મન મતવાલું માને શેણે? – જયંત પલાણ

343429902_5183321e7c_m.jpg

મન મતવાલું માને શેણે?
ઘાવ ઝીલે એ વજ્જરના ને
ભાંગી પડે મૃદુ વેણે :
મન મતવાલું માને શેણે?

સાત સમંદર પાર કરે, ને
ડૂબે ઝાકળબિન્દુ:
અગ્નિભડકે બળે નહિ એ
સળગે શીતલ ઇન્દુ

ઉગ્ર તૃષા ઓલાશે ક્યાંથી
છો ઘન વરસે નેણે :
મન મતવાલું માને શેણે?

ગિરિવર સરખો બોજ ઉઠાવે
પુષ્પ તળે કચડાતું;
ઝેર ઘૂંટડા જીરવી જઇને
અમી છલોછલ પાતુ.

આપ ભવોભવ એ નિષ્ઠુરને
દીધી વેદના જેણે :
મન મતવાલું માને શેણે?

6 replies on “મન મતવાલું માને શેણે? – જયંત પલાણ”

  1. ખુબ સરસ !!!

    સાત સમંદર પાર કરે, ને
    ડૂબે ઝાકળબિન્દુ:
    અગ્નિભડકે બળે નહિ એ
    સળગે શીતલ ઇન્દુ

    ઉગ્ર તૃષા ઓલાશે ક્યાંથી
    છો ઘન વરસે નેણે :
    મન મતવાલું માને શેણે?

    કેટલી સાચી વાત!

  2. મનનો ,તાગ કોંણ પામી શક્યું છે ?
    રા.શુ કહે છે ” મનને સમજાવો નહી, મન સમજતું હોય છે.”અને વિપીન પરીખ આ મતલબનૂ લખે છે
    “મનને પગ હતે તો કેવું સારૂ
    ક્યારેક તો થાકીને બેસતે”

    અતિ ગહન વિશય ને અતિ સરળ શબ્દોમા સમજાવતી રચના.

  3. સાત સમંદર પાર કરે, ને
    ડૂબે ઝાકળબિન્દુ:
    અગ્નિભડકે બળે નહિ એ
    સળગે શીતલ ઇન્દુ

    સાચી વાત!!!!

  4. આપ ભવોભવ એ નિષ્ઠુરને
    દીધી વેદના જેણે :
    મન મતવાલું માને શેણે?
    કેટલી સાચી વાત!
    સુંદર રચના

  5. ગિરિવર સરખો બોજ ઉઠાવે,,,,,પુષ્પ તળે કચડાતુઁ !
    સરસ રચના બદલ આભાર !

  6. ખુબ સરસ !!! મજા પડી ગઈ.હુ દુઃખી છુ કે મને આ સાઈટ વિષે મોડી ખબર પડિ.હવે રોજ મળીશુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *