મારું હૈયું ખોવાયું એક વેળા – ગુલાબદાસ બ્રોકર

1500291674_c064665fe0 

મારું  હૈયું  ખોવાયું  એક  વેળા,
રે  રાજ,  મારું  હૈયું  ખોવાયું  એક  વેળા.

જ્યારે  સૂરજદેવ  થાકી  આકાશથી  પચ્છમમાં  ઊતરી  ગયેલા,
ધરતી  રાણીનું  હૈયું  જ્યારે  ઉલ્લાસથી  શ્વાસ  લેતું  આશથી  ભરેલા,
એવી  એક  સાંજ  રે  ઘેલું  બનેલ  આ  હૈયું  ખોવાયું  એક  વેળા.
રે  રાજ,  મારું  હૈયું  ખોવાયું  એક  વેળા.

ત્યારથી  તે  આજ  સુધી  ચૌટે  ને  ચોકમાં  શોધું  હું  બ્હાવરી  શી  એને,
સાગરને  તીર  કે  નદીઓનાં  નીરમાં  તારલાને  લાખલાખ  નેને,
ક્યાંયે  ના  ભાળતી  સહેજે  ગયેલ  જે  હૈયું  ખોવાઇ એક  વેળા,
રે  રાજ,  મારું  હૈયું  ખોવાયું  એક  વેળા.

ખોળી  ખોળીને  એની  આશ  છોડી  આજ  હું  આવતી’તી  સીમમાંથી  જ્યારે,
ત્યારે  દીઠો  મેં  ક્હાન  પાવો  વગાડતો  ઝૂલીને  વડલાની  ડાળે,
બોલ્યું  શું  પાવાના  મધમીઠા  સૂરમાં,  જે  હૈયું  ખોવાયું  એક  વેળા.
રે  રાજ,  મારું  હૈયું  ખોવાયું  એક  વેળા.

3 replies on “મારું હૈયું ખોવાયું એક વેળા – ગુલાબદાસ બ્રોકર”

  1. ગુલાબદાસ બ્રોકરે નારીના મનોભાવને બેખુબી વ્યક્ત કર્યા છે…

    મારુ હૈયુ ખોવાયુ ઍક વેળા…

Leave a Reply to dipti Cancel reply

Your email address will not be published. Required fields are marked *