Category Archives: ભજન/ધૂન/આરતી/ભક્તિપદ

રાજા તારા ડુંગરિયા પર – મીરાંબાઈ

Last week મા બોલે છે ઝીણા ઝીણા મોર.. – કેશવ રાઠોડ post પર આવેલી પંચમભાઇની ખાસ ફરમાઇશ પર – આજે સાંભળીએ આ મધુર ગીત… પંડિત ઓમકારનાથજીના શિષ્ય શ્રી અતુલ દેસાઈના કંઠે….!

કવિ : મીરાંબાઈ
સ્વર – સંગીત : અતુલ દેસાઈ

.

રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણાં મોર

મોર જો બોલે, પપૈહા જો બોલે
કોયલ કરે કલશોર – બોલે….

માઝમ રાત ને બિજલડી ચમકે
છાઈ ઘટા ઘનઘોર રે – બોલે….

બાઈ મીરાં કહે, પ્રભુ ગિરધર નાગર
તું મારા ચિતડાનો ચોર – બોલે

– મીરાંબાઈ

શ્રી ગુરુને પાયે લાગું – વૈષ્ણવદાસ

જુન ૨૬ ના દિવસે કબીર જયંતી હતી, એટલે આમ તો હું કબીરજી ને અહીં યાદ કરવામાં ૨ દિવસ મોડી ખરી..! કબીરજી એટલે અમારા ભક્ત સમાજના ગુરુ..! અને ભક્ત સમાજના કોઇ પણ ગામ (કે અમેરિકન સીટી) ના ભજનમંડળના ભજનો – આ એક ભજન ‘શ્રી ગુરુને પાયે લાગું, પહેલા વહેલા…’ વગર પૂરા ન થાય. મારા પપ્પાનું આ ઘણું જ ગમતું ભજન, એટલે મને પણ એ હિસાબે નાનપણથી જ અતિપ્રિય. તો સાંભળીએ, સ્યાદલા ભજન મંડળના સ્વરમાં – ૧૯૮૨ની સાલનું રેકોર્ડિંગ.
(ભક્ત સમાજના અન્ય ઘણા ભજનોના શબ્દો, ઓડિયો અને વિડિયો – ramkabirbhajans.org – વેબસાઇટ પરથી મળી રહેશે).

સ્વર : સ્યાદલા ભજન મંડળ

શ્રી ગુરુને પાયે લાગું, પહેલા વહેલા, શ્રી ગુરુને પાયે લાગું;
કૃપા કરો તો કૃષ્ણ સેવા કરું, બીજું હું કાંઇ ન માગું ………… ટેક

દીયો ઉપદેશ સદા સુખકારી, જો મન નિર્મળ થાય;
ત્રિવિધ તાપ મત્સર મોહ મમતા, વિકાર સઘળો જાય ……. ૧

ગુરુ દર્શનનો મહિમા મોટો, જાણે સંત સુજાણ;
ભાવ ધરી ગુરુ સેવા કરશે, પામે પદ નિર્વાણ ……………… ૨

વેદ, પુરાણ, ભાગવત બોલે, જેને હોયે ગુરુજીનો દૃઢ વિશ્વાસ;
શ્રી ગુરુ નારાયણ તેને મળશે, કહે જન વૈષ્ણવદાસ ………. ૩

——-

આભાર : Ramkabirbhajans.org

एक मंत्र जपते रहो श्याम श्याम श्याम….

લગભગ ૨૦-૨૫ વર્ષો પહેલા અમારી સુવિધા કોલોની (અતુલ)માં ઇસ્કોનની કોઇ બસ આવી હતી.. વધારે કંઇ યાદ નથી, પણ એટલું ખબર છે કે ત્યાંથી પપ્પાએ ‘શ્યામ શ્યામ શ્યામ’ એવા ટાઇટલવાળી એક કેસેટ અને સાથે કૃષ્ણ ભગવાનનો એક લેમિનેટ કરેલો ફોટો ખરીદેલો. એ ફોટો આજે પણ મારા ઘરના મંદિરમાં છે, અને આશા ભોંસલેના અવાજમાં એ કેસેટ ‘શ્યામ શ્યામ શ્યામ’ એ તો મેં એટલી બધી સાંભળી છે કે… વધારે તો શું કહું! કોઇ ગીત ગમતું હોય, કોઇ ઘણું જ ગમતું હોય, પણ અમુક ગીત માટે તમે કહી શકો કે એ તો લોહીમાં ભળી ગયું છે..!!  આ આલ્બમના દરેકે દરેક ભક્તિગીત માટે કદાચ હું એ કહી શકું. આશા ભોંસલે – Top ૧૦ એવું કોઇ આલ્બમ જો હું બનાવું તો એમાં પહેલા ૬ ગીત આ આબ્લમમાંથી હોય. Classical Music, આશા ભોંસલે, અને કૃષ્ણભક્તિથી ભરપૂર શબ્દો..! એક એવો અનુભવ જે શબ્દોમાં ન જ સમાઇ શકે..!!

અમેરિકા આવી ત્યારથી એ આલ્બમની mp3 મળે તો શોધતી હતી. હજુ પણ શોધું જ છું.. ઘરે જે કેસેટ હતી એ તો સાંભળી સાંભળીને ઘસી નાખી છે, એટલે એને convert કરવાની ઇચ્છા નથી થતી, એટલે જ શોધું છું કે કશેથી આ આલ્બમના બધા જ ગીતોનું સારુ રેકોર્ડિંગ મળી જાય…

થોડા દિવસો પહેલા ધવલભાઇએ આ જ આબ્લમના બીજા એક ગીત – તન તો મંદિર હૈ… એના માટે પૂછ્યું અને સાથે જણાવ્યું કે આબ્લમમાં સંગીત નદીમ-શ્રવણનું હતુ. એક મિત્ર પાસેથી આ એક ગીત તો મળ્યું, પણ બાકીના ગીતો હજુ પણ એટલીજ આતુરતાથી શોધું છું… તમને મળે, અથવા ખબર હોય કે ક્યાંથી મળે, તો જણાવશો?

Music: Nadeem-Shravan
Year: 1987
Lyrics: Maya Govind

Album: Shyam Shyam Shyam

Published by: ISKON (Hare Krishna Hare Ram)

एक मंत्र जपते रहो श्याम श्याम श्याम
श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम…

मन वचन ह्रदय से उसकी वंदना करो
आंसूओ के फुलोसे अर्चना करो
दुःखहर्ता सुखकर्ता कह करो प्रणाम
श्याम श्याम श्याम
श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम…

पुत्र पिता बंधू मित्र स्वार्थी सभी
कोई तेरे काम नहीं आयेंगे कभी
बस प्रभुके चरणोंके तुम बनो गुलाम
श्याम श्याम श्याम
श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम…

—————

આ રહ્યા બાકીના ગીતો ના નામ….
1. Tan to mandir hai, Hraday Hai Vrundavan
2. Kanha Mujhko Bhi Rangle
3. Ab To Dekha Apani Suratiya Man Hua Bechain
4. Jaiseke Nainon Mein Jyoti, Jaiseke Saagar Mein Moti
5. Asatoma Sadgamay, Tamasoma Jyotirgamay

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં – નરસિંહ મહેતા

સ્વર – કરસન સગઠિયા
સંગીત – આશિત દેસાઇ

.

સ્વર – હેમંત ચૌહાણ

.

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં
પસલી ભરીને રસ પીધો રે, હરિનો રસ પુરણ પાયો.

પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,
બીજે પિયાલે રંગની હેલી રે,
ત્રીજો પિયાલો મારાં રોમે-રોમે વ્યોપ્યો,
ચોથે પિયાલે થઈ છું ઘેલી રે …રામ સભામાં

રસ બસ એકરૂપ રસિયા સાથે,
વાત ન સુઝે બીજી વાટે રે,
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે
તે મારા મંદિરીયામાં મ્હાલે રે … રામ સભામાં

અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં
અખંડ સૌભાગી અમને કીધાં રે,
ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી
દાસી પરમ સુખ પામી રે … રામ સભામાં

– નરસિંહ મહેતા

(આભાર – સ્વર્ગારોહણ.કોમ)

કુમ કુમ શું આભ ખુલ્યું લાગે – વિહાર મજમુદાર

શબ્દ અને સંગીત : વિહાર મજમુદાર
સ્વર : ઉમંગી શાહ, નિનાદ મહેતા અને સ્વર-નાદ વૃંદ

.

કુમ કુમ શું આભ ખુલ્યું લાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
દિવ્ય તાલ સુર મધુર રાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
મીઠી આ નિંદરમાં, ખિલ્યા ફૂલ શમણાંનાં,
મ્હેક એની પથરાઈ શ્વાસ માં…

માડી ની ઠમકંતી કુમકુમ શી પગલીઓ, જોઇ મેં શમણે ઉજાસ માં
હું તો સુતી ને ધબકારા જાગે…. કે માડી અંબા ઉતરતી લાગે
ભીનું ચંદન, ભીની શ્રધ્ધાની લાગણી નાં
દિવડા પ્રગટાવવાની વારતા…

ત્રિભુવનની પટરાણી અંબા જગદંબાની, આરતી નાં ઘંટારવ ગાજતાં,
સખી હૈયે અનંત નાદ જાગે, કે માડી અંબા ઉતરતી લાગે
કુમ કુમ શું આભ ખુલ્યું લાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
દિવ્ય તાલ સુર મધુર રાગે, કે માડી અંબા ઉતરતી લાગે..

– વિહાર મજમુદાર

યમુનાષ્ટક – વલ્લભાચાર્ય

આજે વલ્લભાચાર્ય જયંતિ નિમિત્તે સાંભળીએ એમના દ્રારા રચિત યમુનાષ્ટક… લતા મંગેશકર અને માયાદિપકના સ્વરમાં રાગ કલ્યાણમાં… અને સાથે ભૈરવી રાગમાં માયાબેનના સ્વરમાં… (શબ્દો માટે આભાર – Wikisource.org)

સ્વર – લતા મંગેશકર
રાગ – કલ્યાણ
આલ્બમ – ??

.

– – – – – – – – – – – – – – – – – – – – – –

નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા
મુરારિ પદ પંકજ સ્ફ઼્ઉરદમન્દ રેણુત્કટામ |
તટસ્થ નવ કાનન પ્રકટમોદ પુષ્પામ્બુના
સુરાસુરસુપૂજિત સ્મરપિતુઃ શ્રિયં બિભ્રતીમ ||૧||

કલિન્દ ગિરિ મસ્તકે પતદમન્દપૂરોજ્જ્વલા
વિલાસગમનોલ્લસત્પ્રકટગણ્ડ્શૈલોન્ન્તા |
સઘોષગતિ દન્તુરા સમધિરૂઢદોલોત્તમા
મુકુન્દરતિવર્દ્ધિની જયતિ પદ્મબન્ધોઃ સુતા ||૨||

ભુવં ભુવનપાવનીમધિગતામનેકસ્વનૈઃ
પ્રિયાભિરિવ સેવિતાં શુકમયૂરહંસાદિભિઃ |
તરંગભુજકંકણ પ્રકટમુક્તિકાવાકુકા-
નિતન્બતટસુન્દરીં નમત કૃષ્ણ્તુર્યપ્રિયામ ||૩||

અનન્તગુણ ભૂષિતે શિવવિરંચિદેવસ્તુતે
ઘનાઘનનિભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે |
વિશુદ્ધ મથુરાતટે સકલગોપગોપીવૃતે
કૃપાજલધિસંશ્રિતે મમ મનઃ સુખં ભાવય ||૪||

યયા ચરણપદ્મજા મુરરિપોઃ પ્રિયં ભાવુકા
સમાગમનતો ભવત્સકલસિદ્ધિદા સેવતામ |
તયા સહ્શતામિયાત્કમલજા સપત્નીવય-
હરિપ્રિયકલિન્દયા મનસિ મે સદા સ્થીયતામ ||૫||

નમોસ્તુ યમુને સદા તવ ચરિત્ર મત્યદ્ભુતં
ન જાતુ યમયાતના ભવતિ તે પયઃ પાનતઃ |
યમોપિ ભગિનીસુતાન કથમુહન્તિ દુષ્ટાનપિ
પ્રિયો ભવતિ સેવનાત્તવ હરેર્યથા ગોપિકાઃ ||૬||

મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતા
ન દુર્લભતમારતિર્મુરરિપૌ મુકુન્દપ્રિયે |
અતોસ્તુ તવ લાલના સુરધુની પરં સુંગમા-
ત્તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિસ્થિતૈઃ ||૭||

સ્તુતિ તવ કરોતિ કઃ કમલજાસપત્નિ પ્રિયે
હરેર્યદનુસેવયા ભવતિ સૌખ્યમામોક્ષતઃ |
ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ-
સ્મરશ્રમજલાણુભિઃ સકલ ગાત્રજૈઃ સંગમઃ ||૮||

તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા
સમસ્તદુરિતક્ષયો ભવતિ વૈ મુકુન્દે રતિઃ |
તયા સકલસિદ્ધયો મુરરિપુશ્ચ સન્તુષ્યતિ
સ્વભાવવિજયો ભવેત વદતિ વલ્લભઃ શ્રી હરેઃ ||૯||

|| ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતં યમુનાષ્ટકં સમ્પૂર્ણમ ||
– – – – – – – – – – – – – – – – – – – – – –

(શ્રીવલ્લભઅનુગ્રહ.કોમ પરથી યમુનાષ્ટકનો ગુજરાતી ભાવાનુવાદ)

(હરી ગીત છંદ)

શ્રી કૃષ્ણના ચરણાવીંદની રજ થકી શોભી રહ્યા
સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને
સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી ઉઠ્યું
ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું
પૂજે સુરા સુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૧)

મા ! સુર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યાં
ત્યાં કલિન્દના શિખ ઉપર શોભા અતિ સુંદર દીસે
એ વેગમાં પત્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા
ને આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછળતાં શોભી રહ્યા
હરી હેતના ઝુલા ઉપર જાણે બીરાજ્યા આપ હે
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૨)

શુક મોર સારસ હંસ યાદિ પક્ષીથી સેવાયેલાં
ગોપીજનોને સેવ્ય ભુવન સ્વજન પાવન રાખતાં
તરંગ રૂપશ્રી હસ્તમાં રેતી રૂપી મોતી તણાં
કંકણ સરસ શોભી રહ્યાં શ્રી કૃષ્ણને બહુ પ્રિય થયાં
નિતમ્બ રૂપ શ્રી તટતણું અદભૂત દર્શન થાય જો.
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૩)

અનન્ત ગુણથી શોભતાં સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે
ઘન શ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું
વિશુદ્ધ મથુરા આપના સાન્નિધ્યમાં શોભી રહ્યું
સહુ ગોપ ગોપી વૃન્દને ઇચ્છીત ફળ આપી રહ્યું
મમ કોડ સૌ પુરા કરો જ્યમ ધ્રુવ પરાસરના કર્યા
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૪)

શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાન્હવી ઉત્પન્ન થયાં
સત્સંગ પામ્યાં આપનોને સિદ્ધિ દાયક થઇ ગયા.
એવું મહાત્મય છે આપનું સરખામણી કોઇ શું કરે
સમ કક્ષમાં આવી શકે સાગર સુતા એકજ ખરે.
એવાં પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો
વંદન કરૂં યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો (૫)

અદભૂત ચરિત્ર છે આપનું વંદન કરૂં હું પ્રેમથી
યમ યાતના આવે નહિ; મા ! આપના પય પાનથી
કદી દુષ્ટ હોઇએ તોય પણ સંતાન અમે સૌ આપના
સ્પર્શે ન અમને કોઇ ભય છાયા સદા છે આપની
ગોપીજનો પ્રભુ પ્રિય બન્યાં એવી કૃપા બસ રાખજો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૬)

શ્રી કૃષ્ણને પ્રિય આપ છો મમ દેહ સુંદર રાખજો
ભગવદ્ લીલામાં થાય પ્રિતી સ્નેહ એવો આપજો
જ્યમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યાં
મમ, દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવાં રાખજો
વિરહાર્તિમાં હે માત ! મારા હૃદયમાં બીરાજજો,
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૭)

હું આપની સ્તુતિ શું કરૂં માહાત્મય અપરંપાર છે
શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે.
જલના અણુની સેવા થકી અદભુત જલ ક્રિડાતણાં
એ સ્નેહનું સુખ દિવ્ય છે મન મારૂં એમાં સ્થાપજો,
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. (૮)

કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો
નિશ્ચય પ્રભુને પ્રિય થશેને નાશ થાશે પાપનો
સિદ્ધિ સકલ મલશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતી
આનંદ સાગર ઉમટશેને સ્વભાવ પણ જાશે જીતી
જગદીશને વ્હાલા શ્રી વલ્લભી નામ સદૈવ ઉચ્ચારજો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૯)

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ – નરસિંહ મહેતા

પપ્પાએ રેકોર્ડ કરાવેલી ગુજરાતી કેસેટમાં આ ગીત હતું, એટલે નાનપણથી આ ગીત સાંભળતી આવી છું.. ગીતના મોટાભાગના શબ્દો ત્યારે તો નો’તા સમઝાતા, અને હજુ પણ કેટલાક ગીતોનો અર્થ એટલો સ્પષ્ટ ખબર નથી, પણ ગીત છે એવું મઝાનું કે વારંવાર સાંભળવાનું મન થાય… લોકગીતની કક્ષાએ પહોંચેલું વધુ એક નરસિંહ મહેતા રચિત કૃષ્ણગીત..!

સ્વરકાર – અવિનાશ વ્યાસ / નાનજીભાઇ મિસ્ત્રી (??)

સ્વર : પ્રાણલાલ વ્યાસ

.

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ

વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ

આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ

આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો
આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ

આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ

આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ

જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો
આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ

આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ

રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

– નરસિંહ મહેતા

શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ

राम भजन कर मन – લતા મંગેશકર

આવો રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ ઊજવતા આજે સાંભળીએ (અને સાથે શ્રી સ્વામિનારાયણ કીર્તન મુક્તાવલિમાં થી પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના ‘નૈનન મેં હો નૈનન મેં રહો…’ – જુઓ નીચેની પોસ્ટ)

સંગીત : શ્રીનીવાસ કાલે
સ્વર : લતા મંગેશકર

.

राम भजन कर मन,
ओ मन रे कर तू राम भजन।

सब में राम, राम में है सब,
तुलसी के प्रभु, नानक के रब्ब।
राम रमईया घट घट वासी,
सत्य कबीर बचन॥

राम नाम में पावत पावन,
रवि तेज्योमय चन्द्र सुधा धन।
राम भजन बिन ज्योति ना जागे,
जाए ना जीय की जरन॥

नाम भजन में ज्योति असीमित,
मंगल दीपक कर मन दीपित।
सकल अमंगल हरण भजन है,
सकल सुमंगल करन॥

નૈનન મેં હો નૈનન મેં રહો – પ્રેમાનંદ સ્વામી

આવો રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ ઊજવતા આજે સાંભળીએ શ્રી સ્વામિનારાયણ કીર્તન મુક્તાવલિમાં થી પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના ‘નૈનન મેં હો નૈનન મેં રહો…’

સંગીત : દિલીપ ધોળકિયા
સ્વર : પાર્થિવ ગોહિલ, આલાપ દેસાઇ અને મુંબઇ BAPS કોરસ

.

નૈનન મેં હો નૈનન મેં રહો, ઘનશ્યામ પિયા…. – ટેક
આય બસો ઘનશ્યામ નૈનનમેં, કાલ કુમતિકું દહો….ઘન – ૧
શ્રી ઘનશ્યામ બિના મેરો મન, સ્વપનેઉ ઔર ન ચહો….ઘન – ૨
શ્રી ઘનશ્યામ નામકી રટના, રસના નિશદિન કહો….ઘન – ૩
તન મન પ્રાન લે શ્યામ ચરન પર, પ્રેમાનંદ બલી જહો….ઘન – ૪

– પ્રેમાનંદ સ્વામી

(Audio file અને શબ્દો માટે કમલેશ ધ્યાનીનો આભાર)

જનની જગદાધારિણી મા – વિહાર મજમુદાર

સ્વર : વિહાર મજમુદાર, ગાર્ગી વોરા, અનુપા પોટા, ઉમંગી શાહ, નિનાદ મહેતા
સંગીત અને શબ્દ : વિહાર મજમુદાર

.

જનની જગદાધારિણી મા
સકલ ભવભયહારિણી, વરદાયિની

શક્તિ રૂપા તું ભવાની, અંબિકા જગદીશ્વરી
બ્રહ્મ સકલે વ્યાપ્ત તું છે માત તું વિશ્વેશ્વરી

તું પરમ સુખદાયીની, વરદાયિની

સૌમ્યવદની તું સરસ્વતી, મા અમારી શારદે
જ્ઞાનની સરિતા વહાવી શબ્દ-સુર વરદાન દે

તું સુબુધ્ધીદાયિની, વરદાયિની

રૂદ્ર રૂપા સિંહવાહિની, ચંડિકા મહાકાલી મા
તવ પ્રભાવ અનંત વ્યાપ્યો, તું જ આદ્યા ત્રિલોકમાં

તું અસુર સંહારિણી, વરદયિની………….