ખ્યાલ ના હો એ જગાથી નીકળે છે – અંકિત ત્રિવેદી

સ્વર : સોલી કાપડિયા
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

ખ્યાલ ના હો એ જગાથી નીકળે છે,
કાઢવો જો હોય તો રસ્તો નીકળે છે,

સ્હેજ જીવીને વિચારો આપણામાં,
હૂંફ આપોઆપ મળશેતાપણામાં;
ભાસ જોઈશે ગતિની તીવ્રતાનો,
એ જ આવીને મળે છેઆંગણામાં.
પગ પડે છે ત્યાં નવો થઈ સળવળે છે,
કાઢવો જો હોય તો રસ્તો મળે છે.

હા, પડેલું એને વાંકુ એ જ રસ્તો,
બારી પાસે બેસી તાકું એ જ રસ્તો;
ક્યાંક ખાડા, ક્યાંક સમથળ, ક્યાંક ટૂંકો,
ક્યાંક લાંબો જોઈ થાકું એ જ રસ્તો.
આપણે વળીએ ન એ પાછો વળે છે,
કાઢવો જો હોય તો રસ્તો મળે છે.

ચોતરફ ફરતો રહું છું એની ઉપર,
જે ભરે ભાંખોડિયા મારી જ અંદર;
એ જરસ્તાનેપૂછું છું ફાવશે ને?,
ડગ ભરે છે ગિરદીમાં રોજ જીવતર.
એ જ જગ્યાએ ફરી પાછો મળે છે,
કાઢવો જો હોય તો રસ્તો મળે છે.

– અંકિત ત્રિવેદી

One reply

  1. ખૂબ જ સુંદર રચના અંકિતભાઈ અને એટલી જ સુંદર રજૂઆત સોલી કાપડીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *