મેં એક અચંબો દીઠો – સુન્દરમ

જન્માષ્ટમી:
કૃષ્ણમય થવાના દિવસે કવિ સુંદરમ્ નું એક ગીત માણો.

સુન્દરમે એક પદમાં ગાયું છે-
‘ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં
રો રો કર મોરી થક ગઈ મતિયાં’
અહીં કવિને ઘર ઘર કૃષ્ણ કનૈયો જોવા મળે છે. એ માટે મુગ્ધ નરસૈંયો બનવું પડે.
સ્વરાંકનમાં બીજી પંક્તિ પ્રથમ સ્વરબદ્ધ થઇ-
‘હૃદય હૃદય મેં રાધા દીઠી હું બન્યો મુગ્ધ નરસૈંયો’-
વૈષ્ણવજનના ઢાળનો સહજ સંદર્ભ લઈને મુગ્ધતાથી તદ્રુપ થયાનો ભાવ તાર સપ્તકના શુદ્ધ ગંધાર (ગ) પર સ્થાયી થયો. ને પછી પ્રથમ પંક્તિ ને અંતરાનું સ્વરનિયોજન થયું. કવિની તલ્લીનતાનું ગીત, કવિના અચરજના ઐશ્વર્યનું ગીત માણો.

કવિ: સુંદરમ્
સ્વરકાર:ગાયક: અમર ભટ્ટ
આલબમ:શબ્દનો સ્વરાભિષેક:4

.

મેં એક અચંબો દીઠો,
દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો
હૃદય હૃદય મેં રાધા દીઠી,
હું બન્યો મુગ્ધ નરસૈંયો

મેં વન વન વૃંદાવન દીઠાં,
મેં તરુ તરુ દીઠી વૃંદા ,
મેં પર્ણ પર્ણમાં વૃંદા કેરાં
દીઠાં નંદ જશોદા

મેં નયન નયનમાં ઉદ્ધવ દીઠા,
શયન શયન હરિ પોઢ્યા ,
મેં અખિલ વ્યોમ પયસાગર દીઠો,
મેં અંગ અંગ હરિ ઓઢ્યા
-સુન્દરમ

3 replies on “મેં એક અચંબો દીઠો – સુન્દરમ”

  1. સુંદર ભાવવાહી ગીત અને ગાયકી નો સુભગ સમન્વય ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *