વિશ્વ માતૃભાષા દિવસ

આજે 21 ફેબ્રુઆરી- વિશ્વ માતૃભાષા દિવસ. આપણા વ્હાલા સ્વરકાર શ્રી અમર ભટ્ટ તરફથી મળેલો આ સંદેશ સીધ્ધો તમારા સુધી… સૌ ને માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે..!!

19મી સદીના મધ્યકાળમાં ડોકિયું કરવા જેવું છે. 1844માં અમદાવાદમાં કલાપ્રેમી અંગ્રેજ અમલદાર એલેક્ઝાન્ડર કિનલાક ફૉર્બસ અધિકારી તરીકે આવે છે, ગુજરાતી શીખવાની તત્પરતા બતાવે છે, શિક્ષક શોધે છે, ભોળાનાથ સારાભાઈ દિવેટિયા દલપતરામનું નામ સૂચવે છે, ફૉર્બસસાહેબને ગુજરાતી શીખવવા દલપતરામ ખૂબ જહેમત વેઠી વઢવાણથી પગપાળા પ્રવાસ કરી અમદાવાદ આવે છે. બંને વચ્ચેની મૈત્રીનું પરિણામ એટલે અનેક પુસ્તકાલયો, અને સામાજિક સુધારાવાદી અને ભાષાલાક્ષી પ્રવૃત્તિઓ….

ગુર્જર નરેશ ખંડેરાવ ગાયકવાડ સમક્ષ દલપતરામ ગુજરાતી ભાષાના વકીલ તરીકે આમ કહે છે-

‘ગિરા ગુજરાતી તણા પિયરની ગાદી પામી
મુખ્ય તો મરાઠી માની દેખી દુઃખી દિલ છું,
અરજી તો આપી દીઠી મરજી તથાપિ નહીં
આવ્યો આપ આગળ ઉચ્ચરવા અપીલ છું,
માંડતા મુકદમાને ચાર જણા ચૂંથશે તો
શું થશે તે શોચનાથી સાહેબ શિથિલ છું,
દાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.’
આવી દલીલ કોને ગળે ન ઉતરે?

ઉમાશંકર જોશી કહે છે તેમ-
‘ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય ગિરા ગુજરાતી
કૃષ્ણચરણરજ પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી’

.

– અમર ભટ્ટ

2 replies on “વિશ્વ માતૃભાષા દિવસ”

  1. કવિ શ્રી દલપતરામની કવિતા ગમી. શ્રીમંત ગાયકવાડ સાહેબ રાજી થયેલા અને મદદ કરેલી.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *