નદી પાણી ત્યજી ને કયાં જવાની? – અનિલ ચાવડા

લાખ છો કોશિશ કરે એ ભાગવાની,
પણ નદી પાણી ત્યજી ને કયાં જવાની?

એક પણ ઘટના વગર જીવી ગયો છું,
આખરે આ એક ઘટના તો થવાની.

એમણે ચંદન સમા અવસર ઘસ્યા છે,
એમની પણ જાત ચૌક્કસ મ્હેંકવાની.

આપણે અત્યાર થઈ ઊભા રહ્યા ને-
થઈ ગણતરી ફક્ત જૂનાની-નવાની.

ગાંડપણ નૈ ટેવ, મારે ટેવ છે આ;
ઘર વગર અમથા જ બારી વાંસવાની.

– અનિલ ચાવડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *