કવિ: હિતેન આનંદપરા
(1) સ્વરકાર: પરેશ નાયક
સ્વર: દિવીજ નાયક
ઝાઝું નજીક નહીં જાવું
કોઈની ઝાઝું નજીક નહીં જાવું
પાછળથી શાને પસ્તાવું ?
અંતર એક અદકેરું જાળવતાં આવડે તો સંબંધો ફૂલે નહીં, ફાલે
એક બે જણ ખાલી સોંસરવા રાખીને બાકીને રામરામ ચાલે
મોંઘેરી લાગણીનાં કરવાં જતન, નાહકનું શાને સસ્તાવું?
કોઈની ઝાઝું નજીક નહીં જાવું
ઇશ્વર સિવાય કોઈ સર્જક નથી, આ માણસ તો ખાલી વચેટિયો
આઘેથી ઊંચા પહાડ જેવો લાગે, ઓરા જાઓ તો સાવ વ્હેંતિયો
સર્જકને માન, એના સર્જનને માન, વચેટિયામાં નાહક અટવાવું
કોઈની ઝાઝું નજીક નહીં જાવું
***
(2) સ્વરકાર: રિષભ મહેતા
સ્વર: રિષભ મહેતા – ગાયત્રી ભટ્ટ

