છેક છાતીમાં ફરે તરસ્યાં હરણ – અનિલ ચાવડા

દૂર લગ દેખાય ખાલી સાવ રણ, પાણી નથી;
છેક છાતીમાં ફરે તરસ્યાં હરણ, પાણી નથી.

લાગણીનો કાગડો નાખે હવે ક્યાં કાંકરા?
એમની ભીતર ઘડામાં સ્હેજ પણ પાણી નથી.

અન્યને ભીનાં કરી જગ છોડવું અઘરું પડે,
જિંદગી પાણી નથી કે આ મરણ પાણી નથી.

શક્ય છે કે દૃશ્ય વર્ષાનું રચાયું હોય, પણ;
આંખમાંથી જે ઝરે છે એ ઝરણ પાણી નથી.

સ્હેજ પાની ચૂમતાં છીપે તરસ, પણ તે છતાં;
ફક્ત તો પડશે જ, કારણ કે ચરણ પાણી નથી.

– અનિલ ચાવડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *