કૃષ્ણલાલ શ્રીધરાણી પર્વ ૪ : સલામ, સખી ! આજથી નવ વદું તને હું કદી

સલામ, સખી ! આજથી નવ વદું તને હું કદી,
હવે હૃદયમાં નહિ જ અભિમાન તું રાખતી;
ભૂલ્યો, ગણી ગણી તને હૃદયની અને માહરી,
ગુલાબ નહિ તું કરેણ, મુજ આંખડી ઊઘડી.

ખુશામત ગણી ? કરું ન પ્રભુ પાસ, ને તાહરી?
કદીક અભિમાનથી મલકી જાય વિભાવરી-
ખુશામત તણી ગણી, અલખની જ એ ગર્જના,
ગમે અગર રાતને, કદી ન, સિંધુને શી પડી ?

સલામ, સખી ! છો પડે અગર આંસુડાં આંખથી,
નહીં જ મુજ હાથથી કદીય તેમ લ્હોવાં નથી;
નિશામુખ પરે પણે ચળકતા નહિ તારકો,
તનેય, સખી ! રાતનેય અભિમાનનાં આંસુડાં !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

સત્તર વરસની લબરમૂછિયા ઉંમર એટલે માણસની પ્રેમમાં મુગ્ધ થવાની અવસ્થા. આ કાચી ઉંમરે કવિ પ્રણયભ્રમનિરસન નિમિત્તે પ્રિયતમાને ઉપાલંભ આપવાની વાત જે પ્રગલ્ભતાથી કરી શકે છે એને સલામ !

કવિ સખીને સલામ કરીને વાત શરૂ કરી કહે છે કે હું તારા પ્રેમમાં મરી ફીટ્યો છું એવું અભિમાન હવે ન રાખીશ. હું સમજ્યો હતો કે તું ગુલાબ છે જે સાથે રહી ખુશબૂ ફેલાવશે પણ તું તો માત્ર ઊંચે ને ઊંચે વધવા માંગતી કરેણ છે. દરિયાના મોજાં એકધારું ગર્જન કર્યાં કરે છે એને પોતાની ખુશામત માનીને રાત જેમ હરખાય કે ન હરખાય એનાથી દરિયાને કશો ફરક નથી પડતો તેમ તેંય મારા પ્રેમને ખુશામત ગણી લીધી હોય તો એ તારી ભૂલ છે, મારી નહીં… રાત્રિના મુખ પર ચળકતાં તારાઓ એ રાત્રિના અભિમાનના આંસુ છે. તારા ચહેરા પર પણ જે આંસુ ઉપસી આવ્યાં છે એ અભિમાનનાં છે અને હું મારા હાથથી એ કદી નહીં લૂંછું…

બાર પંક્તિના અંતે ચોટ આપી વિરમી જતું આ કાવ્ય કવિની કાવ્યનિષ્ઠાનું પણ દ્યોતક છે. આજે જેમ ગઝલ એમ જે જમાનામાં સોનેટનો સુવર્ણયુગ હતો એ જમાનામાં આવું મજાનું કાવ્ય રચીને માત્ર બે નવી પંક્તિઓ ઉમેરીને એને સૉનેટાકાર આપવાનો મોહ જતો કરવો એ પણ એક મોટી વાત હતી…

સલામ કવિ ! સો સો સલામ !
– વિવેક ટેલર (લયસ્તરો.કોમ)

Shridharani’s English books are not available now. Those few copies that are there are the possessions of pride for their owners.That Krishnalal Shridharani should have passed away so early in his life was a tragic loss not only to literature but also to journalism.The best way to commemorate his memory would be to republish some of his unavailable literature and scan the family archives to see if there was anything unpublished left behind. ( Tushar Bhatt- Times of india )

Here are some important articles about Krishnalal Shridharani by welknown journalist Vishnu pandya and welknown writer Urvish Kothari

Link below:
Vishnu Pandya:
1. http://www.divyabhaskar.co.in/article/ABH-birthday-centenary-celebrations-also-of-shridharani-1274009.html

Urvish Kothari:
2.http://urvishkothari-gujarati.blogspot.in/2011/05/blog-post.html

2 replies on “કૃષ્ણલાલ શ્રીધરાણી પર્વ ૪ : સલામ, સખી ! આજથી નવ વદું તને હું કદી”

  1. કાવ્ય ખૂબ સુંદર છે જ. વિષ્લેશણમાં મારા વિચાર ઉમેરતાં–વખાણ અને અભિમાન પર મન અને મગજનો સંવાદ પણ મને લાગે છે.
    સરયૂ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *