કવિઃ સુરેશ દલાલ…..સ્વરકારઃ આશિત દેસાઈ……ગાયકઃ અનાર કઠિયારા
મનના મેવાડમાં એક રાણો વસે છે,
એ રાણાને અહીંથી ઉથાપો કોઇ,
મને મીરાંનું પાગલપન આપો કોઇ.
મને મેવાડી મહેલ હવે જોઇતા નથી, હીરા મોતીના હેલ હવે જોઇતા નથી,
મારા જ કરંડિયાને સાપ તો ડસે, એ સાપને તો અહીંથી ઉથાપો કોઇ.
મને મીરાંનું વૃંદાવન આપો કોઇ…..
હરિ-આવનના અવાજને હું સાંભળ્યા કરું, અહીં દિવસ ને રાત દીપ બાળ્યા કરું
નૈનનમેં નન્દલાલ એવા શ્વસે, મને પ્રીતિ પુરાતન આપો કોઇ
મને મીરાંનું વૈરાગન આપો કોઇ…..હવે સાંવરિયો મનભાવન સ્થાપો કોઇ!!




September 9th, 2007 at 7:00 am
[...] મનના મેવાડમાં એક રાણો વસે છે - સુરેશ દલાલ [...]
September 9th, 2007 at 7:15 am
DEAR JAISHREE,
I WOULD LIKE TO PUT SOME OF THE SONGS - BHAJANS IN TULSIDAL.
THE SINGER “ANAR KATHIYARA” HAS BEAUTIFUL VOICE AND ASHITBHAI DID A GREAT COMPOSITION.
WE ARE PROUDE OF YOUR WORK.
GEETA AND RAJENDRA
September 10th, 2007 at 11:40 am
wah superb voice and superb composition………
September 10th, 2007 at 11:23 pm
મને મીરાંનું પાગલપન આપો કોઇ….
-પ્રેમલક્ષણા ભક્તિનું સુંદર ઉદાહરણ…
September 11th, 2007 at 6:29 am
EXCELLENT, CLASSIC COMPOSITION WITH TOUCH OF CLASSINCAL SINGING. ANAR’S VOICE AND WAY OF SINGING IS VERY CLASSY. AT LAST THANKS GOES TO JAYSHREEBEN FOR PROVIDING US WITH THIS UNIQUE COMPOSITION.
September 12th, 2007 at 7:42 pm
I heard a nice voice and bhajan after a long time.
September 20th, 2007 at 6:36 am
એકબીજાના શુદ્ધ પ્રેમમાં ડૂબેલા બે જણ જ્યારે મિલન શક્ય નથી એ જાણે ત્યારે શું કરે? આપણને અલગ અલગ જવાબ મળે - એ બન્ને વાસ્તવિકતાને સ્વીકારી લે, અથવા એકબીજાના હાથ પકડી અનન્તમાં ઝંપલાવી દે અથવા નફ્ફટ બનીને રહે અથવા ….આ બધા options કરતાં પ્રસ્તુત કાવ્યમાં એક અલગ ઉપાયનો નિર્દેશ થયેલો છે.
મીરાંબાઈનાં લગ્ન મેવાડના રાણા સાથે થયાં હતાં, છતાં મીરાં શ્યામઘેલી બની જાય છે . સમાજે જ્યાં પરણાવ્યા તેને છોડીને મીરાં મોહનને પરણે છે એ ત્યારના લોકોને પણ માન્ય થયું એનું એક કારણ કદાચ કવિ એમ કહે છે કે બુદ્ધિવાનનું આવું વર્તન અક્ષમ્ય ગણાય પણ મીરાં તો પાગલ છે, મીરાંનું મોહન પ્રત્યેનું પાગલપન સમાજ સ્વીકારે છે ! અને આપણા આ ઊર્મિગીતની નાયિકાને પણ મીરાંના પાગલપનમાંથી જ આશ્વાશન મળે છે ! સમાજને જે માન્ય નથી એવો પ્રેમ એ કરી તો બેઠી, પણ પોતાના મનના મેવાડમાં જ્યાં રાણાની આણ વર્તાતી હોય ત્યાં એ રાણાને ઉપાડીને પોતાના સાંવરિયાને કેવી રીતે મૂકવો ? ત્યારે એ ઘેલી વિચારે છે કે મારા આ લોકોત્તર પ્રેમને સમાજ ત્યારે જ સ્વીકારશે જો મને મીરાંનું પાગલપન મળે!! પાગલને સમાજ પછી રંજાડતો નથી અને પાગલ પોતાના મનના માનેલાને પણ ભજી શકે છે ! પાગલ બનીને એ ઘેલી આ દુનિયાને છોડી શકે અને સાથે સાથે દુનિયામાં રહી પણ શકે એવું વૈરાગન મેળવવાની ઝંખના કરે છે .
July 16th, 2009 at 1:18 am
This song first listened on GIRNAR channel…in Saudi Arebia…before 2 months…it was brodcasted as per 01.00 AM IST…while first alap i phoned to my many friends for this to view…
It was superbly touched me by vioce of ANAR & definetelly ASHITBHAI’s composition…
I believe this is one of the best GUJARATI SUGAM GEET…
Requested to give access for video/audio album …