મા’ની ગેરહાજરીમાં ’મા’નું મહિમા ગાન છે આ ગીતમાં.
રાગ મધુવંતી અને શિવરંજનીનું સંયોજન અચાનક સ્વરાંકનમાં આવી ગયું. સ્વરનિયોજન થઈ ગયું પછી સપ્તકના એક કાર્યક્રમ દરમિયાન કોઈ કલાકારે આ સંયોજનનો રાગ મધુરંજની વગાડેલો તેવું યાદ છે.
અર્વાચીન ગુજરાતી કવિતામાં આ વિષય પર સૌ પ્રથમ દલપતરામની ભુજંગી છંદમાં કવિતા છે-
‘મહા હેતવાળી દયાળી જ મા તું’
દામોદર ખુશાલદાસ બોટાદકરની કવિતા
‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ સૌને યાદ છે જ.
રમેશ પારેખનું ‘નમાયા બાળકનું ગીત’ છે-
‘જો દરિયો મારી મા હોત તો મારે પણ મા હોત
કોઈ અમસ્થા પાણીના પડછાયા ભીની બકી કરત પાંપણમાં
કદીક મારી ડૂબી જવાની હોનારતને માટે મીઠી નદી હોત કારણમાં
અંદર મા નો છાલક છાલક સાદ બહાર વરસાદ હાથમાં જળબંબોળા હોત
તો પંખીઓ અહીંયા મારી આંખ મૂકીને ઊડી ગયાં ન હોત
જો દરિયો મારી મા હોત તો મારે પણ મા હોત‘
કવિ ચંદ્રકાન્ત શેઠનું આ ગીત (આજે ખાસ)સાંભળો.
-અમર ભટ્ટ