સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
કવિ : ??
(મળેલા મનનો મેળો… Photo : from Flickr)
This text will be replaced
મન મળે ત્યાં મેળો
રે મનવા, મન મળે ત્યાં મેળો
મન હસે તો સુખની હેલી
નહીં તો દુઃખનો દરિયો
મનડું હોય ઉદાસી ત્યારે
મરુભોમ શુ લાગે
ફૂલ ખુશીના ખીલી રહે તો
નંદનવનશું લાગે
ધરતી ઉપર સ્વર્ગ રચી દે
મનનો આનંદમેળો
મન મળે ત્યાં મેળો
રે મનવા, મન મળે ત્યાં મેળો
મનમાં રામ વસ્યો છે મનવા
મનમાં છે ઘનશ્યામ
મંદિર જેવું મન રહે તો
મનમાં તિરથધામ
મનડા કેરો રામ રિઝે તો
પાર જીવનનો બેડો
મન મળે ત્યાં મેળો
રે મનવા, મન મળે ત્યાં મેળો
Share what you loved...

Email
મન હોય તો માંડવે જવાય એવુ કહેવાયુ છે પરંતુ મન વગરનુ મળવુ કોઈ દિવસ આનદ આપતુ નથી, એટલે જ મન હોય ત્યા મેળાનો આનદ અને મનમેળની અનુભતી અનુભવી શકો છો એની કવિશ્રીએ સરસ રજુઆત કરી છે……..
મન મળે ત્યાં મેળો
રે મનવા, મન મળે ત્યાં મેળો
મન હસે તો સુખની હેલી
નહીં તો દુઃખનો દરિયો
મન મળે ત્યાં મેળો… સાચી વાત!
JAYSHREEBEN,
REALLY I LIKE THIS TYPE OF SONG. IT’S VERY VERY NICE
મન મળે ત્યાં મેળો,કેવી સરળને અઘરી વાત?
મનથી મનના થયા કેવા આઘાત-પ્રત્યાઘાત?
અદભુત વાત કહેતુ અદભુત અવાજ મા ગીત
મન હસે તો સુખની હેલી……
મનડા કેરો રામ રિઝે તો
પાર જીવનનો બેડો રે મનવા, મન મળે ત્યાં મેળો………………
મન મળે ત્યાં મેળો ,સરળ ભાષા મા ખુબ મોટી વાત.
મયુર ચોકસી.
મંદિર જેવું મન રહે તો
મનમાં તિરથધામ
મન મળે ત્યાં મેળો
રે મનવા, મન મળે ત્યાં મેળો
વાત તો સાવ સાચી જ છેને કે મન મળે તોજ જીવન સાર્થક થયું ગણાય.
સરસ ગીત છે.
Very nice song. I really like the wordings. It is so true what poet is saying.
ખુબ જ સરસ્
manvi ni man sathe jo preet hoy to j manvi sukha anubhavep. khub j rachana sari che.
કવિનું નામ રમેશ શાહ છે…. મારી પાસે ચંદરવો નામની સીડી છે એમાં આ ગીત છે.
સત્ય વચન
સુખ કે દુખ એ એક નિર્નય નિ વાત