Category Archives: કાવ્યપ્રકાર

કાશ્મીરનો ટહુકો…

આજે એક શબ્દ વગરનું ગીત. શબ્દ વગર ગીત બને ખરું? એ તો મને પણ નથી ખબર. તો ચાલો, એમ કહું કે શબ્દ વગરનું સંગીત.

શાસ્ત્રીય સંગીતમાં મને બઉ ગતાગમ નથી. બઉ તો શું, થોડી યે નથી. રાગોના તો નામ જ ખબર. એ પણ બધા તો નથી ખબર… વાદ્યસંગીત જ્યારે પહેલી વાર સાંભળ્યું, ત્યારે ભાઇ પર ગુસ્સો કર્યો હતો, કે આ શું છે? એકલા તબલા વાગે છે..!! પરંતુ ધીમે ધીમે એ ગમવા માંડ્યું. એ ખરેખર સંગીતને લીધે, કે પછી ભાઇની વાદ્યસંગીત પ્રત્યેની રુચીને લીધે, એ તો મને પણ નથી ખબર.

અને પછી તો ખરેખર મઝા આવવા માંડી. મેં જાતે ખરીદેલું સૌથી પહેલું આલ્બમ : Call of the Vally. એમાં શિવકુમાર શર્માનું સંતૂર, હરીપ્રસાદ ચૌરસિયાની વાંસળી, અને બ્રિજભૂશણ કાબરાના તબલા એક સાથે. એવી સરસ જુગલબંધી જામે કે વાહ…!!

શિવકુમાર શર્માના પુત્ર રાહુલ શર્માને સંતૂર પર સાંભળો, તો પેલી ગુજરાતી કહેવત યાદ આવે, “મોરના ઇંડાને ચીતરવા ના પડે”. જેમણે શિવકુમાર શર્માનું “Music of the Mountains” સાંભળ્યું હોય, એને રાહુલ શર્માના આ પહેલા આલ્બમ “Music of Himalayas”માં એની ઝાંખી જરૂર દેખાય.

Title : Melody Of Kashmir
Ablum : Music of Himalayas

મને પરવડે નહીં – સ્નેહી પરમાર

paravade

આ આટલી ખારાશ, મને પરવડે નહીં
દરિયો જ હો ચોપાસ, મને પરવડે નહીં

મારે સળગતો હાથ લઇને ઘૂમવું સતત
તારે જ રમવો રાસ, મને પરવડે નહીં

મરવું નથી ને યાર હવે જન્મવું નથી
આ કાયમી પ્રવાસ, મને પરવડે નહીં

તારી રજા ના લેય, અને આવજા કરે
એવો તો કોઇ શ્વાસ, મને પરવડે નહીં

બેશક કલમનું વાંઝિયું હોવું મને ગમે
કિન્તુ, એ પ્રસવે લાશ, મને પરવડે નહીં

સાથે મૂકીને જો – જયેન્દ્ર શેખડીવાળા

અંધારને, અજવાસને સાથે મૂકીને જો
અવકાશને, આ શ્વાસને સાથે મૂકીને જો

પીળાં ફૂલોનો સૂર્ય નહીં આથમે કદી
સ્મરણ અને સુવાસને સાથે મૂકીને જો

તું હોય છે તો હોય છે સ્પર્શોની વારતા
તું લાગણીના પ્રાસને સાથે મૂકીને જો

ગઇકાલની હવાઓ તને સાંભરી જશે
ઝાંખો દીવો, ઉજાસને સાથે મૂકીને જો

લથબથ અવાજમાં કશું તેં પણ કહ્યું હતું
ગઝલને, બાહુપાશને સાથે મૂકીને જો

H वो चुप रहें तो मेरे दिल के दाग जलते है

Hindi Movie/Album Name: JAHAN ARA
Singer: LATA MANGESHKAR

wo chup rahe to mere dil ke daaga jalate hain
jo baat kar le to buzate chiraaga jalate hain

kaho buze ke jale
hum apanee raah chale, yaa tumhaaree raah chale
buze to ayese ke jaise kisee gareeb kaa dil
jale to ayese ke jaise chiraaga jalate hain

ye khoyee khoyee najar
kabhee to hogee idhar yaa sadaa rahegee udhar
udhar to ek sulagataa huaa hain wiraanaa
magar idhar to bahaaron mein baag jalate hain

jo ashk pee bhee liye, jo honthh see bhee liye
to sitam ye kis pe kiye
kuchh aaj apanee sunaao, kuchh aaj meree suno
khaamoshiyon se to dil aur dimaaga jalate hain

હું માણસ છું કે ? – ચંદ્રકાન્ત શાહ.

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?
આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઇ જનમની હજી કનડતી ઈચ્છાઓથી જીવતર લથબથ ભીંજે
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે ?

આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

છાતી અંદર શ્વાસ થઇને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો
હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો.
ફિલસૂફોનાં ટોળાં વચ્ચે એકલવાયો અવાજ લઇને રખડું છું હું માણસ છું કે ?

ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?

(કવિ પરિચય)  

પાંખો કાપવી ‘તી તો… – કૃષ્ણલાલ શ્રીધરાણી

paankho

પાંખો કાપવી ‘તી તો… રે…
મોરલાને જનમ કેમ આપ્યો?
હે! પડઘો ન પાડવો તો… રે…
અંતરે સાદ કાં આલપ્યો ?
– જનમ કેમ આપ્યો?

સામી મ્હોલાતમાં દીવડી ફરૂકે,
ફરૂકે મારા અંતરની જ્યોતિ !
હે ! આડી ચણી આ કાચની દીવાલ તો,
લોહની દીવાલ કાં ન રોપી ?
– સાદ કાં આલપ્યો ?

પાંખો કાપવી ‘તી તો… રે…
મોરલાને જનમ કેમ આપ્યો?

( કવિ પરિચય )

નવકાર મહામંત્ર

mahavir

Namo Arihantanam (I bow in reverence to Arihants)

Namo Siddhanam (I bow in reverence to Siddhas)

Namo Ayariyanam (I bow in reverence to Acharyas)

Namo Uvajjhayanam (I bow in reverence to Upadhyayas)

Namo Loye Savva Sahunam (I bow in reverence to all Sadhus)

Eso Panch Namukkaro (This five-fold salutation)

Savva Pavappanasano (Destroys all sins)

Mangalanam Cha Savvesim (And amongst all auspicious things)

Padhamam Havai Mangalam (Is the most auspicious one)

એક કાવ્ય – પુરુરાજ જોષી


એમણે
સર્જ્યું અસીમ આકાશ
અને ધરા પર
લહેરાવ્યાં કાંઇ છમલીલેરાં વૃક્ષો
પક્ષીઓને કહ્યું,
આવો,
કર્ણમધુર કલશોર લઇને
આવો
વૃક્ષોની ડાળે બાંધો માળા
ને
મધમીઠાં ફળ ચાખો….
વિહગો આવ્યાં
વૃક્ષો પર ખીલ્યો કલરવ
પછી –
પછી પ્રવેશ્યા તમે
હાથમાં પીંજર લઇને
તમે –
હા તમે ઉતરડી નાખ્યું
પંખીની પાંખો પરથી
એનું નીલાકાશ
પૂરી દીઘું એને
સાંકડા પીંજરમાં
અને હજી તો
કરો કામના સૂણવા
મઘુરા કલરવની ?!

થોડોએક તડકો – ઉમાશંકર જોષી

કવિ શ્રી ઉમાશંકર જોષી ( જન્મ : 21 જુલાઇ, 1911 )

થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

કાળાં ભમ્મર હતાં વાદળાં છવાયાં,
છૂપા હતા દૂર દૂર રવિરાયા,
સાંજની ઢળી હતી ઘનઘેરી છાયા,
ઓચિંતી આવી વાયુલહરી કહીંયથી,
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

તરુઓની ડાળીઓએ પડતો એ ઝીલ્યો,
પાંદડાની લીલી કટોરીઓમાં ખીલ્યો.
ઊડતાં પંખીની પાંખ કહે : કો ભરી લ્યો !
કૈંક મારે હૈયે ઝીલ્યો મેં મથી મથી.
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

(તા. 31 ઓગષ્ટ, 1947)

તને જાતા જોઈ – અવિનાશ વ્યાસ

કવિ શ્રી અવિનાશ વ્યાસ ( જન્મ : તા 21 જુલાઇ, 1911 )

.

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારૂ મન મોહી ગયુ,

કેડે કંદોરોને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારૂ મન મોહી ગયુ,

રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારૂ મન મોહી ગયુ,

બેંડલુ માથે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારૂ મન મોહી ગયુ,

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,