ચં.ચી. મહેતા ના નામે જાણીતા આપણા કવિ-સાહિત્યકાર શ્રી ચંદ્રવદન ચીમનલાલ મહેતાની આજે જન્મ શતાબ્દી. (જન્મ તારીખ April 6, 1901). એમને શ્રધ્ધાંજલી સાથે માણીએ એમનું આ ગીત. ગીતની પહેલી જ પંક્તિ વાંચો અને ‘પઢો રે પોપટ રાજા રામના…’ યાદ આવી જાય..! પણ જેમ જેમ ગીત આગળ વાંચશો – ગીત તમને એક જુદા જ શિખર પર ચોક્કસ લઇ જશે.
કૈવિ શ્રી ઉશનસ્ નું આ મઝાનું ગીત માણીએ આજે… આ જ ભાવની કોઇ પંક્તિ.. કોઇ કહેવત.. કંઇ તો સાંભળ્યું છે – પણ હમણા યાદ નથી આવી રહ્યું. તમને કંઇક યાદ આવે તો કહેજો, હોં ને?
ઉષ્માભર જ્યાં ‘આવો’ કહી કો ભાવથી ના બોલાવે,
શું કરવા જઈએ એવે ઘર, જે ઘર તડકો ના’વે?
સપ્તભોમ આવાસ ભલે હો, આરસની હો ભીંત,
પણ જો એ ઘર કોઈ ન બોલે, અધરે ના હોય સ્મિત,
શું જવું ત્યાં જ્યાં પંખી ના’વે નભ પણ ના’વે?
અને હા – કવિ શ્રી સુન્દરમ્ ની જન્મતિથિ પણ ૨૨મી માર્ચે જ ગઇ..! તો એમને પણ યાદ કરી લઇએ..! મને સાચ્ચે અમદાવાદીઓની ઇર્ષ્યા થાય ઘણી વાર. જુઓ ને, ૨ દિવસ પછી ૪થી એપ્રિલે – કવિ શ્રી સુન્દરમ્ ના ગીતો સ્વરકાર અમરભાઇ પ્રસ્તુત કરશે (ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ – લલિતકલાકેન્દ્ર, અમદાવાદ). ચલો, મારા બદલે તમે જ જઇ આવજો 🙂
તો સાંભળો – કવિ શ્રી સુન્દરમ્ ના શબ્દો, રવિન નાયકનું એવું જ મઝાનું સ્વરાંકન – અને બાળમિત્રોની એટલી જ addictive પ્રસ્તુતિ.
સંગીત: રવિન નાયક
સ્વર: બાળવૃંદ
અમે ગ્યાં’તાં હો રંગના ઓવારે... Lower Yosemite Falls, CA - April 2009
હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.
આજે કવિ શ્રી ડો. દિનેશ શાહના જન્મદિવસે – એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ મઝાનું ગીત..! મને તો ગીતની શરૂઆતનું સંગીત જ ખૂબ ગમી ગયું. કોયલની વાત સાથે સ્વરકારે ટહુકો પણ કેવો મઝાનો પૂર્યો છે આ ગીતમાં..! અને ગીતના શબ્દો પણ એટલા જ મઝાના છે.
ચલો, આજે એક pop quiz – 🙂 તમારામાંથી બળદગાડામાં કોણ બેઠું છે? હું ઘણી જ નાની હોઇશ ત્યારે કદાચ મમ્મી સાથે બેઠી હોઇશ. પણ મને તો કંઈ યાદ નથી. તમારી પાસે કોઇ સંભારણા છે વહેંચવા માટે?
આવા કેટલાંયે સત્તર અક્ષરમાં પોતાની અનુભૂતીનું અત્તર નાંખીને કવયિત્રી લાવ્યા છે એમનો નવો હાઈકુસંગ્રહ ‘અત્તર-અક્ષર’, જે જાન્યુઆરીની 25મી પ્રકાશિત થયો હતો. આ સંગ્રહને એમણે આ પ્રકારનાં કુલ 206 હાઈકુથી શણગાર્યો છે. એમાનાં થોડા હાઈકુ તમે એમની વેબસાઈટ પર પણ માણી શકો છો. કવયિત્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ…