Category Archives: અંજલીબહેન ખાંડવાલા 

જાગો રે જશોદાના જીવણ ~ નરસિંહ મહેતા

જાગો રે જશોદાના જીવણ વ્હાણલાં વાયાં
તમારે ઓશીકે મારાં ચીર રે ચંપાયા…

પાસું તો મરડો વ્હાલા ચીર લેઉં તાણી
સરખી રે સહિયરું સાથે મારે જાવું પાણી

પંખીડાં બોલે તો વ્હાલા રાત રહી થોડી
સેજલડીથી ઉઠો વ્હાલા આળસડી મોડી

સાદ પાડું તો વ્હાલા લોકડિયાં જાગે
અંગૂઠો મરડું તો વ્હાલા પગના ઘૂઘરા વાગે

જેનો જેવો ભાવ હોયે તેને તેવું થાય
નરસૈંયાનો સ્વામી વિના રખે વ્હાણલું વાયે

– નરસિંહ મહેતા

સ્વરકાર – અંજલીબહેન ખાંડવાલા 
સ્વર – વિભા દેસાઈ