Category Archives: ભજન/ધૂન/આરતી/ભક્તિપદ

સમરો મંત્ર બડો નવકાર

નવકાર મહામંત્ર

.

સમરો મંત્ર બડો નવકાર
એ છે ચૌદ પૂરવનો સાર
એહના મહિમાનો નહીં પાર
એના અર્થ અનંત અપાર

સુખમાં સમરો, દુ:ખમાં સમરો
સમરો દિવસને રાત
જીવતા સમરો, મરતા સમરો
સમરો સૌ સંગાથ

યોગી સમરે, ભોગી સમરે
સમરે રાજા રંક
દેવો સમરે, દાનવ સમરે
સમરે સૌ નિ:શંક

અડસઠ અક્ષર એહ ના જાણો
અડસઠ તીરથ સાર
આઠ સંપદાથી પર માણો
અષ્ટસિધ્ધી દાતાર

નવપદ એહના નવનિધી આપે
ભવભવના દુઃખ કાપે
વીરવચનથી હ્રદય સ્થાપે
પરમાતમ પદ આપે

આરતી – પ્રભુ શ્રી રામની, મહાકાવ્ય રામાયણની

આ બે આરતી આજે શબ્દો વગર જ મુકુ છું, પણ જલ્દી એના શબ્દો પણ મુકીશ.
आरती श्री रधुवीरजी की

आरती श्री रामायणजी की


( આભાર : રાધિકા )

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા… (શ્રી આદ્યશક્તિ સ્તવન)

હમણા ચૈત્ર નવરાત્રી ચાલે છે.. ( મને તો ઉમાબેને કહ્યું ત્યારે જ ખબર પડી ). અને નવરાત્રીની સાથે યાદ આવે ગરબા, આરતી, દાંડિયા… અને આ સ્તુતિ પણ. આરતીની સાથે લગભગ બધે જ આ સ્તુતિ સાંભળી છે. આમ તો ટહુકો પર પહેલેથી આ સ્તુતિ છે જ, પણ આજે થોડો ઉમેરો કરું છું. ( અરે ચિંતા ના કરો.. હું જાતે ગાઇને નથી સંભળાવવાની 🙂 ) આ એક જ સ્તુતિ ત્રણ અલગ અલગ રાગમાં સાંભળો.
sherawali_mata_PB04_l

.

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 1

Continue reading →

H ૐ નમ: શિવાય….

ભારતીય સમય પ્રમાણે આમ તો દિવસ પૂરો થવા આવ્યો છે, પણ મને હમણા જ ખબર પડી કે આજે શિવરાત્રી છે… તો મને થયું, આ શિવ-ભક્તિ ગીત જે હું થોડા દિવસથી રોજ જ સાંભળું છું, એ ટહુકાના વાચકો / શ્રોતાઓને પણ સંભળાવું. કવિતા ક્રિષ્નમુર્તી અને રૂપકુમાર રાઠોડના સ્વરમાં ભૈરવી રાગ પર આધારિત આ ગીત સાંભળવું ખરેખર એક લ્હાવો છે.

shiva_parvati_PH40_l

નિરખને ગગનમાં… – નરસિંહ મહેતા

સ્વર : આશિત દેસાઇ

krishna

.

નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો
તે જ હું, તે જ હું, શબ્દ બોલે
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે
અહીયાં કોઇ નથી કૃષ્ણ તોલે

નિરખને ગગનમાં….

શ્યામ શોભા ઘણી, બુધ્ધિ નવ શકે કળી
અનંત ઓચ્છવમાં પંથ ભુલી
જળ અને ચેતન રસ કરી જાણવો
પકડી પ્રેમે સજીવન મૂડી

નિરખને ગગનમાં….

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં
હેમની કોર જ્યાં નિસરે તોલે
સચ્ચિદાનંદ આનંદ ક્રિડા કરે
સોનાના પારણામાંહી ઝુલે

નિરખને ગગનમાં….

બત્તી વિણ તેલ વિણ સુત્ર વિણ જો વળી
અચળ ઝળકે સદા અનળ દિવો
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો
વણ જિવ્હાએ રસ સરસ પીવો

નિરખને ગગનમાં….

અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો
અરધ ઉરધની માંહે મહાલે
નરસૈયાંચો સ્વામી સકળ વ્યાપી રહ્યો
પ્રેમના તંતમાં સંત ઝાલે

( કવિ પરિચય )

મારા રામ, તમે સીતાજીને તોલે ન આવો – અવિનાશ વ્યાસ

સ્વર : આશા ભોંસલે ; સંગીતકાર : અવિનાશ વ્યાસ

lord_ram

.

રામ રામ રામ …
દયાના સાગર થઇ ને, કૃપા રે નીધાન થઇ ને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમા નીરાધાર નારી તો’યે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લૂટ્યો લ્હાવો

મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.

ઓ ઇશ્વર ભજીએ તને …

સ્વર : ચાંદની
સંગીત : મનોજ દવે

આ પ્રાર્થના ના રચનાર કોણ, એ તો મને ખબર નથી. પરંતુ મને યાદ છે, કે જ્યારે નાનપણમાં મમ્મીને પૂછ્યું, કે ભગવાનને રોજ સવારે હાથ જોડીને શું કહેવાનું, ત્યારે મમ્મીએ આ પ્રાર્થનાની પ્રથમ ચાર પંક્તિઓ શીખવાડેલી. ત્યારથી આ સરળ પ્રાર્થના મને ઘણી વ્હાલી. હજુ આજે પણ, હું ઘરે દીવો કરું, કે કોઇ પણ ભગવાનના મંદિરમાં કે પછી કદાચ દેરાસરમાં જઇ બે હાથ જોડી ઉભી રહું, મને કાયમ આ જ પંકિતઓ સૌથી પહેલા યાદ આવે.

( ‘મોરપિચ્છ’ બ્લોગ પર પહેલા મુકાયેલી આ પ્રાથના આજે સંગીત સાથે ફરીથી રજું કરું છું. અહીં પ્રાથનાની થોડી પંક્તિઓ જ સંગીતબધ્ધ થયેલી છે. )
o ishwar

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ…

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ…

પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય…

અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય…

સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત…

વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ…

આસ પાસ આકાશમાં, હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિ નો વાસ…

ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.

ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ…

જોવા આપી આંખડી, સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન…

ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર
પ્રુથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર…

તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ…

અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર…

કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ…

ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ…

મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ…

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ…

ઘરરર રે ઘમ ઘંટી, બાજરો ને બંટી

સ્વર : ભારતી કુંચલા, પ્રફુલ દવે, વત્સલા પાટિલ
આલ્બમ : ગુર્જર પ્રભાત

rural_painting_PF33_l

.

ઘરરર રે ઘમ ઘંટી, બાજરો ને બંટી
ઝીણું દળુ તો ઉડી રે જાય,
જાડુ દળુ તો કોઇ ના ખાય..

વિનવે અયોધ્યાના નર અને નાર
પધારો પિયર ભણી
સતી સીતા ને લખમણ વીર
પધારો પિયર ભણી

વનમાં નહીં મળે ભોજન પાન,
કે કઢિયેલા દૂધ
પધારો પિયર ભણી

વનમાં નહીં મળે ઓઢણ પાટ
હિંડોળાની ખાટ
પધારો પિયર ભણી

વનમાં નહીં તેલ-ધૂપેલ
સૈયર કેરો મેળ
પધારો પિયર ભણી Gha ra ra ra re gham ghanti baajaro ne banti vinave ayodhya

વૈષ્ણવજન – નરસિંહ મહેતા

નરસિંહ મહેતાનું આ પદ સાંભળીને કે વાંચીને કયા ગુજરાતીને ગાંધીજી યાદ ન આવે ?? એટલે જ અહીં ગીતના બેકગ્રાઉન્ડમાં એમનો ફોટો મુક્યો છે. આપમેળે ગાંધીજી યાદ ન આવતા હોય તો હું યાદ કરાવી દઉં.. 🙂

સ્વર : મન્ના ડે

gandhijee

.

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

ડો.દર્શના ઝાલાએ હમણાં એમણે અમેરિકામાં વૈષ્ણવજનની પ્રસ્તુતિ કરી હતી એની ઓડીઓ મોકલી. સુંદર અવાજ અને સંગીત. મજાની વાત એ છે કે સંગીતની ગોઠવણ બે અમેરિકન વિદ્યાર્થીઓ બેન અને કોનલ એ કરી છે. અવાજ ડો.દર્શના ઝાલાનો અને તબલા એમના દીકરા અમોલે વગાડ્યાં છે. ડો.દર્શના ઝાલા અમેરિકામાં રહીને અમેરિકન વિદ્યાર્થીઓને ભારતીય સંગીત શીખવવાનું ઉમદા કાર્ય કરે છે!
ચાલો સાંભળીએ,

.

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

( કવિ પરિચય )

મારા ઝાઝા વંદન જલારામને – મોહન પટેલ

આને જલારામ બાપાની કૃપા જ કહેવાય, કે જલારામ જયંતીને દિવસે હું ટહુકાની 100મી પોસ્ટ પ્રસિધ્ધ કરું છું. આમ તો જલારામ બાપાના ભજન યાદ કરું, તો મને ‘જલારામ મહિમા’ કેસેટમાં જે ભજનો છે, ‘અમી ભરેલી નજરું રાખો વીરપુરવાળા બાપા રે’, ‘જ્યોત રે જગાવી અમે જલા તારા નામની’, ‘ધન્ય સોરઠની ધરણી રે આજ’, ‘જલારામ જલારામ જય જલિયાણ’ વગેરે તરત જ યાદ આવે, કારણ કે જ્યારે ભજન અને બાકીના ગીત વચ્ચેનો તફાવત સમજવા જેટલી સમજણ પણ ન’હોતી, ત્યારથી એ ભજનો સાંભળ્યા છે.

કોઇ પાસે જો એ ભજન mp3 માં હોય તો મને જરૂરથી મોકલશો. સાથે સાથે, શ્રી મોહન પટેલએ લખેલું આ જલારામ ભજન સાંભળીયે.

.

વીરપુર ગામે, જલિયાણ નામે, સંત વસે ત્યાં એક
પ્રાણ જાયે પણ વચન ન જાયે, એવી એની ટેક

મારા ઝાઝા વંદન જલારામને
જલારામને બાપા જોગી જલિયાણને

જગના નક્શામાં મુક્યું વીરપુર ગામને
ભક્તજનો આવે એની રામ ઝુંપડીએ

ઘણી ખમ્મા ખમ્મા જલારામને
જલારામને બાપા જોગી જલિયાણને …

ભર્યો ભંડારો એણે ભુખ્યાને કાજે
સદાવ્રત ધારી એ તો સાધુ સંત માટે

પાયે લાગું જોગી જલારામને
જલારામને બાપા જોગી જલિયાણને …

સેવા ને સ્મરણ એના રુદિયે સમાયા
અલ્લા કેવાણા અમર લેખ લખાણા

‘મોહન’ હરદમ જપે જલારામને
જલારામને બાપા જોગી જલિયાણને …