ટહુકો માં શોધો..

વિભાગો

જૂની પોસ્ટ

ચિનુ મોદી


ચિનુ મોદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

'મનોજ પર્વ' : ૪ : પીછું
કારણ - ચિનુ મોદી
ગઝલ - ચિનુ મોદી
શબ્દને સથવારે - ચિનુ મોદી



શબ્દને સથવારે - ચિનુ મોદી

(મૌનનો સાગર છલકતો…..  Near Point Cabrillo Lighthouse, Mendocino - Nov 2008)

* * * * * * *

કદી આંસુઓનું લઇ રૂપ આવે
કદી ફૂલ પેઠે પરોવાય શબ્દો

કદી ઓઠ પર આવી પાછા વળે છે
ઘણીવાર ઠાલા જ શરમાઇ શબ્દો

હતો મૌનનો એક સાગર છલકતો
કિનારે રહીને તારી જાય શબ્દો

વીતેલો સમય એટલે શૂન્યઘરમાં
શમી જાય, ક્યારેક પડઘાય શબ્દો

ખખડતું રહ્યું શહેર મધરાતના પણ
અવાજે અવાજે વગોવાય શબ્દો

- ચિનુ મોદી

એક વર્ષ પહેલા : Non-Stop ગરબા... 2 , કામ ચાલુ છે... Maintenance Work In Progress..!!

બે વર્ષ પહેલા : પન્નીને પહતાય તો કે’ટો ની.... - ડો. રઇશ મનીયાર

‘મનોજ પર્વ’ : ૪ : પીછું

જુલાઇ ૨૦૦૯ માં આપણે કવિ શ્રી મનોજ ખંડેરિયાની કલમને માણવા - ઉજવવા, એક અઠવાડિયા સુધી મનોજ પર્વ મનાવેલો, એ યાદ છે ને?

ત્યારે પસ્તુત મનોજ ખંડેરિયાની આ પીછું ગઝલ - આજે સ્વરકાર અનંત વ્યાસના સ્વર-સંગીત સાથે ફરીથી એકવાર… અને મને ખાત્રી છે કે નવા સ્વર-સંગીતની સાથે સાથે તમને પહેલા પ્રસ્તુત કવિ શ્રી રમેશ પારેખના સ્વરમાં આ ગઝલ વિષેની વાતો - તેમ જ ચીનુ મોદીના સ્વરમાં આ ગઝલનું પઠન - ફરીથી સાંભળવું પણ એટલું જ ગમશે..!!

( પીછું…. Photo : Flickr.com)

* * * * * * *

This text will be replaced

Posted on July 9, 2009

ગઇકાલે જે ‘વરસોના વરસ લાગે‘ ગઝલની વાત કરી, એ મનોજ ખંડેરિયાની એક ગઝલકાર તરીકેની સિધ્ધીની વાત હતી..! આજે પ્રસ્તુત ગઝલ એટલે મનોજ ખંડેરિયાનું એ સિધ્ધી તરફ ગયેલું પહેલું પગલું.

સૌપ્રથમ સાંભળીયે કે કવિ રમેશ પારેખ આ ગઝલ વિષે શું કહે છે..!

This text will be replaced

અને હવે સાંભળીયે આ ગઝલનું પઠન કવિ શ્રી ચિનુ મોદીના સ્વરમાં.. અને સાથે એમણે કવિ શ્રી મનોજ ખંડેરિયા વિષે, એમની ગઝલ વિષે કરેલી થોડી વાતો..!

This text will be replaced

ગગન સાથ લઇ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીછું

ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું

હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીછું

હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું

ગગનના અકળ શૂન્યમાં જઇ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીછું.

- મનોજ ખંડેરિયા

સાથે માણીએ કવિ શ્રી સુરેશ દલાલે કરેલો આ ગઝલનો આસ્વાદ…

મનોજની આ નજમ ઊંડાણનો અને અભિવ્યક્તિની છટાનો અને એને આધુનિકતાનો પણ, આધુનિકતાના કોલાહલ વિના પરિચય આપે છે. પંખીની પાંખમાંથી પીછું ખરે છે ત્યારે એ પીછાંના અવતરણમાં આખું આકાશ ઊતરી આવે છે. પંખી ઊડે છે ત્યારે એનો નાતો આકાશ સાથે છે અને આકાશમાં ઊડતા પંખીનું પીછું ખરે ત્યારે એની સાથે આખું ગગન સરતું એવું લાગે. અંશની સાથે અખિલ હંમેશા સંકળાયેલું હોય છે.

શાયરે અહીં હવાને રંગ આપ્યો છે. ‘ભૂરી હવા’ કહી છે. પીછું ઊતરે છે ત્યારે આ પીંછુ હવામાં ઝીંણા શિલ્પો કોતરે છે. હવા પણ દેખાતી નથી શિલ્પો પણ દેખાતાં નથી. શિલ્પ મૂર્ત હોય છે, હવા અદ્રશ્ય હોય છે. અદ્રશ્યનું આ દ્રશ્ય છે, કવિની કલ્પનાની આંખે જોયેલું.

સૂના આંગણામાં પીછું છે; પણ આંગણાને સભર કરવાની એની શક્તિ છે. એક પીછામાં જો શિલ્પ દેખાય છે, તો એમાં પંખીનો કલશોર પણ સંભળાય છે. એટલું જ નહીં, પણ પીછું કે પીછાની સ્મૃતિ જો આંખમાં તરે તો હ્રદયમાં વસેલાં કેટલાય પંખીઓ બહાર ધસી આવે છે.

પીંછુ તો ખરી જાય છે પણ પંખીને જો ખરી ગયેલા પીછાની સ્મૃતિ થાય તો? એ પંખી જઇ જઇને ક્યાં ડૂબે? એક જ સ્થાન છે; ગગનના અકળ શૂન્યમાં..!

- સુરેશ દલાલ

એક વર્ષ પહેલા : મુને એકલી જાણીને ક્હાને છેડી રે....

બે વર્ષ પહેલા : સંબંધ છે, પળમાંય તૂટે ... - હિતેન આનંદપરા

ત્રણ વર્ષ પહેલા : સંદેશ આપે છે - ઇજન ધોરાજવી

કારણ - ચિનુ મોદી

કોઇ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.

કોઇનામાં પણ મને શ્રધ્ધા નથી,
કોઇની શ્રધ્ધાનું હું કારણ ન હો.

ઝાંઝવાં હરણાં થઇ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.

આંધળો વાયુ થઇ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.

આપમેળે બંધ દરવાજા થશે.
મોત માટે કોઇ પણ કારણ ન હો.

એક વર્ષ પહેલા : જિંદગીનો આ ટુંકસાર... - મુકુલ ચોક્સી

બે વર્ષ પહેલા : H कुछ मस्तीभरे पल... किशोरदा के संग

ગઝલ - ચિનુ મોદી

આયનેથી ધૂળ ઝાપટજે હવે
તું ત્વચા ફાડીને અવતરજે હવે

પાપણો બાળી ગયા છે એટલે
સ્વપ્નથી થોડુંક સાચવજે હવે

મેં ફરી માળો બનાવ્યો વૃક્ષ પર
વીજળીની જેમ ત્રાટકજે હવે

હાથ મારો હાથમાં લીધો તો છે
રોગ શો છે એય પારખજે હવે

જાતને સીમિત કરી ઇર્શાદ તેં
શંખમાં દરિયાને સાંભળજે હવે

હું રાજી રાજી થઇ ગયો છું જોઇ જોઇને
સપનાંઓ તારા આવી ગયા ન્હાઇ ધોઇને

એમ જ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં
ખાલીપો હું ય પામ્યો છું મારાઓ ખોઇને

એવું તો કોણ છે નિકટ કે ક્રોધ હું કરું
આંખોને લાલઘુમ હું રાખું છું રોઇને

અમને જીવાડવા તો એ રાજીને રેડ છે
તારા વગર શું હોઇ શકું હોઇ હોઇને

ઇર્શાદ એવું કોઇ છે જેને તમે કહો :
તને મળ્યા પછી ન મળાયું જ કોઇને.