Category Archives: પ્રકિર્ણ

Happy Birthday… લયસ્તરો ડૉટ કોમ

લયસ્તરો (www.layastaro.com)

ગુજરાતી કવિતાની સૌપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરોએ ૦૪-૧૨-૦૨૦૧૮ના રોજ ચૌદ વર્ષનું સીમાચિહ્ન સર કર્યું. ૧૪ વર્ષ, ૯૫૦થી વધુ કવિઓ અને ૪૩૦૦થી વધુ પૉસ્ટ્સ…

ચૌદ વર્ષે તો રામનો વનવાસ પણ ખતમ થઈ ગયો હતો… પણ લયસ્તરો પર ચાલતો આ કવન-વાસ કદી પૂરો ન થાય એમ અમે ઇચ્છીએ છીએ…

કાવ્ય અને કાવ્યાસ્વાદની આ યાત્રા આપ સહુ વાચકમિત્રોના એકધારા સ્નેહ અને સદભાવ વિના શક્ય જ નહોતી…. આપ સહુનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે એવી આશા સાથે આપ સહુનો હૃદયપૂર્વક આભાર..

-ડૉ. ધવલ શાહ, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર, મોના નાયક
(ટીમ લયસ્તરો)

અલવિદા કવિ શ્રી નિરંજન ભગત…

ગઇકાલે કવિ શ્રી નિરંજન ભગતે આપણી વચ્ચેથી વિદાય લીધી! પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એવી પાર્થના. કવિ શ્રી એમના શબ્દો થકી હંમેશા આપણી વચ્ચે રહેશે. એમણે ફક્ત એક નહીં, કેટલાય પ્રેમના ગીતો આ પૃથ્વીના કર્ણપટલે ધર્યા છે.

ટહુકોને દસ વર્ષ થયા એ વખતે મળેલો આ વિડિયો આજે ફરી અહિં વહેંચું છું.

હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કરવા આવ્યો છું?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા !
-રે ચહું ન પાછો ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બેચાર ઘડી
ને ગાઈ શકું બેચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!

હું તો બસ ફરવા આવ્યો છું

– નિરંજન ભગત

#GivingTuesday


Join Our Movement to Preserve Musical and Literacy #GivingTuesday.

#GivingTuesday is a movement of nonprofit organizations, local businesses and philanthropists in the United States come together to promote and participate in giving to support better, vibrant and strong communities, throughout the country, beginning right here, in California.

You’re going to hear and read a lot from our fellow nonprofits in the community, but it’s our hope that you can build just a few minutes into your day to support Tahuko Foundation.

Because of you we are able to do things like, running a pioneering gujarati music website for 11+ Years, and hosting various artists for live events in Bay Area, California.

Our work together—not just for one day—is just getting started.

Give Now
(Click above to go to Tahuko Foundation Website and Donate)

નવમી વર્ષગાંઠ પર…

aanya_jayshree
(નૂતન ટહુકો…. આન્યા અને મમ્મી જયશ્રી)

*

નવમી વર્ષગાંઠ પર ટહુકો ડૉટ કૉમ ને અઢળક મબલખ શુભકામનાઓ…

*

જોતજોતામાં નવલા નવ વરસ પસાર થઈ ગયાં અને આપણા સહુનો લોકલાડીલો ટહુકો દસમા વરસમાં આજે પ્રવેશી રહ્યો છે. છેલ્લા થોડા સમયથી ટહુકો એની શરૂઆતની નિયમિતતાથી રોજ વહેલી પરોઢે આપણા કાનોને શબ્દ-સૂરથી તરબતર કરવાના બદલે અનિયમિતતાથી આપણા દરવાજે ટકોરા મારી રહ્યો છે…

અમે અમારા અંગત ડિટેક્ટિવ શ્રીયુત વ્યોમકેશ બક્ષીને ટહુકો ડૉટ કોમની અનિયમિતતાના કારણો અંગે તપાસ કરવાનું કામ આપ્યું હતું… અને ડિટેક્ટિવ મહાશય જે ધમાકેદાર કારણ શોધી લાવ્યા છે એ જાજરમાન કારણ આજે હું ટહુકોની નવમી વર્ષગાંઠે આપ સહુ સમક્ષ રજૂ કરું છું… અને આ કારણ છે જયશ્રી અને અમિતના બગીચામાં ખીલેલું નવલું પુષ્પ, આન્યા પટેલ !

કુ. આન્યા (જયશ્રી-અમિત) પટેલ, ટહુકો પરિવારમાં આપનું દબદબાપૂર્વક સ્વાગત છે… આશા રાખીએ કે આપ ઝડપભેર આપના પગ પર ઊભા થઈ જાવ તો અમને અમારો તહુકો ફરીથી નિયમિત કૂકડાની બાંગ બનીને મળતો થાય…

નવમા જન્મદિવસ પર ખૂબ ખૂબ મુબારકબાદી, ટહુકો.કોમ…

– વિવેક મ. ટેલર

*

aanya_vivek
(આન્યા…..     … વિવેકઅંકલ સાથે)

જન્મદિવસ મુબારક હો, પ્યારી જયશ્રી….

Jayshree by Vivek Tailor

જયશ્રી ભક્ત પટેલ અને ટહુકો ડૉટ કૉમ – આ બે નામ ગુજરાતી કવિતા-સંગીતપ્રેમીઓના હૃદયમાં ‘અમિત’પણે અંકાઈ ચૂક્યા છે. આજે ચોથી સપ્ટેમ્બરના રોજ ટહુકોની કર્ણધાર-સ્થાપક જયશ્રીની વર્ષગાંઠ છે… જયશ્રીને વર્ષગાંઠ નિમિત્તે શત શત કોટિ શુભકામનાઓ…

शतम् जीवेत् शरद: ।

*

આ ફુલ્લકુસુમિત તેજ રહો યાવત્ચંદ્રૌદિવાકરો,
આ સ્મિત પણ એનું એ જ રહો યાવત્ચંદ્રૌદિવાકરો.

મદમસ્ત ગુલાબી સપનાંને એકેય કંટક ભોંકાય નહીં,
એવી મખમલ મખમલ સેજ રહો, યાવત્ચંદ્રૌદિવાકરો.

– વિવેક મનહર ટેલર

*

જોગાનુજોગ આજે કવિશ્રી કૃષ્ણ દવે અને મહેશ રાવલની પણ વર્ષગાંઠ છે. બંનેને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

વર્ષગાંઠ મુબારક હો, ટહુકો.કોમ….

bulbul by Vivek Tailor

*

૧૨ જુન, ૨૦૦૬….. ૧૨ જુન, ૨૦૧૪…

આઠ વર્ષ…. ૨૩૦૦થી વધુ પૉસ્ટ્સ… ૪૦૦૦૦થી વધુ પ્રતિભાવ… અને વિશ્વભરમાં ખૂણે-ખૂણે વસતા ગુજરાતીઓનો અપ્રતિમ સ્નેહ… કોઈ એવો ગુજરાતી શોધવો મુશ્કેલ છે જેને પોતાના મૂળિયા વિશે, ગુજરાતી હોવાપણા વિશે થોડો પણ પ્રેમ હોય અને ટહુકો.કોમ પર એકપણ મુલાકાત ન લીધી હોય.

કૂકડાની બાંગ કરતાંય વધુ નિયમિતતાથી રોજ સવારે સૂરજનું સ્વાગત કરતો જયશ્રી-અમિતનો ટહુકો છેલ્લા થોડા સમયથી અનિયમિત થયો છે એ આપણે સહુ જાણીએ જ છીએ. પારિવારિક વ્યસ્તતામાં બંને જણ ઝડપભેર ‘સેટ’ થઈ જાય અને આવનારા સમયમાં ફરી ટહુકો કૂકડાની બાંગ સાથે ‘કૉમ્પિટ’ કરતો થઈ જાય એવી શુભકામનાઓ સાથે મારા-તમારા-આપણા સહુના વહાલસોયા ટહુકો.કોમને આઠમી વર્ષગાંઠ પર શત શત કોટિ શુભકામનાઓ…

વર્ષગાંઠની અંતઃકરણપૂર્વકની વધાઈ હો, પ્યારા ટહુકો.કોમ !

– વિવેક મનહર ટેલર

રીડગુજરાતી.કોમના Founder મૃગેશ શાહ નું અવસાન…

1510718_10153784559045246_1876214884_nમિત્રો, આપ સૌને આ સમાચાર આપતા અત્યંત આઘાત અને દુઃખ અનુભવું છું. રીડગુજરાતી.કોમના Founder મૃગેશભાઈ આજે – જુન 5 -ના દિવસે અવસાન પામ્યા છે.

ઈન્ટરનેટ પર ગુજરાતી વાંચતો એક પણ ગુજરાતી વ્યક્તિ રીડગુજરાતી.કોમ કે મૃગેશ શાહના નામથી અપરિચિત ન હોય. મને પણ ઇન્ટરનેટ ગુજરાતીનો પ્રથમ પરિચય રીડગુજરાતી થકી જ થયો હતો. સમગ્ર ગુજરાતી વાચકવર્ગ માટે આ એક કારમો આઘાત છે. મૃગેશભાઈના પરિવારમાં ફક્ત તેમના વૃદ્ધ પિતા જ છે. ઈશ્વર તેમને આ આઘાત સહન કરવાની શક્તિ બક્ષે અને મૃગેશભાઈના આત્માને પ્રભુશરણ મળે એ જ અંતઃકરણ પૂર્વકની પ્રાથના..!

મળવા જેવા માણસ : શ્રી મહેન્દ્ર મહેતા – Article by પી. કે. દાવડા

1093752_10201825730906471_1361400182_oશ્રી મહેન્દ્ર મહેતા – જે આમ તો મારા માટે, અમિત માટે અને Bay Areaમાં વસતા મારા જેવા ઘણા બધા ગુજરાતીઓ માટે – વ્હાલા મહેન્દ્ર અંકલ. એમના વિષે આ આર્ટિકલ લખાયો છે એ જાણીને ખૂબ જ આનંદ થયો. ટહુકો ફાઉન્ડેશન દ્વારા અહીં Bay Areaમાં ગુજરાતી સંગીતના જે પણ થોડા કાર્યક્રમો પ્રસ્તુત થયા છે – એ મહેન્દ્ર અંકલ અને મીરા આંટીની સહાય અને પ્રોત્સાહન વગર શક્ય જ નો’તા! એમના વિષે વધુ વાંચો શ્રી પી.કે.દાવડાના શબ્દોમાં..

********

મહેન્દ્રભાઈનો જન્મ ૧૯૪૧ માં ભાવનગરમાં એક શિક્ષણ પ્રેમી કુટુંબમાં થયો હતો. એમના દાદા ભાવનગરમાં શિક્ષક હતા. એમના શિક્ષણ પ્રત્યેના સમર્પણથી પ્રભાવિત થઈ, ભાવનગરની પારસી સંસ્થાએ એમને કરાંચીમાં ગુજરાતિ શાળા સ્થાપવા અને ચલાવવા માટે મોકલ્યા હતા અને એ કામ એમણે સફળતા પુર્વક કર્યું હતું. એમના દાદી પણ નીડર અને સાહસિક હોવાથી એકલા ભાવનગર અને કરાંચી વચ્ચે આવવા-જવાનું કરતા અને સગા-સંબંધીઓને પણ લઈ જતા. એમના કાકા પણ આજીવન શિક્ષક હતા અને ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃતના વિદ્વાન હોવાથી આનંદશંકર ધ્રુવે તેમને બનારસ બોલાવ્યા હતા. ગુજરાતના ખૂબ જ જાણીતા કવિ ઉમાશંકર જોષી મહેન્દ્રભાઈના કાકાના મિત્ર હોવાથી જ્યારે પણ ભાવનગર આવે ત્યારે એમના કાકાને મળવા આવતા.

મહેન્દ્રભાઈના પિતા ઈલેક્ટ્રીકલ-મિકેનીકલ એંજીનીઅર હતા. પોતે ઉચ્ચ શિક્ષણ મેળવેલું હોવાથી સ્વભાવિક રીતે પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષા આપવા માટે શક્ય તે બધું જ કર્યું. મહેન્દ્રભાઈના પિતા ૧૪ વર્ષ સુધી બિમારીથી પથારીવશ હતા, ત્યારે એમની માતાએ બાળકોના અભ્યાસમાં બાધા ન આવે એટલા માટે એકલા હાથે એમની ચાકરી કરી. આ શિક્ષણપ્રેમી કુટુંબનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

મહેન્દ્રભાઈનો શાળાનો અભ્યાસ મહદ અંશે ભાવનગરમાં થયો હતો. ૧૯૫૩ માં એમના પિતાને બોમ્બે પોર્ટ ટ્ર્સ્ટમાં નોકરી મળવાથી છેલ્લા ત્રણ વર્ષનો અભ્યાસ મુંબઈની શાળામાં થયો. ૧૦મા અને ૧૧મા ધોરણમાં જાણીતા કવિ જગદીશ જોષી એમના ગુજરાતીના શિક્ષક હતા. જગદીશ જોષી એ જમાનામાં Stanford માંથી M.A. ની ડીગ્રી લઈ આવેલા, તેમ છતાં ઉચ્ચ હોદ્દાવાળી અનેક નોકરીઓની ઓફર્સ ઠૂકરાવીને કુટુંબદ્વારા ચલાવાતી શાળામાં ગુજરાતિ અને અંગ્રેજીના શિક્ષક બની રહ્યા. જગદીશભાઈની મહેન્દ્રભાઇ ઉપર આની જે અસર થઈ એ એમના શબ્દોમાં કહું તો ,” જીવનમાં પૈસા કે હોદ્દો કરતા નિષ્ઠા વધારે અગત્યના છે, ઉપદેશથી નહિ પણ પોતાના વર્તનથી જગદીશભાઈએ શિખવ્યું.” મહેન્દ્રભાઈનો સાહિત્ય પ્રેમનો પાયો પણ અહીં વધારે મજબૂત થયો.

S.S.C. માં ઉત્તિર્ણ થઈ, મહેન્દ્રભાઈ એ મુંબઈની જયહિંદ કોલેજમાં બે વર્ષ અભ્યાસ કરી ઘણાં ઉચ્ચ માર્કસ સાથે,૧૯૬૦ માં ઈંટર સાયન્સ પાસ કર્યું. મુંબઈની ત્રણ પ્રતિષ્ઠિત કોલેજો એટલે V.T.T.I., I.I.T. અને U.D.C.T. આમાંથી કોઈપણ એક કોલેજમાં એડમીશન મળે એટલે સમજવું કે એ વિદ્યાર્થી મુંબઈ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓમાંથી ટોપ બે ટકામાંથી છે. મહેન્દ્રભાઈને આ ત્રણે કોલેજમાં એડમિશન મળ્યું. આમાં સૌથી વધારે આકર્ષક ભવિષ્ય આપે એવી કોલેજ I.I.T. હોવાથી મહેન્દ્રભાઈએ I.I.T. માં સિવિલ એંજીનીઅરીંગમાં એડમિશન લીધું. ૧૯૬૪ માં B.Tech.(Civil) ની ડીગ્રી મેળવી અને વધારે અભ્યાસ કરવા અમેરિકા જવાની તૈયારી શરૂ કરી. ૧૯૬૪ માં એમને Stanford University માં Partial Scholarship સાથે એડમીશન મળ્યું. અહીં એમણે રેકોર્ડ સમય, માત્ર નવ મહિનામાં M.S. (Structural) ની ડિગ્રી મેળવી લીધી.

૧૯૬૫ માં મહેન્દ્ર્ભાઈ પાસે M.S.(Structural)ની ડીગ્રી અને ખીસ્સામાં માત્ર ૧૪ ડોલર રોકડા હતા. તરત નોકરી ન મળે તો ઘરેથી પૈસા મંગાવવા પડે, જે કરવાની એમની ઈચ્છા ન હતી. ૧૪ ડોલરમાં ત્રણ અઠવાડિયા ગુજારો કરવા બાદ એમને Southern Pacific Railway માં નોકરી મળી. અલબત આ ત્રણ અઠવાડિયા એમને મિત્રોએ થોડી મદદ કરેલી. મહેન્દ્રભાઈ મિત્રોની આ મદદને આજસુધી ભૂલ્યા નથી. Southern Pacific Railway ના બ્રીજ વિભાગમાં આઠ વર્ષ નોકરી કરી પણ પછી Descrimination થી નારાજ થઈ આ નોકરીમાંથી રાજીનામું આપ્યું. નોકરી છોડવાના ત્રણ દિવસમાં જ વિશ્વ વિખ્યાત Earthquake Engineering માં નિષ્ણાત John Blume & Associate માં નોકરી મળી ગઈ. આ કંપનીમાં સાત વર્ષ કામ કર્યું એ દરમ્યાન એમને આ ક્ષેત્રનો શ્રેષ્ઠ અનુભવ મળ્યો એટલું જ નહિં પણ એમને Structural Engineer તરીકે સ્વતંત્ર રીતે કામ કરવાનું લાયસેંસ પણ મળ્યું. ત્યારબાદ એક વર્ષ માટે San Francisco ની એક કંપનીમાં ચીફ એંજીનીઅર તરીકે કામ કર્યું.

આ દરમ્યાન ૧૯૭૦ માં મહેન્દ્રભાઈના લગ્ન કુટુંબે પસંદ કરેલી મીરા સાથે થયા. મીરાબહેન ગુજરાતના ખૂબ જ જાણીતા જસ્ટીસ બાલકૃષ્ણ ત્રિવેદી અને સમાજ સુધારક શાન્તિલાબહેનના પુત્રી હતા. મીરાબહેન પાસે M.A., LLB ઉપરાંત જર્નાલીઝમનો ડિપ્લોમા હતા. એમણે શાસ્ત્રીય સંગીત, કથક અને મણીપુરીના શિક્ષણ ઉપરાંત સાહિત્ય શોખ પણ નાનપણથી જ કેળવેલો. ૧૮ વર્ષની ઉમ્મરમાં જ કેટલીક કવિતાઓ ઉપરાંત “કલાપ્રણય” નામે એક નવલકથા લખી, ક.મા.મુનશીના હાથે ઈનામ મેળવેલું. આમ મહેન્દ્રભાઈ અને મીરાબહેનના લગ્ન એક “રબને બનાઈ જોડી” જેવા સાબિત થયા. મહેન્દ્રભાઇની ત્યારબાદની બધી સામાજીક પ્રવૃત્તિઓમાં મીરાબેનનો ખૂબ જ મોટો ફાળો હતો.

૧૯૭૨ માં એમની એકમાત્ર પુત્રી કલા નો જન્મ થયો. કુટુંબની શિક્ષણ પરંપરા જાળવી રાખીને કલાબહેને પણ અનેક ક્ષેત્રોમાં ઉચ્ચ ડીગ્રીઓ મેળવી.

મહેન્દ્રભાઈએ San Franscisco માં એક વર્ષ કામ કર્યા બાદ, Los Angles ની એક કંપનીમાં મેનેજર તરીકે આઠ વર્ષ કામ કર્યું. ૧૯૮૮ માં આ કંપનીમાંથી સ્વેચ્છાએ છૂટા થયા, અને California Government ની Division of State Architect, Sacramento Office માં જોડાયા. અહીં ત્રણ વર્ષ કામ કરી, પ્રમોશન મેળવી San Diego ની ઓફીસના વડા તરીકે ગયા. અહીં એમણે પ્રચલિત કાર્યપધ્ધતિમાં ફેરફાર કરી, કોઈપણ પ્રોજેકટમાં કામ કરતી બધી જ એજંસીસ જેવી કે School Districs, Architects અને Contractors વચ્ચે સમન્વય સાધી, સાથે મળીને પ્રોજેકટને સફળ બનાવવાનું કાર્ય કર્યું. ૨૦૦૬ માં એમણે કામકાજમાંથી નિવૃતિ લીધી અને પૂરો સમય સામાજીક પ્રવૃતિઓમાં ગાળવાનું શરૂ કર્યું.

આ નાના લેખમાં એમના સામાજીક યોગદાનને આવરી લેવું શક્ય નથી. એમણે અને મીરાબેને સાથે મળીને જે અનેક કામો કર્યા છે એમાંથી થોડાનો ઉલ્લેખ કરવો હોય તો, Indians For Collective સંસ્થા શરૂ કરવામા સક્રીય મદદ, Ali Akabar College of Music ને મદદ અને એના બોર્ડમાં સક્રીય સેવા, ૧૯૮૪ માં Indian Cousel General ને Festival of India ના આયોજનમાં સક્રીય મદદ, સાહિત્ય અને સંગીતના ૨૦૦ થી વધારે કાર્યક્રમોનું આયોજન, India Currents અને બીજી સંગીત, સાહિત્ય અને કળા સંસ્થાઓને પ્રોત્સાહન અને મદદ વગેરેનો સમાવેશ કરી શકાય.

સંગીતના કાર્યક્રમોમાં નોંધપાત્ર, ઉસ્તાદ અલીઅકબરખાન, પંડિત રવિશંકર, નીખીલ બેનરજી, હરિપ્રસાદ ચોરસિયા ઝાકીર હુસેન, સ્વપન ચોધરી, પુરષોત્તમ ઉપાદ્યાય, રાસબિહારી દેસાઈ, અમર ભટ્ટ અને બીજા અનેક કલાકારો ના કાર્યક્રમ યોજ્યા. સાહિત્યના કાર્યક્રમોમાં, ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોલી, મકરંદ દવે, નિરંજન ભગત, સુરેશ દલાલ અને બીજા ઘણા સાક્ષરો ને નોતર્યા અને તેમના કાર્યક્રમ યોજ્યા.

સ્થાનિક કલાકારો માટે તેમને હમેશ કુણી લાગણી રહી, કલાકરો ને પોતાના ગણી તેમને સહાયભૂત થવા અને પ્રોત્સાહન આપવા હમેશાં તત્પરરહ્યા.

૨૦૧૩માં મહેન્દ્રભાઈ દ્વારા આયોજીત “સભા ગુર્જરી” કાર્યક્રમમાં, અમેરિકામાં વાર્તાલાપ આપવાનો સર્વપ્રથમ અવસર મને મહેન્દ્રભાઈએ જ આપેલો. એ વાર્તાલાપ પછી જ મને બીજા કાર્યક્રમોમાં વાર્તાલાપ આપવાના અવસર મળવા લાગ્યા.

૫ મી એપ્રીલ, ૨૦૧૪ માં મીરાબહેનનું અવસાન થતાં, મહેતા-દંપતી દ્વારા ચાલતી, કેલિફોર્નિયાના Bay Area ના ગુજરાતીઓ માટેની સાહિત્ય અને સંગીતની પ્રવૃતિને મોટી ક્ષતિ થઈ છે, પણ મને ચોક્ક્સ ખાત્રી છે કે મહેન્દ્રભાઈ થોડા સમયમાં જ સ્વસ્થ થઈ, મીરાબેનની સક્રીયતાની યાદોને સહારે ફરી કાર્યાન્વિત થઈ Bay Area ના ગુજરાતીઓની સેવામાં લાગી જશે.

-પી. કે. દાવડા