લઈને હિલ્લોળા નીર જમુના નાં સરખાવે, એની નીલાશ સંગે વાન
વૃંદાવન કુંજે કોઈ ગમતીલા તરુવર ની ડાળી માં ઉગ્યું એક ગાન
સુતી યશોદા ની વેદના ને વીંધી એના ઊંઘરેટા નેણ માં સમાયું
કૌતુક થી રાતે સુતો સુરજ જગાડ્યો, એના કિરણો નું ટોળું આવ્યું આંગણ
નંદજી ને ઘેર આખું આભ ઉતર્યું ને, ડોક ઉંચી કરી જુએ ગોધણ
રાધાએ મખમલિયા પીંછા ને ચૂમ્યું ત્યાં તો, વાંસળીમાં સગપણ છલકાયુ
થોડીવાર પહેલા જ એક મિત્રએ આ ગીત મોકલ્યું. અને સાથે શબ્દોની pdf. ટાઇપ કરતા પહેલા google કર્યું, તો શબ્દો પણ અક્ષરનાદ પરથી મળી ગયા. ગીતનું શીર્ષક વાંચતા જ થયું કે કશે તો આ શબ્દો સાંભળ્યા છે, પણ ગીત નથી સાંભળ્યું, અને તરત જ આ ગીત યાદ આવી ગયું – જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.... એ ગીતની શરૂઆતમાં – પ્રસ્તાવનામાં કવિ શ્રી સુરેન ઠક્કર ‘મેહુલ’ એ આ લોકગીતની છેલ્લી કડીનો ઉલ્લેખ કર્યો છે. તો સાંભળો આ લોકગીત – આશા ભોંસલેના સ્વરમાં… (ગવાયેલા શબ્દો થોડા અલગ છે, પણ લખેલા શબ્દો શ્રી ઝવેરચંદ મેઘાણી દ્રારા સંપાદીત પુસ્તકમાંથી લેવાયેલા હોવાથી બદલ્યા નથી. )
આ ગીતના શબ્દો, અને સાથેની નોંધ (‘રઢિયાળી રાતના રાસ’માંથી) માટે ગોપાલકાકાનો આભાર. અને સાથે આભાર એ મિત્રોનો જેમણે આ ગીતની મોકલ્યું ટહુકો પર વહેંચવા માટે. આ ગીતના બે અલગ અલગ version અહીં મૂક્યા છે, પણ બંને ગીતમાં બધી કડીઓ નથી. બીજા કોઇ ગીતમાં કદાચ વધુ ગવાયેલી કડીઓ મળી રહે.
જળદેવતાને
”રઢિયાળી રાતના રાસ/સં:ઝવેરચંદ મેઘાણી/પાનું:35-36
(જુદાં જુદાં અનેક ગામોનાં જળાશયો વિષે આ કથા છે. નવાણમાં પાણી નથી આવતું; જળદેવતા ભોગ માગે છે :ગામનો ઠાકોર પોતાનાં દીકરા-વહુનું બલિદાન ચડાવે છે. વાત્સલ્યની વેદના, દાંપત્યની વહાલપ અને સમાજ—સુખ કાજે સ્વાર્પણ: એ ત્રણે ભાવથી વિભૂષિત બનીને જળસમાધિ લેનારાં આ વરવધૂએ લોક-જીવનમાં અમર એક અશ્રુગંગા વહાવી દીધી છે. ઘણી પંક્તિઓ પાછળથી ઉમેરાઇ લાગે છે.)
સ્વર – હેમુ ગઢવી
સ્વર – પ્રાણલાલ વ્યાસ
સંગીત – મહેશ-નરેશ
ગુજરાતી ફિલ્મ – વનજારી વાવ (૧૯૭૭)
કવિ શ્રી રામનારાયણ પાઠકના જન્મદિવસે એમને શ્રધ્ધાંજલી. એમના નામની સાથે જ મને એમની આ અમર રચના – પરથમ પરણામ મારા…. જરૂર યાદ આવી જ જાય.
*************
ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!
ધમાલ ન કરો, ધરો બધી સમૃધ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!
ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હ્રદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.
મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?
ચં.ચી. મહેતા ના નામે જાણીતા આપણા કવિ-સાહિત્યકાર શ્રી ચંદ્રવદન ચીમનલાલ મહેતાની આજે જન્મ શતાબ્દી. (જન્મ તારીખ April 6, 1901). એમને શ્રધ્ધાંજલી સાથે માણીએ એમનું આ ગીત. ગીતની પહેલી જ પંક્તિ વાંચો અને ‘પઢો રે પોપટ રાજા રામના…’ યાદ આવી જાય..! પણ જેમ જેમ ગીત આગળ વાંચશો – ગીત તમને એક જુદા જ શિખર પર ચોક્કસ લઇ જશે.