Category Archives: અમર ભટ્ટ

ઝનનન ઝાંઝર બોલે રે – લાલજી કાનપરિયા (ક્ષેમુદાદાનું છેલ્લું સ્વરાંકન)

આજે ૩૦ જુલાઇ – આપણા મુર્ધન્ય સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીઆની પૂણ્યતિથિ. તો આપણા સૌ ગુજરાતીઓ તરફથી એમને શ્રધ્ધાંજલી સાથે આજે માણીએ એક એવું ગીત – જે એમણે ગુજરાતી સુગમસંગીતની શાસ્ત્રીયસંગીતને અંજલિ તરીકે બનાવ્યું છે. સાંભળીએ આ ગીત અમરભાઇ પાસે – અને સાથે અમરભાઇના જ શબ્દોમાં થોડી વાતો આ સ્વરાંકન વિષે (ગીતના શબ્દોની નીચે).

સ્વર – અમર ભટ્ટ
સ્વરાંકન – ક્ષેમુ દિવેટીઆ

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં આણલ અંજારિયાના સ્વરમાં સાંભળો

ઝનનન ઝાંઝર બોલે રે,
ભેદ ભીતરના ખોલે રે

મન મસ્તાનું થઈને ઝૂલે પવન્નનાં પારણીયે જી,
મોતી શું મલકાતું આવે કોઈ હવે બારણિયે જી
વળે છે નજરો ટોળે રે

ફૂલો આગળ ભમરો છેડે ફળિયે ગુન ગુન રાગ જી,
સંતો વચાળે હરતો ફરતો મઘમઘતો એક બાગ જી,
ચડે છે જીવડો ઝોલે રે

ઘડીક ઘરની અંદર ઘડીમાં બહાર ફરતાં પગલાં જી,
ફૂલો જેવાં ઊગી નીકળે અવસર ઢગલે ઢગલા જી,
અત્તરિયા દરિયા ડોલે રે

– લાલજી કાનપરિયા

ક્ષેમુભાઇનું આ છેલ્લું સ્વરાંકન સુગમ સંગીતની શાસ્ત્રીય સંગીતને અંજલિ છે. સ્થાયી રાગ છાયાનટની ઉસ્તાદ ફેયાઝ ખાનસાહેબે ગાયેલી બંદિશ -ઝનનન બાજે બીછુઆ – પર આધારિત છે.

પ્રથમ અંતરાની પ્રથમ પંક્તિ સૂરશ્રી કેસરબાઈ કેરકરના ગાયેલા રાગ નટકામોદની બંદિશ- નેવર બાજો- પર આધારિત છે. બીજા અંતરાની પ્રથમ પંક્તિ પંડિત ઓમકારનાથજીના ગાયેલા રાગ નીલામ્બરીની બંદિશ- હે મિતવા- પરથી એમણે બાંધી છે અને છેલ્લા અંતરાની પ્રથમ પંક્તિમાં પંડિત રવિશંકરના રાગ પરમેશ્વરીનો આધાર છે. શાસ્ત્રીય સંગીતથી આપણને સમૃદ્ધ કરનાર સૌ દિગ્ગજ કલાકારોને ક્શેમુભાઈની સલામ આ સ્વરાંકનમાં છે, જે જન્મતું જોવાનો ને પ્રથમ વાર ગાવાનો લ્હાવો મને મળ્યો એ મારું સદનસીબ!
– અમર ભટ્ટ

કાવ્યસંગીતયાત્રા – અમર ભટ્ટ ( Boston – May 3, 201૩)

‘Kavyasangeet’ Bethak By Amar Bhatt in Boston on May 3RD 2013.
For details please contact:
Pallavi Gandhi by phone 978-264-0039

*****

*****
અને, સાથે સાથે – ઘણા સમયથી ટહુકો પર ગુંજતી આ ગઝલ ફરીથી માણીએ..!!

 

<p style=”text-align: center;”>સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક

.

આ ગઝલના શબ્દો માટે અહીં ક્લિક કરો.

Amar Bhatt & Viraj Amar – Los Angeles area program (May 17-19)

Dear all:

Three unique musical programs are being organized in our San Fernando Valley & Los Angeles Area.

Amar Bhatt –  a well known composer and singer performing Gujarati Kavya Sangeet.

Viraj Amar Bhatt – a well known Classical singer from Banaras Gharana.. She has performed at most major musical conferences and events. In Jan 2013 she had performed at SAPTAK (Amdavad).

Program 1 :
1. Krishna Bhakti based Gujarati poetry- From Narsinh Mehta to modern poets.
A musical Presentation by:  
Amar Bhatt and Smt. Viraj Amar Bhatt

Time: Friday: May 17, 2013 8:00 PM- 10:30 PM
Place:  Will be communicated to respondents
.

Open to all but requires RSVP ( So we know how many people to expect and decide place accordingly)

Suggested Donation: Minimum $10 per person  (Tea and snacks will be provided)
(This donation will be entirely used for non-profit to promote Gujarati Literature. Artists want to simply promote good Gujarati Literature)

If you are interested, please Contact: Vijay Bhatt : vijaybhatt01@gmail.com

Program 2:

2. Classical Music vocal concert by: Viraj Amar Bhatt( An exponent of Banaras Gharana disciple of Pandit Rajan and Pandit Sajan Mishra).

This concert Presented by Baithak organization:

Saturday May 18, 2013 10:00 AM

Place: Simi Valley Library Community Hall, Simi Valley, CA

$15 per person
Open to all:

If you are interested, please Contact: Vijay Bhatt : vijaybhatt01@gmail.com

Program 3:

Amar Flyer2013 032913 (1)

 

‘મળી માતૃભાષા મને ગુજરાતી’ – કાવ્યસંગીતયાત્રા અમર ભટ્ટ સાથે (Bay Area, CA)

Due to overwhelming response, the venue for the event had to be shifted from a House concert to the Menu Restaurant.  Limited seating at the event, so please buy the tickets online in Advance to avoid disappointment. Highly recommend to those who are interested to get their tickets as soon as possible as they are selling very quickly.

TO BUY TICKETS IN ADVANCE by clicking the ‘Add to Cart‘ Button below (It will take you to the Secured PayPal website)




Tickets are also available by phone @ (415) 902-3707

Amar Bhatt 2.pdf

ગુજરાતના મૂર્ધન્ય સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટિયા – અમર ભટ્ટ

આજે ૩૦ જુલાઈ – ક્ષેમુદાદાએ આપણી વચ્ચેથી વિદાય લીધી એને ૨ વર્ષ થયા…! દરેક ગુજરાતી સંગીત પ્રેમીના હૃદયસ્થ એવા શ્રી ક્ષેમુ દિવેટિયાને આજે ફરી એક વાર યાદ કરી સાંભળીયે એમણે આપણને આપેલા વિશાલ ખાજાની એક નાનકડી ઝલક – અને સાથે – સ્વરકાર શ્રી અમર ભટ્ટના ક્ષેમુદાદા સાથેના સ્મરણો !! (આભાર – નવનીત સમર્પણ July 2012)

.

Did you know? Ahmedabad Municipal Corporation today officially named Vastrapur Amphitheater as Swarkaar Shri Kshemu Divatia Amphitheater.

મનોજ પર્વ ૧૯ : રહસ્યોની ગૂફામાં જઈ નીસરવું યાદ આવ્યું નહીં

મનોજપર્વમાં આજે સાંભળીએ કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ rare ગઝલ – સ્વરકાર શ્રી અમર ભટ્ટ પાસે, એમના જ શબ્દોમાં થોડી પ્રસ્તાવના સાથે…!
———————————

મનોજ ખંડેરિયાને આજે સહર્ષ યાદ કરું છું. કાયમ દિવાળીના થોડા દિવસો પહેલા અમદાવાદ આવે. મારા ઘરે અચૂક આવે. નવી ગઝલો સંભળાવે. શ્રોતામાં માત્ર હું ને પૂર્ણિમાબેન ને વિરાજ – મારી પત્ની. એક ગઝલ એમણે સંભળાવેલી તે આ –

રહસ્યોની ગૂફામાં જઈ નીસરવું યાદ આવ્યું નહીં,
સમયસર ખૂલ જા સિમ સિમ ઉચરવું યાદ આવ્યું નહીં

અમે જે બાળપણમાં ભીંત પર દોર્યું સરળતાથી
ઘણા યત્નો છતાં પાછું ચીતરવું યાદ આવ્યું નહીં

હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમ જ
ખરે ટાણે હુકમ પાનું ઉતરવું યાદ આવ્યું નહીં

કલમથી શાહી બદલે દર્દ છટકોર્યું છે કાગળ પર
બીજી કોઇ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહીં
– મનોજ ખંડેરિયા

આ એક rare ગઝલ છે. એમની સમગ્ર કવિતામાં પણ કદાચ છપાઈ નથી. આ ગઝલ એક experience ane expression તરીકે તાલ વગર રજૂ કરું છું.

સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ

મૌનના ટહુકા – વિશ્વકોશ લલિતકલાકેન્દ્ર કાવ્ય-સંગીતશ્રેણી (અમદાવાદ) 28April, 2012

મૌનના ટહુકા – વિશ્વકોશ લલિતકલાકેન્દ્ર કાવ્ય-સંગીતશ્રેણી

Time : 6.30 p.m. onwards
Day & Date : Saturday, 28th April, 2012
Venue : Hiralal Bhagwati Hall,Gujarat Vishvakosh Bhavan,
Beside Ramesh Park, Vishvakosh Marg,
Usmanpura, Ahmedabad 380013
Phone No. : 2755 1703

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (ગઝલ) હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે – રાજેન્દ્ર શુક્લ

વર્ષો પહેલા વિદેશથી આવીને હવે આપણા ગુજરાતી સાહિત્ય – ગુજરાતી સંગીત જગતનું અભિન્ન અંગ બની ગયેલો કાવ્ય-પ્રકાર એ – ગઝલ. કશે એવું સાંભળ્યા/વાંચ્યાનું યાદ છે કે – એક હિન્દી/ઉર્દુ ભાષાના શાયરે એવી ટકોર કરી હતી કે જે કક્ષાની ગઝલો ગુજરાતીમાં લખાય છે, એટલી ઉંચી કક્ષાની ગઝલો તો હવે હિન્દી/ઉર્દુમાં પણ નથી લખાતી..!

આજે માણીએ –

ગુજરાતી કવિતા અને ગઝલ ક્ષેત્રે જેમનો જુદો અવાજ છે, તે કવિ – શ્રી રાજેન્દ્ર શુક્લ!

એ લખે કે –

જુદી જ તાસીર અસર અલગ છે, જુદી ભોમકા અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલ ને મિજાજ જુદો!

રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે, જુદી સમજ ને સમાજ જુદો!

જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદાં ગણાયાં,
અમારે મન તો ન કોઈ જુદું, શું કરિયેં પામ્યાં અવાજ જુદો.

આ કવિની એક ગઝલ આજે સ્વરકાર શ્રી અમર ભટ્ટના અવાજમાં સાંભળીએ.

એક ને એક જ સ્થળે મળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
પીંડ ક્યાં પેટાવવા પડીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

હેત દેખીને ભલે હળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
પાંચ ભેળા સાવ શેં ભળીએ અમે? હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

ઉભરાવું હોય તો શમવું પડે, ઉગીએ જો તો જ આથમવું પડે
મેરું ચળતાયે નહીં ચળીયે અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

કંઇક સમજ્યા ત્યારથી બેઠા છીએ, હાથમાં હુક્કો લઇ આ ઢોલિએ
ક્યાંથી મળીએ કો’કને ફળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

શબ્દના દીવા બળે છે ડેલીએ, આવતલ આવી મળે છે ડેલીએ
સ્વપન જેવું શીદ સળવળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

– રાજેન્દ્ર શુક્લ