Category Archives: મહેન્દ્ર કપૂર

રાજકોટ રંગીલું શહેર છે – અવિનાશ વ્યાસ

સ્વરઃ મહેન્દ્ર કપૂર
ગીતઃ અવિનાશ વ્યાસ
સંગીતઃ ગૌરાંગ વ્યાસ
ચિત્રપટઃ પંખીનો માળો (૧૯૮૧)

Underbridge_Circle_Rajkot

જેની ઉપર માલિકની મ્હેર છે, રાજકોટ રંગીલું શહેર છે
હે રાજકોટ રંગીલું શહેર છે

લોક રૂડાં ને દિલના દિલેર છે રાજકોટ રંગીલું શહેર છે
હે રાજકોટ રંગીલું શહેર છે

રોડોમાં રોડ એક ધર્મેન્દ્ર રોડ છે
હેમા માલિની નથી એટલી જ ખોડ છે
અહીં પેંડાવાળાને લીલાલહેર છે
રાજકોટ રંગીલું શહેર છે

જેની ઉપર માલિકની મ્હેર છે, રાજકોટ રંગીલું શહેર છે
હે રાજકોટ રંગીલું શહેર છે

હે સાંગણવા ચોક આ શહેર તણી જાન છે
ડગલે ને પગલે ત્યાં પાનની દુકાન છે
અહીં મોટર ને માનવીને વેર છે રાજકોટ રંગીલું શહેર છે

જેની ઉપર માલિકની મ્હેર છે, રાજકોટ રંગીલું શહેર છે
હે રાજકોટ રંગીલું શહેર છે

નામ જુઓ રેસકોર્સ મળે નહિ ઘોડલાં
હાથોમાં હાથ નાખી ફરે અહીં જોડલાં
પણ ઘોડલાં ને જોડલાંમાં ફેર છે રાજકોટ રંગીલું શહેર છે

જેની ઉપર માલિકની મ્હેર છે, રાજકોટ રંગીલું શહેર છે
હે રાજકોટ રંગીલું શહેર છે

હે આજીના ડેમ ઉપર પ્રેમીઓનો ખેલ છે
સૌ જાણે કુંવારા પણ ભાઈ પરણેલ છે
એક રસ્તા ઉપર ને બીજી ઘેર છે
રાજકોટ રંગીલું શહેર છે

જેની ઉપર માલિકની મ્હેર છે, રાજકોટ રંગીલું શહેર છે
હે રાજકોટ રંગીલું શહેર છે

સોની બજારમાં નવા નવા ઘાટ છે
કારિગરી અહીંની ભારતમાં વિખ્યાત છે
જેનાં થાતાં વખાણ ઠેર ઠેર છે રાજકોટ રંગીલું શહેર છે

જેની ઉપર માલિકની મ્હેર છે, રાજકોટ રંગીલું શહેર છે
હે રાજકોટ રંગીલું શહેર છે

આલ્ફ્રેડ હાઈસ્કૂલ એક મોટો ઈતિહાસ છે
ગાંધીબાપુએ કર્યો અહીં અભ્યાસ છે
એવો ઉમદા આ ગામનો ઉછેર છે
રાજકોટ રંગીલું શહેર છે

જેની ઉપર માલિકની મ્હેર છે, રાજકોટ રંગીલું શહેર છે
હે રાજકોટ રંગીલું શહેર છે

લોક રૂડાં ને દિલના દિલેર છે રાજકોટ રંગીલું શહેર છે
રાજકોટ રંગીલું શહેર છે

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર… – અવિનાશ વ્યાસ

આજની આ પોસ્ટ અક્ષરસ: કેતનભાઇના શબ્દોમાં…! હું તો બસ એટલું જ કહીશ કે… આભાર કેતનભાઇ..! અને ચાલો – માણો આ ગીત અને સાથે એમની બીજી વાતો…!

_______________________________

ઈ.સ. ૧૯૮૩માં અવિનાશ વ્યાસનાં ગીત અને સંગીતવાળી ફિલ્મ “રાજા ભરથરી” પ્રદર્શિત થઈ, જેમાં મુખ્ય કલાકારો આ મુજબ હતાઃ

રાજા ભરથરી – ઉપેન્દ્ર ત્રિવેદી
રાણી પિંગળા – સ્નેહલતા
ગુરુ ગોરખનાથ – અરવિંદ ત્રિવેદી

આ ઉપરાંત ફિલ્મમાં જયશ્રી ટી અને રમેશ મહેતા (કે જે એમના સમયની મોટા ભાગની ગુજરાતી ફિલ્મોમાં લ.સા.અ એટલે કે, લઘુતમ સામાન્ય અવયવ…!!! 🙂 ) પણ હતા. ફિલ્મની કથા અને સંવાદ પણ રમેશ મહેતાએ જ લખ્યા હતા. આ ગીત ફિલ્મના અંતભાગમાં આવે છે. આ ફિલ્મે એ વખતે વિરાટ લોકપ્રિયતા હાંસલ કરી હતી. ઉપેન્દ્ર ત્રિવેદી પણ એ વખતે લોકોનાં હ્રદયમાં “અભિનયસમ્રાટ”નો હોદ્દો ધરાવતા હતા. અને અધૂરામાં પૂરું, મજબૂત સ્ક્રિપ્ટ, સુંદર સંવાદો અને આ ગીત!!!

આ ગીતે લોકોને રીતસરનું ઘેલું લગાડ્યું હતું. વડીલો પાસેથી સાંભળ્યું છે કે, આ ગીત વખતે જ્યારે રાજા ભરથરી ભેખ ધારણ કરી પત્ની પિંગળા પાસે ભિક્ષા માંગવા આવે છે ત્યારે થિયેટરમાં લોકો પ્રેક્ષકો ઉભા થઈને દશિયાનો ‘ઘા’ કરતા (ભરથરીને ભેખધારી સંન્યાસી સમજીને સ્તો!!!). ફિલ્મ પૂરી થતાં જ થિયેટરના સફાઈ કામદારો અંદર ધસી આવતા અને બધા સિક્કા એકઠા કરી લેતા અને ત્યાર બાદ જ બીજો શૉ ચાલુ થતો…બોલો, છે ને માન્યામાં ન આવે એવું?

ગાયકોઃ મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુર
સંગીતઃ અવિનાશ વ્યાસ

(નીચેના Video માં ગીતની આગળ-પાછળના થોડા સંવાદો પણ આવી ગયા છે. ચાલશે ને?)

સ્વર – ??

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

ભેખ રે ઉતારો રાજા ભરથરી…(૨)
હૈયું કરે છે પોકાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

કેમ રે જોવાશે ભેખ તમારો, ખાવું ઝેર કટાર…હો…(૨)
કેસર-ચંદન છોડીને રાજા…(૨) ધર્યો કાં ભભૂત અવતાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

લખ્યું જે લલાટે તે મિથ્યા ન થાતું, કરનારો કિરતાર…હો…(૨)
કંચન-શી કાયા તો રાખ થવાની…(૨) શોભે નહીં શણગાર…મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

રંગ રેલાવું રાજા મ્હેલમાં મારા, રેલાવું રંગધાર…હો…(૨)
દયા કરી મને છોડો ના એકલી…(૨), મારગ બીચ મઝધાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

જંગલનાં જોગી તો જંગલમાં શોભે, શોભે નહીં સંસાર…હો…(૨)
અલખ નિરંજનની ધૂણી ધખાવી…(૨) થાવા ભવસાગર પાર…મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…

ભેખ રે ઉતારો રાજા ભરથરી…
ભિક્ષા દે ને મૈયા પિંગળા…

રાજા ભરથરીની મૂળ વાર્તા અને ફિલ્મની વાર્તા થોડે ઘણે અંશે જુદી પડે છે. વાર્તા કંઇક આમ છે –

રાજા ભર્તુહરિ (આપણે અપભ્રંશ કરી “ભરથરી” કરી નાંખ્યું છે!!) બત્રીસલક્ષણો રાજા છે. સુંદર રીતે રાજ કરે છે. તેના રાજ્યમાં પ્રજા સુખી છે. રાજા પ્રજામાં ખૂબ જ પ્રિય છે. ભર્તુહરિની પત્ની પિંગળા અતિ સુંદર હોય છે. ભર્તુહરિ પિંગળાને ખૂબ જ પ્રેમ કરે છે. રાજ્યનાં કામ-કાજ સિવાયનો મોટાભાગનો સમય રાજા પિંગળા સાથે જ વિતાવે છે.

એકવાર રાજ્યમાં એક મહાત્મા આવે છે. રાજાની પ્રજાવત્સલતા અને વહીવટ જોઈ મહાત્મા અત્યંત પ્રસન્ન થાય છે અને રાજાને અમરફળ પ્રદાન કરે છે, કે જે ખાઈને રાજા ‘અમરત્વ’ પ્રાપ્ત કરી શકે. રાજા પિંગળાને બેહદ પ્રેમ કરે છે. તે વિચારે છે કે મારે અમર થઈને શું કરવું છે? પિગળાની અપ્રતિમ અને અનુપમ સુંદરતા શાશ્વત રહેવી જોઈએ. એટલે રાજા આ ફળ ખાતો નથી અને એ લઈને રાણીવાસમાં પિગળા પાસે જઇ તેને આપી દે છે. રાણી પિંગળા ત્યારે ને ત્યારે ફળ ખાતી નથી. તે રાજ્યનાં અશ્વપાળને પ્રેમ કરે છે, અને તેને ચોરી છૂપીથી મળતી હોય છે. પિંગળા એમ વિચારે છે કે હું અમર થઈને શું કરીશ? મારે તો મારા પ્રેમને અમર બનાવવો છે. એટલે પિંગળા એ અમરફળ અશ્વપાળને આપે છે. હવે અશ્વપાળ તરફનો પિંગળાને પ્રેમ એકતરફી છે. વાસ્તવમાં અશ્વપાળ રાજનર્તકીને પ્રેમ કરે છે. એ વિચારે છે કે હું અમર થઈને શું કરુ? રાજનર્તકીની અલૌકિક નૃત્યકલા સદાકાળ રહે તે જ વધુ ઉત્તમ. એટલે તે ફળ રાજનર્તકી પાસે આવે છે. હવે રાજનર્તકી ખૂબ સમજદાર છે. એ પણ ફળ ખાતી નથી અને વિચારે છે કે હું ખરેખર અમર થવા યોગ્ય નથી. અમર તો એ વ્યક્તિ થવી જોઇએ કે સમાજને માટે પોતાનું જીવન ઘસી નાંખે. ઘણો વિચાર કર્યા પછી તેણે નિર્ણય કર્યો કે આ અમરફળ માટે રાજા ભર્તુહરિ સિવાય કોઇ અન્ય યોગ્ય ન હોઈ શકે.

બીજા દિવસે સવારે રાજનર્તકી રાજદરબારમાં અમરફળ લઈને આવે છે અને રાજાને આપે છે. રાજા પર જાણે વિજળી પડે છે. તે એક પળ માટે વિચારશૂન્ય થઈ જાય છે. તરત જ તેને આખું ચક્કર સમજાઈ જાય છે અને વૈરાગ્ય આવી જાય છે. તે જ ક્ષણે રાજપાટ ત્યાગી, સંસાર છોડી દે છે અને જોગી-ભિક્ષુકના વેશે મહેલમાં પિંગળા પાસે ભિક્ષા માગવા આવે છે. હવે ભર્તુહરિ સંસારી નથી, રાજા નથી, કોઇનો પતિ નથી, માત્ર સંન્યાસી છે. તે તમામ દુન્યવી સંબંધોને વેગળા મૂકીને આવ્યો છે અને ભિક્ષા માગતી વખતે પિંગળાને “મૈયા” એવું સંબોધન કરે છે. આ પ્રસંગ આ ગીતમાં ફિલ્માવવામાં આવ્યો છે.

નોંધઃ ઉપરોક્ત વાર્તા ફિલ્મની નથી, પણ અમુક પુસ્તકોમાં વાંચેલી કે પછી ક્યાંક સાંભળેલી છે. ફિલ્મમાં આ જ વાર્તા કંઈક અલગ રીતે રજૂ થયેલી છે. ફિલ્મની વાર્તા અનુસાર પિગળા બેવફા નથી પણ એક પતિવ્રતા અને સતી સ્ત્રી છે. અને માત્ર સંજોગો અનુસાર રાજા પિંગળા પર શંકા કરી સંસારત્યાગ કરે છે. ફિલ્મમાં ગુરુ ગોરખનાથ અશ્વપાળ સ્વરુપે આવીને રાજાને સંસારથી વિમુખ કરવાના પ્રયત્નો કરે છે. અશ્વપાળનું પાત્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું છે. રાજનર્તકીના પાત્રમાં જયશ્રી ટી છે.

પ્રિતડી બાંધતા રે બંધાઇ ના…

સ્વર : મહેન્દ્ર કપૂર, ઉષા મંગેશકર
કવિ : ??
સંગીત : ??

.

પ્રિતડી બાંધતા રે બંધાઇ ના
બંધન જન્મોજનમના ભૂલાઇ ના
લખ્યું લલાટનું ના ભૂંસાઇ

સપનાં રોળાઇ ગયા, કાળજ કોરાઇ ગયા,
તારી જુદાઇમાં, મનથી વિંધાઇ ગયા
ઓ વ્હાલમા…
તડકો ને છાંયો જીવન છે, નાહક મુંઝાઇ ગયા…
કે પ્રિતડી…

નૈને નિંદર નથી, ક્યાં છું ખબર નથી
દિલડાને જંપ હવે તારા વગર નથી
ઓ વ્હાલમા…
સંસારી ઘુઘવતા સાગરે
ડુબવાનો ડર નથી…
કે પ્રિતડી…

તારી લગન લાગી, અંગે અગન જાગી
વિયોગી તારલીનું ગયું રે મન ભાંગી
ઓ વ્હાલમા..
વસમી વિયોગની વાટમાં
લેજો મિલન માંગી

કે પ્રિતડી બાંધતા રે બંધાઇ ના
બંધન જન્મોજનમના ભૂલાઇ ના
લખ્યું લલાટનું ના ભૂંસાઇ

એક પાટણ શહેરની નાર પદમણી – અવિનાશ વ્યાસ

આજે તો સવાર સુધરી જાય એવું મસ્તીસભર ગીત લઇ આવી છું.

ગુજરાતી ગીતો અને પાટણ શહેરનો નાતો આમ તો ઘણો જાણીતો છે. પણ અવિનાશ વ્યાસે પાટણના પટોળાની સાથે પાટણની નારને પણ ગુજરાતી ગીતમાં સ્થાન અપાવ્યું – એ તમને ખબર છે?

આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂર જેવાનો સ્વર મળ્યો હોય, અને અવિનાશ વ્યાસના શબ્દોને મળ્યું હોય ગૌરાંગ વ્યાસનું સંગીત.. વારંવાર સાંભળ્યા કરવાનું મન ન થાય તો જ નવાઇ..!!

સ્વર : આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર
સંગીત : ગૌરાંગ વ્યાસ

.

એક પાટણ શહેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબી ને જમણી,
સૂરત જાણે ચંદા પૂનમની, બીચ બજારે જાય..
ભાતીગળ ચૂંદલડી લહેરાય,
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય..

એક વાગડ દેશનો બંકો જુવાનીયો,
રંગ જાણે એનો લાલ ફાગણીયો,
કંઠે ગરજતો જાણે શ્રાવણિયો, સાવજડો વર્તાય,
નજર્યુંમાં આવી એવો નજરાય,
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય..

રંગમાં નખરો, ઢંગમાં નખરો,
રૂપ એવું અંગ અંગમાં નખરો;
પાતળી કેડને ભાર જોબનનો જીરવ્યો ના જીરવાય,
ભાતીગળ ચૂંદલડી લહેરાય,
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય..

બંકડી મૂછો અરે બંકડી પાઘડી,
રંગ કસુંબલ ભરી આંખલડી,
હાલક ડોલક ડુંગરે ચડે પડ છો ના પરખાય,
નજર્યુંમાં આવી એવો નજરાય,
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય..

H बीते हुए लम्हों की कसक साथ तो होगी.. – हसन कमाल

આજે એક હીન્દી ગીત…  અને એ પણ મારુ ઘણું જ ગમતું ગીત…  પણ, આજે આ ગીત મુકવાનું એક ખાસ કારણ છે. એ કારણ તો હું તમને 1-2 દિવસમાં જણાવીશ જ, પણ આજ માટે તો બસ આ સુરીલી નઝ્મ સાઁભળીયે !

સ્વર : મહેન્દ્ર કપૂર ;  સંગીત : રવિ  

अभी अलविदा मत कहो दोस्तों
न जाने फिर कहाँ मुलाक़ात हो, क्योंकि

बीते हुए लम्हों की कसक साथ तो होगी
ख़्वाबों में ही हो चाहे मुलाक़ात तो होगी

ये प्यार ये डूबी हुई रँगीन फ़िज़ाएं
ये चहरे ये नज़ारे ये जवाँ रुत ये हवाएं
हम जाएं कहीं इनकी महक साथ तो होगी
बीते हुए लम्हों की …

फूलों की तरह दिल में बसाए हुए रखना
यादों के चिराग़ों को जलाए हुए रखना
लम्बा है सफ़र इस में कहीं रात तो होगी
बीते हुए लम्हों की …

ये साथ गुज़ारे हुए लम्हात की दौलत
जज़्बात की दौलत ये ख़यालात की दौलत
कुछ पास न हो पास ये सौगात तो होगी
बीते हुए लम्हों की …

उसको नहीं देखा हमनें कभी……..

स्वर : मन्ना डे, महेन्द्र कपूर
संगीत : रोशन
शब्द : मजरूह सुल्तानपुरी

उसको नहीं देखा हमनें कभी
पर इसकी ज़रुरत क्या होगी
ए माँ तेरी सूरत से अलग
भगवानकी सूरत क्या होगी

इंसान तो क्या देवता भी
आंचलमें पले तेरे
है स्वर्ग इसी दुनियामें
कदमों के तले तेरे

ममता ही लुटाये जिसके नयन
एसी कोइ मूरत क्या होगी
ए माँ तेरी सूरत से अलग
भगवानकी सूरत क्या होगी

क्यों धूप जलाये दुखोकी
क्यों गमकी घटा बरसे
ये हाथ दुआओं वाले
रहेते सदा सरपे

तु है तो अंधेरे पथमें हमें
सूरजकी ज़रूरत क्या होगी
ए माँ तेरी सूरत से अलग
भगवानकी सूरत क्या होगी

कहेतें है तेरी शानमें जो
कोइ उंचे बोल नहीं
भगवान के पासथी माता
तेरे प्यार का मोल नहीं

हम तो यही जाने तुझसे बडी
संसार की दौलत क्या होगी
ए माँ तेरी सूरत से अलग
भगवानकी सूरत क्या होगी

પાંદડુ લીલું ને રંગ રાતો – અવિનાશ વ્યાસ

ગીતકાર અને સંગીતકારઃ અવિનાશ વ્યાસ
સ્વરઃ લતા મંગેશકર ,મહેન્દ્ર કપૂર

mahendi

.

પાંદડુ લીલું ને રંગ રાતો
હે જી મારી મહેંદીનો રંગ મદમાતો….

ભુલી રે પડી હું તો રંગના બજારમાં
લાગ્યો મને રંગ કેરો છાંટો
પાંદડુ લીલું ને રંગ રાતો

રેશમની કાયા તારી જાણે લજામણી
લટકંતી લટ્ટો તારી ભુલ રે ભુલામણી
રૂપને ઘેરીને બેઠો ઘુંઘટનો છેડલો..
વાયરાની લ્હેરમાં લહેરાતો
પાંદડુ લીલું ને રંગ રાતો

રંગરસિયા જરા આટલેથી અટકો
દિલને લોભાવે તારા લોચનનો લટકો
વારી વારી થાકી તો યે છેલ રે છબીલા તુ તો
અણજાણે આંખમાં છુપાતો
પાંદડુ લીલું ને રંગ રાતો

———————

ફરમાઇશ કરનાર મિત્રો : દેવ, નિયંતા, પ્રિત, અંકિત