આજે જન્માષ્ટમી… સૌને કૃષ્ણજન્મની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!!
આજ દિવસે ગુજરાતના લોકલાડીલા લોકગાયક શ્રી હેમુદાન ગઢવી – તા. ૨૦-૭-૬૫ની જન્માષ્ટમીએ, એમના કાનુડા પાસે એકાએક ચાલ્યા ગયા!!
તો આજે એમને શ્રધ્ધાંજલી સાથે માણીએ – એમના અવાજમાં થોડા કૃષ્ણગીતો..!!
સ્વર – હેમુદાન ગઢવી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસની સાથે આપણા વ્હાલા લાડીલા અને ગુજરાતી સંગીતને એક અનેરી ઉંચાઇ બક્ષનાર સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મદિવસ પણ. એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમના સ્વરમાં આ અદ્ભૂત પદ..!
દરેક ગુજરાતીને હોઠે ને હૈયે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા સાંભળવા માટે આમ તો સમય જોવાનો હોતો નથી..! તો ચલો, સાંભળો આ અમર રચના આજે ફરી એક સ્વરમાં.
સ્વર – અભરામ ભગત
____________________
Posted on April 26, 2007
અત્યારે ભલે તમારે ક્યાં કોઇ પણ સમય હોય, પણ શક્ય હોય તો આ પ્રભાતિયા વહેલી પરોઢે જરૂર સાંભળજો.. આમ તો પ્રભાતિયા કોઇ પણ અવાજમાં અને કોઇ પણ સમયે સાંભળવા ગમતા જ હોય છે, પણ જેનું નામ જ ‘પ્રભાતિયા’ છે, એને પ્રભાતે તો સાંભળવા જ પડે ને !! 🙂
અને આ સૌથી પહેલું જે ગીત મુક્યું છે, એમાં પ્રફુલ દવેના સ્વરની સાથે સાથે જ પંખીઓનો કલરવ, મંદિરનો ઘંટનાદ, ગાયના ભાંભરવાનો અવાજ, અને કુકડો બોલે એ બધા અવાજ એવા સરસ રીતે વણી લીધા છે કે જો તમે ગામડાની સવારની મજા માણી હોય, તો એ જરૂર યાદ આવી જ જાય.
બાપુસાહેબ ગાયકવાડ બાપુમહારાજ તરીકે પણ પ્રસિદ્ધ હતા. મધ્યકાલીન કવિઓમાં આ એક પદને કારણે પણ ગાયકવાડનું નામ યાદ રહી જાય એવું છે. ઘણાં વર્ષો પહેલાં એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે તમે સજ્જન કોને કહો? પ્રશ્ન ઓચિંતો પુછાયેલો. આપમેળે જે જવાબ આપ્યો તે કયો?… જેનાં સાંનિધ્યમાં તમે રિલેકસ થઈ શકો, તમે આસાયેશ અનુભવી શકો એ માણસ સજ્જન. સંત તો સજ્જનનાયે સજ્જન.
કવિએ અહીં સંતની અત્યંત અદ્ભુત વ્યાખ્યા આપી છે અને પ્રથમ પંક્તિમાં જ એક ઘા ને બે કટકા જેવી વાત કરી છે. શાંતિ પમાડે તેને તો સંત કહીએ. જીવનમાં અશાંતિ આપનારા ઘણા છે. માણસ પોતે પણ અજંપાનો અવતાર છે. આ અશાંતિ, અજંપો, હતાશા, ગ્લાનિ-આ બધાની વચ્ચે કોઈ આપણને શાંતિના દ્વીપ ઉપર મૂકી શકે તે આપણો સંત. જેને કારણે આપણા ચૈતન્યની વંસત મહોરી ઊઠે તે આપણો સંત. આપણે જવાળામુખી પર બેઠા હોઈએ અને જેની વાણી કે મૌન, જેનો પારસમણિ સ્પર્શ આપણી ભીતર ચંદનનો લેપ કરી શકે તે આપણો સંત અને જે આપણો સંત હોય એના દાસ થવું એના જેવો કોઈ આશીર્વાદ નથી.
જીવનમાં સતત કડવા અનુભવો થાય છે. આપણું ધારેલું કશું થતું નથી. આપણે સવળું ઈચ્છ્યું હોય અને અવળું થાય છે We never know the design of the destiny. કલ્પવૃક્ષ તળે પણ ઊભા હોઈએ તો પણ દારિદ્ર જતું નથી. રાજા જેવા રાજાની ચાકરી કરતાં પણ કશું વળતું નથી. જીવનમાં વૈતરું અને વેઠ છે. જે શીખવે છે એનો માર સહીએ છીએ અને છતાંયે જ્ઞાનથી તો જોજનના જોજન દૂર રહીએ છીએ. જેની સંગાથે જઈએ છીએ તે પણ લૂંટી લે છે. ભલભલો વૈદ હોય અને એના કહેલા ઉપચારો કરીએ તોપણ કાંઈ વળતું નથી અને રોગ તો ત્યાંનો ત્યાં જ રહે છે. જે આપણું જ માથું વાઢી નાખે એના ઘરે પણ શા માટે જવું જોઈએ?
હકીકતમાં પ્રથમ પંક્તિમાં જ આ કવિતાની પરાકાષ્ઠા છે. પછી તો કવિએ વિવિધ દ્રષ્ટાંતો અને ઉદાહરણોથી અનુભવગાથુ અને ગળે ઘૂંટડો ઊતરે એવા છે. છતાં પણ કવિતાની ગતિનો ગ્રાફ ઉપર જતો નથી પણ વર્તુળાકારે જતો હોય એવું લાગે છે.આ બધાં કરતાં તો જો આપણને કોઈ સદ્ગુરુ મળી જાય અને એનું અનામ નામ કાયમને માટે આપણે કાળજે વળગી પડે તો એનાથી રૂડું શું? પછી કોઈ આપણને અસ્વસ્થ ન કરી શકે, કારણ કે જે ગુરુ છે, જે સદ્ગુરુ છે તે, વિધાતા ગમે તેવી હોય તો પણ, શાશ્વત શાતા આપે છે. ગુરુ પાસે નરવો સ્નેહ છે અને કોઈ અપેક્ષા નથી. જ્યાં કેવળ ગુરુનો પ્રેમ હોય અને શિષ્યની ભક્તિ હોય ત્યાં આપણા અસ્તિત્વની આસપાસ શાંતિનું સરોવર જ હોય. અગમ નિગમની સારેગમની ગુરુ ગતાગમ આપે.
મારી ખૂબ ગમતી રચના… વારંવાર સાંભળવાનું મન થયા જ કરે….!!! અને આજે એને સંભળાવવાનું બીજું એક બહાનું લઇ આવી. સાંભળો આ અદ્ભૂત રચના – સ્વરકાર શ્રી અતુલ દેસાઈના સ્વરમા. (આ ફાઇલની સાથે પંડિતજીનું નામ હતું ગાયક તરીકે – એટલે પહેલા એમનું નામ લખ્યું હતું. ભૂલ સુધારવા માટે અશોકભાઇનો આભાર).
સ્વર/સંગીત – અતુલ દેસાઈ
***********************
Posted on May 21, 2009
ભૈરવી રાગમાં સ્વરબધ્ધ થયેલી આ ટચુકડી રચના જેટલીવાર સાંભળીયે એટલીવાર મઝા કરાવે.. સ્વરકાર દક્ષેશભાઇની આ ખૂબ ગમતી રચના.
આ ગીતના સ્વરાંકન અને રાગ વિષેની મારી ભુલ સુધારવા માટે આભાર અમરભાઇ.. (નીચે Comment માં આ ગીત વિષે અમરભાઇની વાત અહીં Copy કરવાની લાલચ હું રોકી ન શકી)
I think I sang this song in 1989 at Dr.Vikram Kamdar’s residence at his insistence.This was the first ever song of kavyasangeet that i learnt from my mother when I was about 12 years old. The words printed by you -particularly fudadiye fudadiye are correct. i sang fumatade fumatade which does not seem to be right.
However two corrections- the composition is of Pandit Omkarnath Thakur and not of Daksheshbhai. Our great vocalist Shri Atul Desai himself a disciple of pandit Omkarnathji has sung it very well.Secondly it is not in rag bhairavi but it is based on Rag Sindhura.It is one of the milestones of Kavyasangeet- Gujarat is fortunate to have Work of two greats of Gujarat-Kavi Nanalal and Classical Vocalist Sangeet Martand Pandit Omkarnathji-combined together in this geet.
અને આવી સુંદર રચનાને જ્યારે અમરભાઇની પ્રસ્તુતિ મળે, ત્યારે જાણે શબ્દો-સંગીતની સુંદરતા ઓર વધી જાય છે.
અમરભાઇના થોડા વર્ષો પહેલાના Los Angeles program નું આ Live Recording છે. એટલે અમરભાઇ પોતાની આગવી અદામાં ગીત પહેલા જે વાતો કરે છે, એનો લ્હાવો અહીં પણ મળી રહે છે.
અને હા, ફરી એકવાર યાદ કરાવી દઉં.. અમરભાઇ હમણા અમેરિકાની મુકાલાતે છે. વિગતો આપ અહીંથી મેળવી શકશો.
અને San Francisco – Bay Area ના મિત્રોને ખાસ આમંત્રણ – ૨૫મી મેના અમરભાઇના કાર્યક્રમ માટે. Please let your friends in Bay Area know about this golden opportunity to listen to Amarbhai live… Also, if any of you or your friends are planning to attend the program, please RSVP by sending email to Mira Mehta : miramehta@hotmail.com or by commenting to this post. We need to give a count to caterer who will be catering the dinner. Hope to see you there 🙂
(વિરાટનો જાદુ…. Upper Yosemite Falls, Apr 09)
* * * * *
સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : પંડિત ઓમકારનાથ ઠાકુર
વિરાટનો હિંડોળો ઝાકમઝોળ;
કે આભને મોભે બાંધ્યા દોર;
વિરાટનો હિંડોળો…