Category Archives: ગિરિરાજ ભોજક

હરિ હરિ નિત્ય નામ સુમરણા – બ્રહ્માનંદ

ગાયક : ડો. પ્રભાતદેવ ભોજક
સ્વરાંકન : જયદેવ ભોજક

.

હરિ હરિ હરિ નિત્ય નામ સુમરણા
ભવ સાગ૨ જલપાર ઉતરણાં

બિન હરિ સુમરે કોઈન ઉગરે,
પુનઃ પુનઃ પાજે જીવન મરણાં
જોજન ધ્યાવે પરંમપદ પાવે,
સુંદર વદન મનોહર ચરણા.

પલ મેં સારે પાપ નિવારે,
સકલ મનોરથ પૂરણ કરણા.
બ્રહમાનંદ દયાકે સાગર,
ભકત જનો કે સંબ દુ:ખ હરણા.
-બ્રહ્માનંદ

વર્ષો પછી તોરણ તૂટેલાં – મુકેશ માલવણકર

ગાયક : ગિરિરાજ ભોજક
સ્વરાંકન : જયદેવ ભોજક

.

વર્ષો પછી તોરણ તૂટેલાં એમણે જોયાં હશે
પત્ર વાંચીને પછી તો ખુબ એ રોયાં હશે

એટલે ફૂલો હવે ઝાઝું અહીં જીવતા નથી
એમણે તો આંગણમાં ઝાકળ વડે ધોયા હશે.

એક પરપોટો લીધો પકડી ઉતાવળમાં અને
લાખ દરિયાં હાથમાંથી એમણે ખોયાં હશે.

એ રડે છે રોજ મધરાતે હવે શાને અહીં
દૂરથી દીવા પરાયા ગામમાં જોયા હશે.

જિંદગી આખી ભલે નફરત કરી મુકેશથી
જોઈ રૂપાળી લાશને એ હવે મોહ્યાં હશે
-મુકેશ માલવણકર

માધો, મન માને તબ આજ્યો – ઉશનસ્

અમર ભટ્ટના અવાજ-સ્વરાંકનોના પ્રેમીઓ માટે ખુશખબર.. (આમ તો થોડા મોડા છે ખબર, પણ મને ખાત્રી છે કે એ મોળા નથી 🙂 )

અમર ભટ્ટના ૩૬ ગુજરાતી ગીતોનો સંગ્રહ (in 4 CDs) ‘શબ્દનો સ્વરાભિષેક‘ નામથી પ્રગટ થયો છે. પહેલી ૨ CDs માંના ગીતો એમના પોતાના સ્વરમાં છે, અને બીજી ૨ CDs માં ગુજરાતના ચુનંદા ગાયકોએ એમના સ્વરાંકનો રજૂ કર્યા છે.

કોઇ પણ ગુજરાતી સુગમ- કવિતાના પ્રેમી માટે આ સંગ્રહ એ અમરભાઇએ સૌને આપેલી એક અમુલ્ય ભેટ છે.. ગુજરાતના ૨૧ અલગ-અલગ કવિઓના શબ્દને મળેલા આ ‘સ્વરાભિષેક’ની ખૂબી એ છે કે દરેક ગીત-ગઝલ કે કાવ્ય રજૂ કરતા પહેલા અમરભાઇ કવિ વિષે અને એ કવિની કવિતા વિષે થોડી વાતો પણ કરે છે.. જાણે સોનામાં સુગંધ ભેળવતા હોય એમ..!

અને હા.. May 9, 2009 ના દિવસે એમનો કાર્યક્રમ ‘શબ્દનો સ્વરાભિષેક’ – ન્યુ જર્સી ખાતે યોજાઇ રહ્યો છે – એની વધુ વિગતો અહીં જુઓ.

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સંગીત : અમર ભટ્ટ

.

સ્વર : ગિરિરાજ ભોજક
સ્વરાંકન : શ્રી જયદેવ ભોજક

.

મન માને, તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.

આ ઘડીએ નહીં રોકું,
રોક્યું કોણ અહીં રોકાશે?
લ્યો, ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે. – માધો…

ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે ‘તેડો’,
કોઇ દન અહીં થઇ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો.
બે ઘડી રોકાઇ જાજ્યો રે. – માધો…

મૂકી ગયા જે પગલાં
તેની ધડકે હજીયે ધૂળ,
વિરહાને નહીં થાક, અમો તો
હરઘડીનાં વ્યાકુળ,
હર ટહુકો દરદે તાજો રે, માધો.
મન માને તબ આજ્યો, – માધો…

– ઉશનસ્