Category Archives: કૃષાનુ મજમુદાર

રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ? – સુરેશ દલાલ

સ્વર – કૃષાનુ મજમુદાર

સ્વરાંકન – પુરુષોત્તમ ઉપાધ્યાય

.

રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.

તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ.
તમને તો કોઈ કારણ અમને નહીં બ્હાના નહીં વ્હેમ,
અમે કરીશું પ્રેમ..

તમને વાદળ ધુમ્મસ વ્હાલાં, અમને ઉજળી રાત;
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારીજાત.
કહો આંખથી ગંગા જમના વહે એમ ને એમ,
અમે કરીશું પ્રેમ..

-સુરેશ દલાલ