સંદેશ આપના મને સંભળાય છે સમીરમાં – જલન માતરી

મહેલો મહી રહું કે હું જઈને વસું કુટિરમાં,
સંદેશ આપના મને સંભળાય છે સમીરમાં.

પ્હોંચી શકાશે મંઝિલે શી રીતે એ જ પ્રશ્ન છે,
શક્તિ રહી નથી હવે પહેલાં સમી શરીરમાં.

ઊંચે જવું જો હોય તો હલકાની લે મદદ જરૂર,
પીંછાં વિના વિહંગના આવે ગતિ ના તીરમાં.

નિજ હાલ પર ન ગર્વ કર ના હસ બીજાના હાલ પર,
નહીંતર થઈને રહેશે શું તારું અહીં લગીરમાં.

હાલતના તો ગરીબ પણ દિલના તો બાદશાહ છીએ,
ગણના અમારી તે છતાં થાતી નથી અમીરમાં.

– જલન માતરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *