતન્યની વંસત મહોરી ઊઠે તે આપણો સંત. આપણે જવાળામુખી પર બેઠા હોઈએ અને જેની વાણી કે મૌન, જેનો પારસમણિ સ્પર્શ આપણી ભીતર ચંદનનો લેપ કરી શકે તે આપણો સંત અને જે આપણો સંત હોય એના દાસ થવું એના જેવો કોઈ આશીર્વાદ નથી.
જીવનમાં સતત કડવા અનુભવો થાય છે. આપણું ધારેલું કશું થતું નથી. આપણે સવળું ઈચ્છ્યું હોય અને અવળું થાય છે We never know the design of the destiny. કલ્પવૃક્ષ તળે પણ ઊભા હોઈએ તો પણ દારિદ્ર જતું નથી. રાજા જેવા રાજાની ચાકરી કરતાં પણ કશું વળતું નથી. જીવનમાં વૈતરું અને વેઠ છે. જે શીખવે છે એનો માર સહીએ છીએ અને છતાંયે જ્ઞાનથી તો જોજનના જોજન દૂર રહીએ છીએ. જેની સંગાથે જઈએ છીએ તે પણ લૂંટી લે છે. ભલભલો વૈદ હોય અને એના કહેલા ઉપચારો કરીએ તોપણ કાંઈ વળતું નથી અને રોગ તો ત્યાંનો ત્યાં જ રહે છે. જે આપણું જ માથું વાઢી નાખે એના ઘરે પણ શા માટે જવું જોઈએ?
હકીકતમાં પ્રથમ પંક્તિમાં જ આ કવિતાની પરાકાષ્ઠા છે. પછી તો કવિએ વિવિધ દ્રષ્ટાંતો અને ઉદાહરણોથી અનુભવગાથુ અને ગળે ઘૂંટડો ઊતરે એવા છે. છતાં પણ કવિતાની ગતિનો ગ્રાફ ઉપર જતો નથી પણ વર્તુળાકારે જતો હોય એવું લાગે છે.આ બધાં કરતાં તો જો આપણને કોઈ સદ્ગુરુ મળી જાય અને એનું અનામ નામ કાયમને માટે આપણે કાળજે વળગી પડે તો એનાથી રૂડું શું? પછી કોઈ આપણને અસ્વસ્થ ન કરી શકે, કારણ કે જે ગુરુ છે, જે સદ્ગુરુ છે તે, વિધાતા ગમે તેવી હોય તો પણ, શાશ્વત શાતા આપે છે. ગુરુ પાસે નરવો સ્નેહ છે અને કોઈ અપેક્ષા નથી. જ્યાં કેવળ ગુરુનો પ્રેમ હોય અને શિષ્યની ભક્તિ હોય ત્યાં આપણા અસ્તિત્વની આસપાસ શાંતિનું સરોવર જ હોય. અગમ નિગમની સારેગમની ગુરુ ગતાગમ આપે.