નિરંજન ભગત પર્વ – ૪ : પૂનમ ને કહેજો કે પાછી ન જાય

સ્વર : બંસરી યોગેન્દ્ર સ્વરકાર : હરેશ બક્ષી

પૂનમ ને કહેજો કે પાછી ન જાય
ઉગી ઉગીને આમ આછી ન થાય!

આંખો નાં અજવાળાં ઘેરીને ઘૂમટે
ઝૂકેલી બીજ ને ઝરૂખડે,
ઉઘાડે છોગ આજ છલ્ક્નતા ઉમટે
રૂપના અંબાર એને મુખડે;
સોળે કળાએ એની પ્રકટી છે કાય!
પૂનમ ને કહેજો કે પાછી ન જાય

માનેના એક મારી આટલી શી વાતને
તોય ભલે, આજતો નીતરે !
આવતી અમાસની અંધારી રાતને
ચંદનથી ચારકોર ચીતરે,
આંખડીને એવાં અજવાળાં પાય;
ઉગી ઉગીને ભલે આછી તો થાય,
પૂનમ ને કહેજો કે પાછી ન જાય!

2 replies on “નિરંજન ભગત પર્વ – ૪ : પૂનમ ને કહેજો કે પાછી ન જાય”

  1. સરસ ગીત,મધુર સ્વરાંકન,આનંદદાયી કંઠ…………..
    સૌને અભિનદન,આપનો આભાર………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *