Category Archives: ભજન/ધૂન/આરતી/ભક્તિપદ

શંભુ ચરણે પડી….

આજે મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે – આ મારું ઘણું જ ગમતું શિવ-ભજન ફરી એકવાર… ગમશે ને?

********************
Posted on June 13, 2007

આ ભજન મારા માટે ઘણું ખાસ છે. નાનપણથી જે થોડા ભજનો મોઢે યાદ છે, એમાંનું એક આ ભજન.

મને હજુ યાદ છે… નાની હતી ત્યારે કોઇ કોઇ વાર પપ્પા સાથે ‘નાદબ્રહ્મ’ ( ભક્ત સમાજનો official ભજનસંગ્રહ ) લઇને સાંજે ભજન ગાવા બેસતા. ‘શ્રી ગુરુને પાયે લાગું, પહેલા વહેલા...’, ‘મારી નાડ તમારે હાથે, હરી સંભાળજો રે..’, ‘શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન….’ જેવા અમુક ભજનો પપ્પાને ખાસ ગમતા, એટલે એ કાયમ ગવાતા…
એમાંનું એક ભજન આ પણ ખરું. હજુ પણ જેટલી વાર આ ભજન વાંચુ કે સાંભળું, એટલી વાર સુવિધા કોલોનીનું એ ઘર, મમ્મી પપ્પા, અને 10-12 વર્ષની જયશ્રી… બધું યાદ આવી જાય….

સ્વર : મનોજ દવે

shivjee

.

Jatatavigalajjala pravahapavitasthale
Galeavalambya lambitam bhujangatungamalikam
Damad damad damaddama ninadavadamarvayam
Chakara chandtandavam tanotu nah shivah shivam .. 1

Jatakatahasambhrama bhramanilimpanirjhari
Vilolavichivalara ivirajamanamurdhani
Dhagadhagadhagajjva lalalatapattapavake
Kishorachandrashekhare ratih pratikshanam mama .. 2

(‘શિવ તાંડવ સ્તુતિ‘ની શરૂઆતની 2 કડી અહીં લેવાઇ છે)
શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
દયા કરી દર્શન શિવ આપો ॥૧॥

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા ।
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ॥૨॥ દયા કરી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી ।
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ॥૩॥ દયા કરી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે ।
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ॥૪॥ દયા કરી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી ।
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ॥૫॥ દયા કરી

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું ।
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો ॥૬॥ દયા કરી

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો ।
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો ॥૭॥ દયા કરી

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ॥૮॥ દયા કરી

બે મંજીરાં – ભગવતીકુમાર શર્મા

સ્વર – સ્વરાંકન : સોલી કાપડિયા

મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં…

ક્રુષ્ણક્રુષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા:

એક મંજીરે સૂરજ ઝળહળ,
બીજે અમિયલ ચન્દા.

શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા…

રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;

વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.

હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં…
મારે રુદિયે બે મંજીરાં.

– ભગવતીકુમાર શર્મા

( આભાર – પ્રભાતના પુષ્પો)

ભૂતળ ભક્તિ પદારથ મોટું – નરસિંહ મહેતા

સ્વર : ઉદય મઝુમદાર

.

ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મ લોકમાં નાહીં રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે

હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે,
નિત્ય સેવા, નિત્ય કીર્તન-ઓચ્છવ, નીરખવા નંદકુમાર રે … ભૂતળ ભક્તિ.

ભરત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન્ય ધન્ય એના માતપિતાને, સફળ કરી જેણે કાયા રે … ભૂતળ ભક્તિ.

ધન્ય વૃંદાવન, ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજના વાસી રે,
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે ઉભી, મુક્તિ થઈ એની દાસી રે … ભૂતળ ભક્તિ.

એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કાંઈ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો ભોગી રે … ભૂતળ ભક્તિ.

मन लागो मेरो यार फ़कीरी में ॥ – संत कबीर

ઘણા વખત પહેલા આબિદા પરવીનના સ્વરમાં કબીરજીના કેટલાક દુહા સાંભળ્યા હતા… એનુ શિર્ષક પણ ‘મન લાગો યાર ફકીરીમેં..’ એવું જ છે..! પણ એમાં ઘણા બધા દુહા એક સાથે હતા, જ્યારે અહીં પ્રસ્તુત ભજન અલગ છે..! આશા છે આપને આ પણ ગમશે…!

સ્વર – સંગીત આયોજન : આશિત દેસાઇ

આલ્બમ : ઢાઇ અક્ષર પ્રેમ કા

मन लागो मेरो यार फ़कीरी में ॥
मन लाग्यो मेरो यार फ़कीरी में ॥

जो सुख पाऊँ राम भजन में
सो सुख नाहिं अमीरी में
मन लागो मेरो यार फ़कीरी में ॥

भला बुरा सब का सुनी लीजे
कर गुजरान गरीबी में
मन लागो मेरो यार फ़कीरी में ॥

प्रेम नगर में रहनी हमारी
खलिबनी आई सबूरी में
मन लागो मेरो यार फ़कीरी में ॥

हाथमें कुंची बगल में सोता
चारो दिसी जागीरी में
मन लागो मेरो यार फ़कीरी में ॥

आखिर यह तन ख़ाक मिलेगा
कहाँ फिरत मग़रूरी में
मन लागो मेरो यार फ़कीरी में ॥

कहत कबीर सुनो भयी साधो
साहिब मिले सबूरी में
मन लागो मेरो यार फ़कीरी में ॥

जय माधव मदन मुरारी

આજે આ એક સુંદર મઝાની ભક્તિ રચના… આશા છે કે આપને ગમશે. કોઇક પ્રોગ્રામનું રેકોર્ડિંગ છે, પણ મોકલનાર પાસે વધુ માહિતી નથી. જો આપ મદદ કરશો તો ગમશે..

સ્વર – હસમુખ પાટડિયા

जय माधव मदन मुरारी,
जय केशव कलिमल्हारी.
सुन्दर कुंडल नयन विशाला,
गले सोहे वैजन्तिमाला,
या छबीकी बलिहारी,
जय माधव मदन मुरारी.
कबहूँ लूट लूट दधि खायो,
कबहूँ मधुवन रस रचायो,
नाचत बिपिन बिहारी,
जय माधव मदन मुरारी.
करुना कर द्रोपदी उगारी,
पट में लिपट गए बनमाली,
निरख रहे नर नारी,
जय माधव मदन मुरारी.
जय माधव मदन मुरारी,
जय केशव कलिमल्हारी.

હું તમને સમરું ગજાનન દેવા…

સૌને ગણેશ ચતુર્થિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

સાંભળો આ સરસ મજાની ગજાનન સ્તુતિ..

સ્વર – હેમંત ચૌહાણ

હું તમને સમરું ગજાનન દેવા
મારા અંતરમાં કરો અજવાળા

સરસ્વતીમાતા શારદાને સમરું
મારા મનડાનો મેલ ઉતારો હો જી રે…

પીળા પીતાંબર કેસરિયા વાઘા
તારી કંચનવરણી કાયા, હો જી રે…

*******

ગણપતી સ્તુતિ – સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગણેશચતુર્થી ની શુભકામનાઓ…..
પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા
સમરું સાંજ સવેરા… – રવિરામ
ओंकार स्वरुपा, सद्‍गुरु समर्था
श्री गणेशाय धीमहि
सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची

નજર કરું ત્યાં નારાયણ – પુષ્પા વ્યાસ

નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ.
પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી!

હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરી.
દીવો પ્રગટયો ત્યાં તો, ટવરક-ટવરક વાતું કરી!

ઘંટી, પાણી, વાસીદું ને, ચૂલો ઘરવખરી.
જયાં જયાં કામે લાગું ત્યાં ત્યાં મંદિર ને ઝાલરી!

ભવખેતરને ખેડી રાખ્યું, કૂવો કાંઠા લગી.
મેં તો વાવી જાર, પાકયાં-મોતી ફાટું ભરી!

અણસમજીમાં જે કંઈ વાવ્યું, બાવળ કે બોરડી.
પાછું વળી જો ત્યાં તો આંબા ને મંજરી!

પોથી, પુસ્તક, શાસ્ત્ર પુરાણે, સાવ જ કાચી ઠરી.
ઢાઈ અક્ષર ધાગો કાઢું તેની તકલી ભરી!

આંગણ વાવું કદંબિયો ને, ઘટમાં યમુના ભરી.
પંડ અમારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી!
– પુષ્પા વ્યાસ

દિવ્ય ભાસ્કર – હયાતિ ના હસ્તાક્ષર માં કવિ શ્રી સુરેશ દલાલ દ્વારા આ રચના નો આસ્વાદ

********
ઈશ્વરનું સ્મરણ એટલું તીવ્ર ને એટલું આત્મીય છે કે નાના મોટા ઘરનાં કામ કરતાં કરતાં પણ મંદિરનું વાતાવરણ રચાય છે અને ઝાલર સંભળાય છે

પુષ્પા વ્યાસ નામ ભલે નવું હોય, પણ એમની કવિતા કોઈ નીવડેલા કવિની હોય એટલી બધી માતબર છે. એમના ગીતના ઉપાડ ભાવિક અને સ્વાભાવિક છે. વાંચતાની સાથે એ ઉપાડ એટલી હદે ગમી ગયા કે જો એ પંકિતઓ ટાંકવા બેસું તો કદાચ એનો પાર ન આવે. હું એમને કદીયે મળ્યો નથી, પણ આ કાવ્યસંગ્રહ વાંરયા પછી મળ્યો નથી એમ કહેવું એ પણ બરાબર નથી. એમની કવિતા દ્વારા પરોક્ષ રીતે જાણે કે એમનામાં વસેલા આંતર-કવયિત્રીને મળ્યા જેટલો જ આનંદ થાય છે.

એમની કવિતામાં કસબ છે, પણ એ જુદો તરી આવે એવો નથી. આ લક્ષણ એમની કવિતાનો ગુણ છે. કસબ જુદો તરી આવે એનો અર્થ એવો કે એ બાહ્ય છે. કવિતા સાથે જ જાણે કે કસબ વણાયેલો છે. એમના લોહીમાં લયનું નિરંતર ભ્રમણ થતું હોય એવું લાગે. મને વહેમ છે અથવા એમ કહું કે મને શ્રદ્ધા છે કે એમને કયાંક ને કયાંક કોઈ કોઈ વાર અથવા અવારનવાર આઘ્યાત્મિક સ્પર્શ થયો જ હશે. નહિતર ગીતના આવા સંધેડાઉતાર ઉપાડ મળી ન શકે. એ કોઈની પરંપરામાં પ્રવેશીને લખતાં નથી, પણ પોતાના ભાવજગતની પરંપરામાં રહીને લખે છે. એ અનુભવને અથવા અનુભવની તીવ્રતા-અનુભૂતિને પોતાના શ્વાસમાં લે છે અને પછી ઉરછ્વાસમાં કવિતારૂપે પ્રગટ કરે છે.

ભલું થજો આત્મીય મોરારિબાપુનું કે એમણે પુષ્પાબહેનને ભાવભર્યોઆગ્રહ કર્યો અને એને પરિણામે આપણને ‘નિંભાડો’ જેવો કાનમાં અને ઘ્યાનમાં વસી જાય એવો પ્રથમ કાવ્યસંગ્રહ તાજેતરમાં મળ્યો. ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્ અને જયાં જયાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપનીની અનાયાસ યાદ આવે છે. કવયિત્રીના મનમાં એક ક્ષણે આવું કશું નહીં હોય. આ ગીત એવી પ્રતીતિ આપે છે કે એમણે લખ્યું નથી પણ એમનાથી સહજપણે, અનાયાસે લખાઈ ગયું છે. હરિ તારાં નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી એ પણ પંકિત ગુંજતી ગુંજતી કાન કને આવે. પણ અહીં તો નારાયણ, હરિ અને પુરુષોત્તમ-આ ત્રણે નામ ત્રિભુવન જેવાં અને આ નામના ઘરમાં જ ઠરવાની વાત છે. કવયિત્રી આપણા એક જમાનામાં જાણીતા કવિ ત્રિભુવન વ્યાસનાં પુત્રી છે. લોહીમાં વહેતો લય હાડકાંમાં કોતરાઈ ગયેલો છે. દરિયાનાં મોજાંની જેમ અથવા સાંજની હવાની લહેરની જેમ એક પછી એક પંકિત આવે છે. ભાષા પરથી કહી શકાય કે કવયિત્રી સૌરાષ્ટ્રનાં છે, નહિતર હૈયાદૂબળી હું મોઢે મોળી એવા શબ્દપ્રયોગ કયાંથી આવે? ઈશ્વરનું સ્મરણ એટલું તીવ્ર ને એટલું આત્મીય છે કે નાના મોટા ઘરનાં કામ કરતાં કરતાં પણ મંદિરનું વાતાવરણ રચાય છે અને ઝાલર સંભળાય છે. કામ કામની રીતે થાય અને નામસ્મરણ નામની રીતે થાય. કોઈ કોઈની આડે આવતું નથી.

ભવખેતરમાં નર્યા સમર્પણથી વાવેલી જાર મોતી થઈને મબલખ લહેરાય છે. આ સમર્પણ એકનિષ્ઠ ભકિતનું પરિણામ છે. જે કંઈ વાવ્યું છે એ જ્ઞાનથી નથી વાવ્યું અથવા સમજણથી પણ નથી વાવ્યું. અણસમજમાં કોઠાસૂઝે જે આવડયું તે કર્યું. આ વાત કવિતાના ક્ષેત્રે પણ સારચી છે. કવયિત્રીએ રીતસરનો શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય અને પછી લખ્યું હોય એવું નથી. ખુદના ખડિયામાં કલમ બોળીને જે આવડે તે લખ્યું છે. અણસમજમાં કદાચ બાવળ કે બોરડી વવાઈ ગયાં હોય પણ ભકિતભાવ એવો કે જયાં જોઉ છું ત્યાં આંબા ને મંજરી જ દેખાય છે. લખતી વખતે કોઈ પોથી, પુસ્તક, શાસ્ત્ર કશું જ કામ નથી આવતું. જીવન જીવવામાં જ્ઞાન ઘણી વાર ઘમંડનું રૂપ લે છે અથવા બોજો બને છે પણ છઠ્ઠી ઈન્દ્રિય આપણને કોઈ અગિયારમી દિશા બતાવે છે. પ્રેમનો અઢી અક્ષર એ પરમેશ્વર થઈને રહી જાય છે. અહીં શ્રદ્ધાની બુલંદી છે અને આ બુલંદી કેવી કે આંગણે કદંબ, ઘટમાં યમુના અને પોતે વાંસળી. પ્રતીતિ એવી કે કૃષ્ણની ફૂંક વાગશે જ.

આ કવયિત્રીનું ‘જાપ નિરંતર’ નામનું એક બીજું ગીત જોઈએ:

ઘણા સમયથી ચપટી વરચે, પૂણી રાખી કાંતું છું.
તારની લંબાઈ પછી હું નિરાંતેથી માપું છું.
ફર ફર કરતો ફરે ફાળકો, અગણિત તારે બાંધું છું.
આવે તો હું હાર બનાવું, કેડે ખોસી રાખું છું.
ફળિયા વરચે કૂવો ગાળી, રેંટ મુકાવી રાખું છું.
ઘડા પછી તો ઘડો નીકળતો, જાપ નિરંતર રાખું છું.

मोको कहाँ ढूंढे रे बन्दे – संत कबीर

આજે ગુરુપૂર્ણિમાના દિવસે કબીરજીનું મને ખૂબ જ ગમતું પદ સાંભળીયે. સ્વર અને સ્વરાંકન પણ એવા સરસ છે કે વારંવાર સાંભળવાનું મન ચોક્કસ થાય.

मोको कहाँ ढूंढे रे बन्दे,
मैं तो तेरे पास में
ना तीरथ में , ना मूरत में
ना एकांत निवास में

ना मन्दिर में , ना मस्जिद में
ना काबे कैलास में
मैं तो तेरे पास में
बन्दे मैं तो तेरे पास में

ना मैं जप में , ना मैं तप में
ना में बरत उपवास में
ना मैं किरिया करम में
रहता नहीं जोग सन्यास में

नहीं प्राण में नहीं पिंड में
ना ब्रह्माण्ड अकास में
ना में प्रकुति प्रवर गुफा में
नहीं स्वसन की स्वांस में

खोजी होए तुरत मिल जाऊं
इक पल की तलास में
कहत कबीर सुनो भाई साधो
में तो हूँ विस्वास में

– संत कबीर
**********

(શબ્દો માટે આભાર : This ‘n That)

રામમઢી રે મારી રામમઢી – ઉમાશંકર જોશી

આજે ૨૧ જુલાઈ એટલે ઉમાશંકર જોશીની જન્મશતાબ્દી છે. એ અવસરે એમની આ યાદગાર રચના…..

આલ્બમ : હસ્તાક્ષર
સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : રવિન્દ્ર સાઠે

.

રામમઢી રે મારી રામમઢી,
ગંગા ને કાંઠે રામમઢી;
રામમઢી રે મારી રામમઢી,
જમુના ને કાંઠે રામમઢી.

કોઈ સંતન આવે મંગલ ગાવે,
અલખ ધૂનરસ રંગ લગાવે;
આવે કોઈ અવધૂત ચઢી,
રામમઢી રે મારી રામમઢી….

રસભર હૈયાની ડોલે નૈયા,
પીયુ પીયુ બોલે પ્રાણ પપૈયા;
ચેતનની વરસંત ઝડી,
રામમઢી રે મારી રામમઢી….

– ઉમાશંકર જોશી

માત ભવાની દુર્ગે – પરેશ ભટ્ટ

આજે જુલાઇ ૧૪, સ્વરકાર શ્રી પરેશ ભટ્ટની પુણ્યતિથિ. તો આજે એમનું આ અદભૂત સ્વરાંકન, એમના પોતાના અવાજમાં સાંભળીને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

સ્વર – સંગીત : પરેશ ભટ્ટ