(તારા સુધીનો માર્ગ તો સીધો છે, જાણું છું… …બૌદ્ધ ધર્મસંસ્થાન, લેહ, જુન-2013 Picture by: Vivek Tailor)
****
ગીતામાં કહ્યું છે કે
जातस्य ही ध्रुवो मृत्युः
શંકરાચાર્ય પણ કહી ગયા કે
पुनरपि जननं, पुनरपि मरणं
બધાએ જ મૃત્યુ વિશે વાતો કરી.
બધા જ મૃત્યુ પણ પામ્યા.
પણ હું મૃત્યુમાં માનતો નથી.
હા, ક્યારેક મને પણ સાક્ષાત્કાર થશે જરૂર
પણ ત્યાં સુધી
હું ફક્ત જીવવામાં જ માનું છું.
આજે ૨૧ ફેબ્રુઆરી – આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિવસ..!! (See: wiki) આજના દિવસની શુભેચ્છાઓ સાથે – પન્ના નાયકની આ કવિતા ફરી એકવાર…
**********
આપણને
જે ભાષામાં સપનાં આવે
એ
આપણી માતૃભાષા
મને
હજીય ફિલાડેલ્ફિઆમાં
સપનાં ગુજરાતીમાં આવે છે.
પણ
મારી આસપાસના
કેટલાક ગુજરાતીઓ
ઉમાશંકરની છબિ જોઈને
સતત પૂછ્યા કરે છે :
‘આ કોની છબિ છે ?’
‘આ કોની છબિ છે ?’
અને
મારું સપનું નંદવાઈ જાય છે.
(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી ?)
નવેમ્બર ૨૦૧૨માં જ્યારે હિતેન આનંદપરાને મળવાનું થયું – ત્યારે એમણે એક મઝાનું સંકલન ભેટ આપ્યું. ‘અર્વાચીન કવયિત્રીઓના કાવ્યોનો સંપુટ’ – અને ત્યારે વાત થયેલી કે માર્ચમાં International Women’s Day આવે ત્યારે ટહુકો પર કવયિત્રી સ્પેશિયલ કંઇક કરી શકાય.
આમ તો આજે International Women’s Day છે – પણ ટહુકો પર છેલ્લા ૨ દિવસથી Women Special જેવું જ કંઇ છે – પહેલા દક્ષા વ્યાસ, અને પછી કાજલ ઓઝા-વૈદ્ય. તો આજે માણીએ – લતા હિરાણીને..!!
મેં મારું એકાંત
બધી દિશાઓમાં વેરી દીધું
અને પછી કણેકણમાં ફૂટ્યા
અવાજ વગરના ટહુકાઓ…
મેઘધનુષ આવીને મને પૂછી ગયું,
આ પહાડ પર ગુંજે છે એ તારાં ગીત ??
મેં કહ્યું ના, આ લોહીના લયમાં ચુપચાપ વહે છે
એ મારાં ગીત
પાંદડીએ હળવેથી મલકી
સાક્ષી પૂરી દીધી……
એણે ફરી પૂછ્યું
આ પર્વત, નદી, ઝરણાં ને વનરાઇ
તારા જ રક્તના લયને તાલ પુરાવે છે ને !!
ઘેટું નદીએ પાણી પીતું હતું.
ક્યાંકથી વરુ
એની બાજુમાં આવીને ઊભું.
અને પાણી પીવા લાગ્યું.
ઘેટું દમામથી કહે :
‘જરા છેટું રહે છેટું
તારું એઠું પાણી પીને મારું મોઢું ગંધાવા માંડશે.’
વરુ હેબકાઈ ગયું.
એણે જોયું કે
ધ્રૂજવાની વાત તો બાજુએ રહી
ઘેટું ટટાર ડોક, ટટાર ટાંગ, ટટાર પુચ્છ,
લાલ આંખે એની તરફ તાકતું હતું.
વરુએ આંખ ઉઘાડબંધ કરી
પણ કોઈ ફેર પડ્યો બહીં
ઘેટાને જુએ ને વાઘ દેખાય.
ટટાર ઘેટાની બાજુમાં
વરુએ ગરીબ ઘેટું બની પાણી પીધે રાખ્યું.
માણસ નામે નબળું પ્રાણી,
એની ઊંઘ એને ઘણી વહાલી !
તમે અચાનક એને ઢંઢોળો તો
ક્રોધથી ગાંડોતૂર થઈ
ક્રોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે ?
અથવા
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે ?
તમે તો સર્વજ્ઞાની –
આટલું પણ ન જાણ્યું કે
કાચી ઊંઘમાંથી કોઈને જગાડાય નહીં ?