તું નભ ને હું છું મુક્ત પંખી – જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’

અજવાળાના આભાસે ને અંધારાના અણસારે;
શ્વાસો તો હા ચાલ્યા છે જ સદા પોતાની રફતારે.

જોઈ સામું મોઘમ હોઠે સ્મિત કરીને ચાલ્યા એ,
અર્થૉ એના ઉકલે તે માટે કોઈ તો આવે વ્હારે.

ખોવાયું જ ન હો એ શોધીને ય મળે કેવી રીતે?
આ સત્ય એમને હવે જોઈએ સમજાશે તો ક્યારે?

જે ક્યારેય નહોતું તારું એના જ અભરખા શાને?
તારું છે તો મળશે જ તને સામેથી વારે-વારે.

તું નભ ને હું છું મુક્ત પંખી, વિલસે ટહુકે ટહુકે,
આકાશ સમાયું ભગ્ન ટહુકામાં જ નિરાકારે.

– જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’
(ગઝલ સંગ્રહ – ‘વાત તારી ને મારી છે’)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *