મને ઝાંઝરિયું ઘડાવો રે… – પિનાકીન ઠાકોર

આ ગીતની સાથે જ પેલું ‘વ્હાલમને વરણાગી કહેતી નાયિકાની ફરમાઇશોવાળું ગીત’ યાદ આવી જાય ને? કવિ શ્રી પિનાકિન ઠાકોરને એમના જન્મદિવસે આ ગીત માણી શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!

મને ઝાંઝરિયું ઘડાવો રે , ઝાંઝરિયું .

રૂપાનો રઢિયાળો ઘાટ ,
સોના કેરી સુંદર ભાત ,
રંગરંગી રતન જદાવો રે. મને ૦

કેડે નાનકડી શી ગાગર ,
મેલું જે ઘડુલો માથા પર,
ઇંઢોણીને મોતીએ મઢાવો રે. મને ૦

લટકમટક હું ચાલું,
ને અલકમલકમાં મ્હાલું,
મને પરીઓની પાંખ પર ચઢાવો રે. મને ૦

– પિનાકિન ઠાકોર

2 replies on “મને ઝાંઝરિયું ઘડાવો રે… – પિનાકીન ઠાકોર”

  1. હંસા દવેના સ્વરમાં ગીત સ્વરબધ્ધ થાય તો ઘણું સારૂં રહેશે.
    મને રૂપાની ઝાંઝરી ઘડાવ…ટાઈપનું ગીત.
    આભાર.

  2. સખીની ફરમાઈશો ટાળવી અતિ કઠિન છે.

    સખી મુને બહુ વ્હાલી..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *